મણિનગરમાં ગાડી પરથી કાબુ ગુમાવી દેતા નબીરાએ સર્જ્યો અકસ્માત! જો સમયસર લોકો ન હટયા હોત ન ટળી હોત જાનહાની! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-24 10:11:19

અમદાવાદમાં હિટ એન્ડ રનમાં મૃત્યુ પામેલા પરિવારોના આંસુ સૂકાયા નથી, આ વાતની ચર્ચા થતી નથી અટકી, ત્યાં તો અમદાવાદના મણિનગરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો છે. રસ્તો જાણે તેમના જ માટે બનાવવામાં આવ્યો હોય તેવી રીતે અનેક લોકો ન માત્ર નબીરાઓ પરંતુ અનેક સામાન્ય માણસો વાહન ચલાવતા હોય છે. ઓવરસ્પીડિંગને કારણે અનેક અકસ્માત સર્જાયા છે. અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં લોકો કલર માટે, સોશિયલ મીડિયા પર અપલોડ કરવા માટે સ્ટંટ કરતા હોય છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં નશાના ધૂત વ્યક્તિએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને તે ગાડી બાંકડા સાથે ભટકાઈ ગઈ. બાંકડા પર બેઠેલા વ્યક્તિઓની સમયસૂચક્તાને કારણે તેમનો જીવ બચી ગયો પરંતુ મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોએ તે કારચાલકને દબોચી દઈ પોલીસને હવાલે કરી દીધો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ગાડીમાંથી અનેક બોટલો પણ મળી છે.  


બેફામ રીતે ગાડી ચલાવતા વ્યક્તિએ બાંકડા પર ચઢાવી ગાડી  

પહેલાં અમે કહેતા હતા કે રસ્તા પર વાહન ચલાવવું જોખમી છે. સાવધાની રાખી વાહન ચલાવવાની સલાહ લોકો આપતા હતા. પરંતુ હવે તો રસ્તા પર રાખવામાં આવેલા બાંકડા પર પણ બેસવું જોખમી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે રસ્તા તમારા બાપના નથી પરંતુ હવે એ કહેવાની નોબત આવી છે કે ફૂટપાથ પણ તમારા બાપની નથી. અનેક અકસ્માતો એવા જોયા છે જેમાં ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે ગાડી ફૂટપાટ પર ચઢી જતી હોય છે. થોડા દિવસો પહેલા ઈસ્કોન ખાતે બનેલી ઘટનાને લઈ ચર્ચાઓ શાંત નથી થઈ. લોકોનો રોષ શાંત નથી થયો. ત્યારે નશામાં ધૂત હોવાને કારણે એક વ્યક્તિએ મણિનગરના જવાહર ચોક પાસે આવેલા પ્રભુ એપાર્ટમેન્ટ નજીક આવેલા બાંકડા પર કાર ચડાવી દીધી. ગાડીની ટક્કર બાંકડા સાથે થઈ. આ ઘટના કાલ રાત્રે બાર વાગ્યે બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે.   


બાંકડા પર બેઠેલા વ્યક્તિઓને મળ્યું જીવનદાન! 

બાંકડા પર બે ત્રણ લોકો બેઠા હતા. સ્પીડમાં આવેલી ગાડીને જોતા તેઓ અચાનક ઉભા થઈ ગયા અને સદનસીબે તેમનો જીવ બચી ગયો. બાંકડા પર બેઠેલા લોકોનો બીજો જન્મ થયો હોય તેવી વાતો બાંકડા પર બેઠેલા લોકો કરી રહ્યા છે. મહત્વનું છે કે હિટ એન્ડ રન કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નશાની હાલતમાં ગાડી ચલાવનારાઓની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. 



આ ઘટનામાં જાનહાની ટળી પરંતુ કોઈના મોત થયા હોત તો જવાબદાર કોણ? 

જ્યાં સુધી આપણે આપણી જવાબદારી સમજી કાયદાનું પાલન નહીં કરીએ ત્યાં સુધી અનેક લોકોના જીવ આવા અકસ્માતોમાં જતા રહેશે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ થઈ હોત તો જવાબદાર કોણ હોત? ડ્રાઈવીંગ કરતી વખતે તમને ભલે પોતાના જીવની કિંમત નથી પરંતુ તમને કોઈ બીજાનો જીવ લેવાનો અધિકાર પણ નથી? તમારા માટે એ માત્ર સ્પીડની મજા હોય પરંતુ કોઈ બીજા માટે એ ઝડપની મજા મોતની સજા ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.