ડો. ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાના પિતાને મોટો ઝટકો, વેરાવળ સેશન્સ કોર્ટે નારણ ચુડાસમાની આગોતરા જામીનની અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-06-02 18:01:26

ગીર સોમનાથના વેરાવળના ખ્યાતનામ ડો. અતુલ ચગ આત્મહત્યા કેસ મામલે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાને વેરાવળ સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટે નારણભાઈ ચુડાસમાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. નારણભાઈ ચુડાસમાએ વેરાવળ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જો કે કોર્ટે આજે તેમના આગોતરા જામીન ફગાવી દીધા હતા. વેરાવળ સેશન્સ કોર્ટમાં ગઈકાલે આગોતરા જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જે મામલે આજે વેરાવળ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ડો. ચગના આત્મહત્યા મુદ્દે સાંસદ અને તેના પિતા પર આરોપ લાગ્યા છે.


મૃતકના દિકરા હિતાર્થે કરી હતી અરજી


ડો. અતુલ ચગ આત્મહત્યા કેસમાં 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  ડો. અતુલ ચગની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ હતો. વેરાવળ સીટી પોલીસે અતુલ ચગ આત્મહત્યા મામલે અકસ્માતે મોત નં. 04/23  સી.આર.પી.સી. કલમ 174 તા. 12.02.2023 ના રોજ ફરિયાદ નોંધી હતી. ત્યારે  ર્ડા. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે તા. 17.02.2023 નાં રોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી. જે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન અરજી નં.-બી 43/ 2023  તા. 17.02.2023 થી નોંધાયેલ હતી. 


કરોડોની રકમ ચાઉં કર્યાનો આરોપ
 

મૃતક ડો. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે નોંધાવેલ ફરિયાદ મુજબ વર્ષ 2008 માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા કટકે-કટકે મારા પપ્પા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી ઉછીની રકમ લઈ પરત આપી ન હતી. જેની મારા પપ્પા અવાર નવાર ઉઘરાણી કરતા મારા પપ્પાને જાનથી મારી નાંખવાની રાજેશ ચુડાસમા તેમજ નારણ ચુડાસમા ધમકી આપતા હતા. જેથી મારા પપ્પા ડરી ગયા હતા. અને તા. 12.02.2023 નાં રોજ અમારા ઘરે છતમાં પંખા સાથે મફલર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.