પોઈચા અને મોરબીમાં બની ડૂબવાની ઘટના, ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન, બાકી રહેલા લોકોને શોધવાની કોશિશ જારી


  • Published By :
  • Published Date : 2024-05-16 13:16:06

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બાકીના રહેલા લોકોની શોધખોળ ચાલી રહી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોની લાશ મળી આવી છે તેવી માહિતી સામે આવી છે.. હજુ ત્રણ લોકો લાપતા છે, અને તેમની શોધખોળ ચાલી રહી છે..  આજે પણ ત્યાં રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે... 



મચ્છુ નદીમાં ન્હાવા ગયા હતા યુવાનો અને... 

આની ચર્ચાઓ હજી શાંત થઈ ના હતી ત્યાં મોરબીથી આવી જ વ્યક્તિઓના ડૂબવાની ઘટના સામે આવી..  ત્રણ મિત્રો મચ્છુ નદીમાં ડૂબ્યા હતા જેમાંથી બે મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે.. અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.. ઘરેથી કહીને નિકળ્યા હતા કે તેઓ સ્વીમિંગ પુલમાં જાય છે પરંતુ ગયા મચ્છુ નદીમાં ન્હાવા.. મળતી માહિતી અનુસાર 7 લોકો ન્હાવા ગયા હતા જેમાંથી ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની, ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે.. બાકી રહેલા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે... 


પાણીમાં તણાઈ જતા સર્જાતી હોય છે દુર્ઘટના  

મહત્વનું છે કે પાણીમાં ડૂબી જવાને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે.. હાલ ઉનાળો ચાલી રહ્યો છે જેને કારણે ગરમીથી બચવા માટે લોકો ન્હાવા જતા હોય છે.. અજાણ્યા પાણીમાં ના જવું જોઈએ તેવી વાત અનેક વખત આપણા વડીલો દ્વારા કરવામાં આવે છે પરંતુ અનેક વખત આપણે એ વાતની અવગણના કરતા હોઈએ છીએ અને આવી દુર્ઘટના બનતી હોય છે.. 



દેશમાં કેટલા લોકોના મોત ડૂબી જવાને કારણે થયા? 

એક મીડિયા રિપોર્ટમાં એનસીઆરબીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જે મુજબ  દેશમાં વર્ષ 2022મં ડૂબી જવાને કારણે 38 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે પૈકી ગુજરાતમાં મોતનો આંક 1959 છે.. મહત્વનું છે કે થોડા સમયની અંદર જ આવી અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં લોકોના મોત ડૂબી જવાને કારણે થયા છે..  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે