વેરાવળના ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે સાંસદ રાજેશ ચુડાસમા અને પિતા સામે FIR નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-15 22:08:39

વેરાવળના નામાંકિત ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં વેરાવળ પોલીસ સીટી પોલીસે આખરે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધી છે. સાંસદ રાજેશ ચુડાસમા તથા તેમના પિતા નારણ ચુડાસમા સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. વેરાવળ પોલીસ સીટી પોલીસ સ્ટેશનમાં કલમ 174 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરાવળ પોલીસ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધતી ન હતી. પોલીસ ફરિયાદ ન લેતા ડૉક્ટર અતુલ ચગનો પુત્ર હિતાર્થ હાઈકોર્ટ પહોંચ્યો હતો અને કંટેમ્ટ અરજી દાખલ કરી હતી.


12 ફેબ્રૂઆરીના રોજ ડૉ.ચગે કરી હતી આત્મહત્યા


સૌરાષ્ટ્રના નામાંકિત ડૉક્ટર અને ગરીબોના મસીહા તરીકે ઓળખાતા  લોહાણા સમાજના તબીબ ડો.અતુલ ચગે પોતાના ક્લિનીકમાં જ 12 ફેબ્રૂઆરીના દિવસે પંખે લટકી ગળેફાંસો ખાધો હતો. ડૉ.ચગે આપઘાત કરી લેતા વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળએ દોડી આવી હતી.


સુસાઈડ નોટમાં થયો હતો ઘટસ્ફોટ

 

ડો.અતુલ ચગની આત્મહત્યા બાદ હોસ્પિટલ પર રાજકીય અને સામાજિક આગેવાનો અને તબીબોનો જમાવડો થયો હતો. તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લાઇનની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું’ તેમ લખી અને નીચે સહી કરી હતી. ડો. અતુલ ચગ પાસેથી સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. 


હાઈકોર્ટે ઉધડો લીધો હતો


ડૉ.ચગના પુત્ર હિતાર્થની અરજી પર  18 એપ્રિલના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડૉ.ચગના આપઘાત કેસ અંગે હાઈકોર્ટમાં 2 કલાકથી વધુ દલીલ ચાલી હતી. હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણીમાં PI સિવાયના અન્ય પક્ષકારોએ જવાબ રજૂ ન કરવા અને ખાનગી વકીલ ન રોકવા પર અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારના વકીલે જણાવ્યુ હતુ કે, 12 ફેબ્રૂઆરીના દિવસે આ ઘટના બની હતી અને આજ દિવસે ડૉ.ચગે નામ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી. 17 ફેબ્રૂઆરીના દિવસે ડૉ.ચગના પુત્ર હિતાર્થે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી , તેમ છતાં પોલીસ તપાસ ચાલુ જ હોવાની વાત કરી રહી છે અને FIR નોંધતી નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.