અમદાવાદના નરોડામાં નશામાં ધૂત યુવકે બે બહેનોને ઢોર માર માર્યો, ગંભીર રીતે ઘાયલ સગીરા ICUમાં સારવાર હેઠળ


  • Published By :
  • Published Date : 2023-10-05 20:07:23

અમદાવાદા શહેરમાં ગુનાખોરી ચિંતાજનક રીતે વધી રહી છે, ધોળા દિવસે યુવતીઓની છેડતી અને તેમની સાથે મારઝૂડના કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદના નરોડા ગેલેક્સી વિસ્તારમાં એક્ટિવા પર જતી બે બહેનોને નશામાં ધૂત યુવકે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરા એક્ટીવા પરથી પડી જતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનામાં એક્ટિવાને ધક્કો મારી બંને બહેનોને નીચે પાડી મૂઢ માર માર્યો હતો. તેમજ એક યુવતીને ઢસેડી ઢસેડીને માર મારવાની વિગતો સામે આવી છે. સરદારનગર વિસ્તારમાં બનેલી આ ઘટના ખૂબ જ ચોંકાવનારી ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને આરોપીને પોલીસે પકડી લીધા છે આ સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી તથા માર મારવા સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.




શું છે સમગ્ર મામલો?


નરોડા ગેલેક્સી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી 28 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. તેણે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં હિતેશ રાવલ સામે એટ્રોસિટી તથા મારામારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, તે એક્ટિવા પર નોકરીએથી ઘરે પરત આવી રહી હતી તે સમયે 17 વર્ષીય નાની બહેનને પણ પાછળ બેસાડી હતી. જે બાદ સોસાયટી નજીક બંને બહેનો એક્ટિવા લઈ પહોંચી હતી. જ્યાં એક યુવક રોડની વચ્ચોવચ્ચ ચાલી રહ્યો હતો. જેથી ફરિયાદીએ હોર્ન વગાડતા આ યુવકે ઉશ્કેરાઈને છૂટ્ટી બોટલ મારતા એક્ટિવા પર પાછળ બેઠેલી નાની બહેનને વાગી હતી. જે બાદ આરોપીએ ત્યાં દોડી જઈ એક્ટિવા પર સવાર બંને બહેનોને નીચે પાડી મૂઢ માર મારવા લાગ્યો હતો. યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અને બંને બહેનોને બચાવી હતી. જો કે તે યુવતીની નાની બહેન ગંભીર રીતે ઘાયલ થતાં તેને હાલ  આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હુમલો કરનાર યુવક ફરિયાદીની નજીક આવેલી એક સોસાયટીમાં રહે છે અને તેની ઓળખ હિતેશ રાવલ તરીકે થઈ છે, આ આરોપીએ નશાની હાલતમાં હુમલો કર્યો હોવાની વાત બહાર આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.