આતંકવાદને લઇને ટ્રમ્પનું બેવડું વલણ ફરી એકવાર સામે આવ્યું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-13 18:04:20

હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે. અમેરિકાનું હંમેશાથી ભારતીય ઉપમહાદ્વીપના બેઉ દેશો ભારત અને પાકિસ્તાન વિશે બેવડું વલણ રહ્યું છે.

Could Donald Trump be facing serious legal trouble ahead? (Editorial) -  masslive.com

૧૯૬૦ના દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તે દરમ્યાન , અમેરિકા અને પશ્ચિમી દેશોએ પાકિસ્તાનને આધુનિક હથિયારો આપ્યા આપણી વિરુદ્ધમાં લડવા માટે૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પણ બંગાળની ખાડીમાં USS એન્ટરપ્રાઇઝ નામનું વિમાનવાહક જહાજ ભારત પર આક્રમણ કરવા મોકલ્યું હતું પરંતુ તે વખતે સોવિયેત યુનિયનના દબાણ આગળ અમેરિકાએ ઝૂકવું પડ્યું . હવે પહલગામના આતંકી હુમલા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ સામે આવ્યું છે.  આપને જાણીને નવાઈ થશે કે , ૯/૧૧ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં છુપાયેલો હતો . એ વખતે જ અમેરિકાની આંખ ખુલવી જોઇતી હતી તેમ છતાં હજુ પણ અમેરિકાનું બેવડું વલણ યથાવત છે. આજ અમેરિકાએ એક તરફ 9 / 11ના હુમલા પછી અફઘાનિસ્તાનમાં ઓપરેશન એન્ડ્યોરિંગ  ફ્રીડમ લોન્ચ કર્યું હતું , આ પછી ઇરાકમાં ઓપરેશન ઈરાકી ફ્રીડમ લોન્ચ કર્યું હતું . હવે આ જ અમેરિકા પાકિસ્તાન સાથે વ્યાપાર કરવા તૈયાર થયું છે એટલુંજ નહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્તી સમાધાન કરાવવા માંગે છે. આપણે એ પણ ના ભૂલવું જોઇએ કે આજ અમેરિકા અને પશ્ચિમી દેશોએ IMF થકી એક સહાય પાકિસ્તાન માટે મંજુર કરી દીધી છે. તો આ બેવડું વલણ નથી તો શું છે? તમે જે આતંકવાદની સામે લડાઈ લડો તે ખરો આતંકવાદ  બીજા દેશોની લડાઈ ખોટી થઇ ગઈ . આમ અમેરિકાનું ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું જે મહોરું છે આતંકવાદને લઇને તે સમગ્ર દુનિયા સામે છતું થયું છે. 

After Operation Sindoor, a diminished terror landscape - Hindustan Times

 હવે ડોનાલ્ડ ટ્રમ્પને બાપ બનવું છે . તમે પાકિસ્તાનના બાપ બનો , પાકિસ્તાન સામે જગતજમાદારી કરો પરંતુ ભારત કોઈ પણ કિંમતે અમેરિકાની જગતજમાદારી નઈ સ્વીકારે . આઝાદી વખતે ભારતની નીતિ બિનજોડાણવાદની હતી , હાલમાં ભારતે મલ્ટીલેટરાલીઝમ એટલેકે , બહુપક્ષીયવાદની નીતિ અપનાવી છે . એટલેકે , ભારત કોઈ પણ દેશની જગતજમાદારી પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધમાં નથી સ્વીકારતું .    




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.