વેરાવળના ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે સાંસદ રાજેશ ચુડાસમા અને પિતા સામે FIR નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-15 22:08:39

વેરાવળના નામાંકિત ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં વેરાવળ પોલીસ સીટી પોલીસે આખરે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધી છે. સાંસદ રાજેશ ચુડાસમા તથા તેમના પિતા નારણ ચુડાસમા સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. વેરાવળ પોલીસ સીટી પોલીસ સ્ટેશનમાં કલમ 174 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરાવળ પોલીસ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધતી ન હતી. પોલીસ ફરિયાદ ન લેતા ડૉક્ટર અતુલ ચગનો પુત્ર હિતાર્થ હાઈકોર્ટ પહોંચ્યો હતો અને કંટેમ્ટ અરજી દાખલ કરી હતી.


12 ફેબ્રૂઆરીના રોજ ડૉ.ચગે કરી હતી આત્મહત્યા


સૌરાષ્ટ્રના નામાંકિત ડૉક્ટર અને ગરીબોના મસીહા તરીકે ઓળખાતા  લોહાણા સમાજના તબીબ ડો.અતુલ ચગે પોતાના ક્લિનીકમાં જ 12 ફેબ્રૂઆરીના દિવસે પંખે લટકી ગળેફાંસો ખાધો હતો. ડૉ.ચગે આપઘાત કરી લેતા વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળએ દોડી આવી હતી.


સુસાઈડ નોટમાં થયો હતો ઘટસ્ફોટ

 

ડો.અતુલ ચગની આત્મહત્યા બાદ હોસ્પિટલ પર રાજકીય અને સામાજિક આગેવાનો અને તબીબોનો જમાવડો થયો હતો. તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લાઇનની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું’ તેમ લખી અને નીચે સહી કરી હતી. ડો. અતુલ ચગ પાસેથી સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. 


હાઈકોર્ટે ઉધડો લીધો હતો


ડૉ.ચગના પુત્ર હિતાર્થની અરજી પર  18 એપ્રિલના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડૉ.ચગના આપઘાત કેસ અંગે હાઈકોર્ટમાં 2 કલાકથી વધુ દલીલ ચાલી હતી. હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણીમાં PI સિવાયના અન્ય પક્ષકારોએ જવાબ રજૂ ન કરવા અને ખાનગી વકીલ ન રોકવા પર અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારના વકીલે જણાવ્યુ હતુ કે, 12 ફેબ્રૂઆરીના દિવસે આ ઘટના બની હતી અને આજ દિવસે ડૉ.ચગે નામ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી. 17 ફેબ્રૂઆરીના દિવસે ડૉ.ચગના પુત્ર હિતાર્થે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી , તેમ છતાં પોલીસ તપાસ ચાલુ જ હોવાની વાત કરી રહી છે અને FIR નોંધતી નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.