પોઈચા અને મોરબીમાં બની ડૂબવાની ઘટના, ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન, બાકી રહેલા લોકોને શોધવાની કોશિશ જારી


  • Published By :
  • Published Date : 2024-05-16 13:16:06

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બાકીના રહેલા લોકોની શોધખોળ ચાલી રહી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોની લાશ મળી આવી છે તેવી માહિતી સામે આવી છે.. હજુ ત્રણ લોકો લાપતા છે, અને તેમની શોધખોળ ચાલી રહી છે..  આજે પણ ત્યાં રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે... 



મચ્છુ નદીમાં ન્હાવા ગયા હતા યુવાનો અને... 

આની ચર્ચાઓ હજી શાંત થઈ ના હતી ત્યાં મોરબીથી આવી જ વ્યક્તિઓના ડૂબવાની ઘટના સામે આવી..  ત્રણ મિત્રો મચ્છુ નદીમાં ડૂબ્યા હતા જેમાંથી બે મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે.. અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.. ઘરેથી કહીને નિકળ્યા હતા કે તેઓ સ્વીમિંગ પુલમાં જાય છે પરંતુ ગયા મચ્છુ નદીમાં ન્હાવા.. મળતી માહિતી અનુસાર 7 લોકો ન્હાવા ગયા હતા જેમાંથી ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની, ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે.. બાકી રહેલા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે... 


પાણીમાં તણાઈ જતા સર્જાતી હોય છે દુર્ઘટના  

મહત્વનું છે કે પાણીમાં ડૂબી જવાને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે.. હાલ ઉનાળો ચાલી રહ્યો છે જેને કારણે ગરમીથી બચવા માટે લોકો ન્હાવા જતા હોય છે.. અજાણ્યા પાણીમાં ના જવું જોઈએ તેવી વાત અનેક વખત આપણા વડીલો દ્વારા કરવામાં આવે છે પરંતુ અનેક વખત આપણે એ વાતની અવગણના કરતા હોઈએ છીએ અને આવી દુર્ઘટના બનતી હોય છે.. 



દેશમાં કેટલા લોકોના મોત ડૂબી જવાને કારણે થયા? 

એક મીડિયા રિપોર્ટમાં એનસીઆરબીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જે મુજબ  દેશમાં વર્ષ 2022મં ડૂબી જવાને કારણે 38 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે પૈકી ગુજરાતમાં મોતનો આંક 1959 છે.. મહત્વનું છે કે થોડા સમયની અંદર જ આવી અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં લોકોના મોત ડૂબી જવાને કારણે થયા છે..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.