પોઈચા અને મોરબીમાં બની ડૂબવાની ઘટના, ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન, બાકી રહેલા લોકોને શોધવાની કોશિશ જારી


  • Published By :
  • Published Date : 2024-05-16 13:16:06

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બાકીના રહેલા લોકોની શોધખોળ ચાલી રહી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોની લાશ મળી આવી છે તેવી માહિતી સામે આવી છે.. હજુ ત્રણ લોકો લાપતા છે, અને તેમની શોધખોળ ચાલી રહી છે..  આજે પણ ત્યાં રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે... 



મચ્છુ નદીમાં ન્હાવા ગયા હતા યુવાનો અને... 

આની ચર્ચાઓ હજી શાંત થઈ ના હતી ત્યાં મોરબીથી આવી જ વ્યક્તિઓના ડૂબવાની ઘટના સામે આવી..  ત્રણ મિત્રો મચ્છુ નદીમાં ડૂબ્યા હતા જેમાંથી બે મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે.. અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.. ઘરેથી કહીને નિકળ્યા હતા કે તેઓ સ્વીમિંગ પુલમાં જાય છે પરંતુ ગયા મચ્છુ નદીમાં ન્હાવા.. મળતી માહિતી અનુસાર 7 લોકો ન્હાવા ગયા હતા જેમાંથી ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની, ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે.. બાકી રહેલા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે... 


પાણીમાં તણાઈ જતા સર્જાતી હોય છે દુર્ઘટના  

મહત્વનું છે કે પાણીમાં ડૂબી જવાને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે.. હાલ ઉનાળો ચાલી રહ્યો છે જેને કારણે ગરમીથી બચવા માટે લોકો ન્હાવા જતા હોય છે.. અજાણ્યા પાણીમાં ના જવું જોઈએ તેવી વાત અનેક વખત આપણા વડીલો દ્વારા કરવામાં આવે છે પરંતુ અનેક વખત આપણે એ વાતની અવગણના કરતા હોઈએ છીએ અને આવી દુર્ઘટના બનતી હોય છે.. 



દેશમાં કેટલા લોકોના મોત ડૂબી જવાને કારણે થયા? 

એક મીડિયા રિપોર્ટમાં એનસીઆરબીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જે મુજબ  દેશમાં વર્ષ 2022મં ડૂબી જવાને કારણે 38 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે પૈકી ગુજરાતમાં મોતનો આંક 1959 છે.. મહત્વનું છે કે થોડા સમયની અંદર જ આવી અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં લોકોના મોત ડૂબી જવાને કારણે થયા છે..  



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.