અમદાવાદના નરોડામાં નશામાં ધૂત યુવકે બે બહેનોને ઢોર માર માર્યો, ગંભીર રીતે ઘાયલ સગીરા ICUમાં સારવાર હેઠળ


  • Published By :
  • Published Date : 2023-10-05 20:07:23

અમદાવાદા શહેરમાં ગુનાખોરી ચિંતાજનક રીતે વધી રહી છે, ધોળા દિવસે યુવતીઓની છેડતી અને તેમની સાથે મારઝૂડના કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદના નરોડા ગેલેક્સી વિસ્તારમાં એક્ટિવા પર જતી બે બહેનોને નશામાં ધૂત યુવકે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરા એક્ટીવા પરથી પડી જતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનામાં એક્ટિવાને ધક્કો મારી બંને બહેનોને નીચે પાડી મૂઢ માર માર્યો હતો. તેમજ એક યુવતીને ઢસેડી ઢસેડીને માર મારવાની વિગતો સામે આવી છે. સરદારનગર વિસ્તારમાં બનેલી આ ઘટના ખૂબ જ ચોંકાવનારી ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને આરોપીને પોલીસે પકડી લીધા છે આ સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી તથા માર મારવા સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.




શું છે સમગ્ર મામલો?


નરોડા ગેલેક્સી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી 28 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. તેણે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં હિતેશ રાવલ સામે એટ્રોસિટી તથા મારામારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, તે એક્ટિવા પર નોકરીએથી ઘરે પરત આવી રહી હતી તે સમયે 17 વર્ષીય નાની બહેનને પણ પાછળ બેસાડી હતી. જે બાદ સોસાયટી નજીક બંને બહેનો એક્ટિવા લઈ પહોંચી હતી. જ્યાં એક યુવક રોડની વચ્ચોવચ્ચ ચાલી રહ્યો હતો. જેથી ફરિયાદીએ હોર્ન વગાડતા આ યુવકે ઉશ્કેરાઈને છૂટ્ટી બોટલ મારતા એક્ટિવા પર પાછળ બેઠેલી નાની બહેનને વાગી હતી. જે બાદ આરોપીએ ત્યાં દોડી જઈ એક્ટિવા પર સવાર બંને બહેનોને નીચે પાડી મૂઢ માર મારવા લાગ્યો હતો. યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અને બંને બહેનોને બચાવી હતી. જો કે તે યુવતીની નાની બહેન ગંભીર રીતે ઘાયલ થતાં તેને હાલ  આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હુમલો કરનાર યુવક ફરિયાદીની નજીક આવેલી એક સોસાયટીમાં રહે છે અને તેની ઓળખ હિતેશ રાવલ તરીકે થઈ છે, આ આરોપીએ નશાની હાલતમાં હુમલો કર્યો હોવાની વાત બહાર આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે