પોઈચા અને મોરબીમાં બની ડૂબવાની ઘટના, ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન, બાકી રહેલા લોકોને શોધવાની કોશિશ જારી


  • Published By :
  • Published Date : 2024-05-16 13:16:06

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બાકીના રહેલા લોકોની શોધખોળ ચાલી રહી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોની લાશ મળી આવી છે તેવી માહિતી સામે આવી છે.. હજુ ત્રણ લોકો લાપતા છે, અને તેમની શોધખોળ ચાલી રહી છે..  આજે પણ ત્યાં રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે... 



મચ્છુ નદીમાં ન્હાવા ગયા હતા યુવાનો અને... 

આની ચર્ચાઓ હજી શાંત થઈ ના હતી ત્યાં મોરબીથી આવી જ વ્યક્તિઓના ડૂબવાની ઘટના સામે આવી..  ત્રણ મિત્રો મચ્છુ નદીમાં ડૂબ્યા હતા જેમાંથી બે મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે.. અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.. ઘરેથી કહીને નિકળ્યા હતા કે તેઓ સ્વીમિંગ પુલમાં જાય છે પરંતુ ગયા મચ્છુ નદીમાં ન્હાવા.. મળતી માહિતી અનુસાર 7 લોકો ન્હાવા ગયા હતા જેમાંથી ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની, ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે.. બાકી રહેલા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે... 


પાણીમાં તણાઈ જતા સર્જાતી હોય છે દુર્ઘટના  

મહત્વનું છે કે પાણીમાં ડૂબી જવાને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે.. હાલ ઉનાળો ચાલી રહ્યો છે જેને કારણે ગરમીથી બચવા માટે લોકો ન્હાવા જતા હોય છે.. અજાણ્યા પાણીમાં ના જવું જોઈએ તેવી વાત અનેક વખત આપણા વડીલો દ્વારા કરવામાં આવે છે પરંતુ અનેક વખત આપણે એ વાતની અવગણના કરતા હોઈએ છીએ અને આવી દુર્ઘટના બનતી હોય છે.. 



દેશમાં કેટલા લોકોના મોત ડૂબી જવાને કારણે થયા? 

એક મીડિયા રિપોર્ટમાં એનસીઆરબીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જે મુજબ  દેશમાં વર્ષ 2022મં ડૂબી જવાને કારણે 38 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે પૈકી ગુજરાતમાં મોતનો આંક 1959 છે.. મહત્વનું છે કે થોડા સમયની અંદર જ આવી અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં લોકોના મોત ડૂબી જવાને કારણે થયા છે..  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે