સુરતમાં ઝડપાયું 1.65 કરોડની કિંમતનું 1.71 કિલો MD ડ્રગ્સ, રાજસ્થાની યુવકની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 12:15:49

ગુજરાતમાં ડ્રગ્સની તસ્કરીના રેકેટ અવારનવાર પકડાતા રહે છે, રાજ્યમાં ડ્ર્ગ્સનો મોટો કારોબાર ચાલતો હોય તેવું તાજેતરમાં ઝડપાયેલા ડ્ર્ગ્સના જથ્થા પરથી જણાય છે. સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી પોલીસે કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સારોલી પોલીસે 1 કરોડ 65 લાખની કિંમતના 1.71 કિલો MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવક અજમલને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.


ડ્રગ્સ તસ્કરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા


ડ્રગ્સની તસ્કર રાજસ્થાની યુવક અજમલની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા ડ્રગ્સ માફીયાનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રરત અલી સૈયદ(31)(રહે, પ્રતાપનગર, અજમેર, રાજસ્થાન) છે અને તે ડ્રાઇવીંગનું કામ કરે છે. વધુમાં તે એમડી ડ્રગ્સ મુંબઈના નાલાસોપારા ખાતેથી બલ્લુ નામના ડ્રગ્સ માફીયા પાસેથી લઈ આવ્યો હતો. ડ્રગ્સ માફીયા લકઝરી બસમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો.


વધુ તપાસ ક્રાઇમબ્રાંચ કરશે


પોલીસની પૂછપરછમાં અજમલે આ અગાઉ ત્રણથી ચાર વખત MD ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પણ સ્વીકાર્યું છે. હાલ સારોલી પોલીસે પૂછપરછ કરીને વધુ તપાસ માટે તેને ક્રાઇમબ્રાંચને સોંપી દીધો છે. ક્રાઈમ બ્રાંચે અફઝલ આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનો હતો તે જાણવા ચક્રો ગતિમાન કર્યા છે.


હર્ષ સંઘવીએ કર્યું હતું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ


અત્રે ઉલ્લેખનિય છે કે સુરતમાં ગત 25 સપ્ટેમ્બરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સારોલી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સારોલી પોલીસ સ્ટેશન શરૂ થયા ને પહેલો કેસ ડ્રગ્સનો નોંધાયો છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.