વેરાવળના ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે સાંસદ રાજેશ ચુડાસમા અને પિતા સામે FIR નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-15 22:08:39

વેરાવળના નામાંકિત ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં વેરાવળ પોલીસ સીટી પોલીસે આખરે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધી છે. સાંસદ રાજેશ ચુડાસમા તથા તેમના પિતા નારણ ચુડાસમા સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. વેરાવળ પોલીસ સીટી પોલીસ સ્ટેશનમાં કલમ 174 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરાવળ પોલીસ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધતી ન હતી. પોલીસ ફરિયાદ ન લેતા ડૉક્ટર અતુલ ચગનો પુત્ર હિતાર્થ હાઈકોર્ટ પહોંચ્યો હતો અને કંટેમ્ટ અરજી દાખલ કરી હતી.


12 ફેબ્રૂઆરીના રોજ ડૉ.ચગે કરી હતી આત્મહત્યા


સૌરાષ્ટ્રના નામાંકિત ડૉક્ટર અને ગરીબોના મસીહા તરીકે ઓળખાતા  લોહાણા સમાજના તબીબ ડો.અતુલ ચગે પોતાના ક્લિનીકમાં જ 12 ફેબ્રૂઆરીના દિવસે પંખે લટકી ગળેફાંસો ખાધો હતો. ડૉ.ચગે આપઘાત કરી લેતા વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળએ દોડી આવી હતી.


સુસાઈડ નોટમાં થયો હતો ઘટસ્ફોટ

 

ડો.અતુલ ચગની આત્મહત્યા બાદ હોસ્પિટલ પર રાજકીય અને સામાજિક આગેવાનો અને તબીબોનો જમાવડો થયો હતો. તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લાઇનની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું’ તેમ લખી અને નીચે સહી કરી હતી. ડો. અતુલ ચગ પાસેથી સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. 


હાઈકોર્ટે ઉધડો લીધો હતો


ડૉ.ચગના પુત્ર હિતાર્થની અરજી પર  18 એપ્રિલના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડૉ.ચગના આપઘાત કેસ અંગે હાઈકોર્ટમાં 2 કલાકથી વધુ દલીલ ચાલી હતી. હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણીમાં PI સિવાયના અન્ય પક્ષકારોએ જવાબ રજૂ ન કરવા અને ખાનગી વકીલ ન રોકવા પર અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારના વકીલે જણાવ્યુ હતુ કે, 12 ફેબ્રૂઆરીના દિવસે આ ઘટના બની હતી અને આજ દિવસે ડૉ.ચગે નામ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી. 17 ફેબ્રૂઆરીના દિવસે ડૉ.ચગના પુત્ર હિતાર્થે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી , તેમ છતાં પોલીસ તપાસ ચાલુ જ હોવાની વાત કરી રહી છે અને FIR નોંધતી નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.