Ahmedabad એરર્પોર્ટ પરથી પકડાયું લાખોનું Drugs! ડ્રગ્સની હેરાફેરી કરવા માટે લેવાયો પુસ્તકોનો સહારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-30 16:16:17

થોડા સમય પહેલા ગુજરાતમાંથી બહુ  મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. ગાંધીધામમાં ગુજરાત પોલીસ દ્વારા ડ્ર્ગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પહેલી વખત પકડાયો હતો. ત્યારે આજે ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગ દ્વારા પકડવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સનું લિક્વિડ ફોર્મ બનાવીને પુસ્તકના પેજ ઉપર પલાળીને સૂકવી દેવામાં આવ્યું હતું, 


પુસ્તકના પેજ ઉપર પલાળીને ડ્રગ્સને કરાતું હતું સપ્લાય!

એક સમય આપણે કહેતા હતા ઉડતા પંજાબ.. પરંતુ ટૂંક સમય જો આપણે ઉડતા ગુજરાત સાંભળીએ તો નવાઈ નહીં. કારણ કે ગુજરાતમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા 800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે આજે ફરી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. ડ્રગ્સની હેરફેર થઈ જાય અને કોઈને શક પણ ન જાય તે માટે  ખૂબ બુદ્ધિ વાપરવામાં આવી છે. ડ્રગ્સની સપ્લાય કરવા માટે પહેલા ડ્રગ્સને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કર્યા. તે ડ્રગ્સને પુસ્તકના પેજ ઉપર પલાળીને સૂકવી દેવામાં આવ્યું હતું. 

કચ્છથી વધુ એકવાર ઝડપાયો ડ્રગ્સનો જથ્થો, 800 કરોડથી વધુનું ડ્રગ્સ કરવામાં  આવ્યું જપ્ત

40 લાખથી વધુનો મળી આવ્યો ડ્રગ્સનો જથ્થો 

ગુજરાતના યુવાધન પર આની ગંભીર અસર પડે તે પહેલા જ આ ડ્રગ્સને પકડી પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 40 લાખથી વધારેનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.  સમગ્ર કૌભાંડમાં ડ્રગ્સને એક કુરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરાતું હતું. આ ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમાં સપ્લાય કરવામા આવતું હતું. એવી પણ માહિતી સામે છે  કે કેનેડા સાથે આનો સંબંધ છે કે નહીં તે અંગે તપાસ થઈ રહી છે. ડ્રગ્સ માફિયાઓ માટે જાણે ગુજરાત હોટ ફેવરિટ સ્પોટ બન્યું હોય તેમ મેફેડ્રોન ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે.

ગૃહ વિભાગનો સપાટો: છેલ્લા 12 મહિનામાં 1900 કરોડથી વધુનું ડ્રગ્સ ઝબ્બે, જુઓ  ક્યાં અને કેવી રીતે પાર પડાયા ઓપરેશન | Home Department's surface: Over 1900  crore worth of ...

ગુજરાતમાં કેટલું ડ્રગ્સ સપ્લાય થતું હશે તે આની પરથી જાણી શકાય છે!

ગુજરાતમાંથી અવાર-નવાર મળી આવતા ડ્રગ્સના પેકેટ એ વાતને સાબિત કરે છે કે ગુજરાતમાં ડ્રગ્સનો મોટો કારોબાર ચાલી રહ્યું છે. રાજ્યમાં અનેક ડ્રગ્સ માફિયાઓ હશે તે અંગે તપાસ થવી જોઈએ, અમદાવાદ ડ્રગ્સ માફિયાનું હબ બન્યું હોય તેવું લાગે છે. આ કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતું હોય તેવું પણ અનુમાન છે. સંયુક્ત ઓપરેશનમાં 2.31 લાખનુ કોકેઇન અને 46 લાખની કિંમતના 5.97 કિલો કેનાબીજ ડ્રગ્સને કબ્જે કર્યું છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.