આતંકવાદને લઇને ટ્રમ્પનું બેવડું વલણ ફરી એકવાર સામે આવ્યું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-13 18:04:20

હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે. અમેરિકાનું હંમેશાથી ભારતીય ઉપમહાદ્વીપના બેઉ દેશો ભારત અને પાકિસ્તાન વિશે બેવડું વલણ રહ્યું છે.

Could Donald Trump be facing serious legal trouble ahead? (Editorial) -  masslive.com

૧૯૬૦ના દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તે દરમ્યાન , અમેરિકા અને પશ્ચિમી દેશોએ પાકિસ્તાનને આધુનિક હથિયારો આપ્યા આપણી વિરુદ્ધમાં લડવા માટે૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પણ બંગાળની ખાડીમાં USS એન્ટરપ્રાઇઝ નામનું વિમાનવાહક જહાજ ભારત પર આક્રમણ કરવા મોકલ્યું હતું પરંતુ તે વખતે સોવિયેત યુનિયનના દબાણ આગળ અમેરિકાએ ઝૂકવું પડ્યું . હવે પહલગામના આતંકી હુમલા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ સામે આવ્યું છે.  આપને જાણીને નવાઈ થશે કે , ૯/૧૧ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં છુપાયેલો હતો . એ વખતે જ અમેરિકાની આંખ ખુલવી જોઇતી હતી તેમ છતાં હજુ પણ અમેરિકાનું બેવડું વલણ યથાવત છે. આજ અમેરિકાએ એક તરફ 9 / 11ના હુમલા પછી અફઘાનિસ્તાનમાં ઓપરેશન એન્ડ્યોરિંગ  ફ્રીડમ લોન્ચ કર્યું હતું , આ પછી ઇરાકમાં ઓપરેશન ઈરાકી ફ્રીડમ લોન્ચ કર્યું હતું . હવે આ જ અમેરિકા પાકિસ્તાન સાથે વ્યાપાર કરવા તૈયાર થયું છે એટલુંજ નહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્તી સમાધાન કરાવવા માંગે છે. આપણે એ પણ ના ભૂલવું જોઇએ કે આજ અમેરિકા અને પશ્ચિમી દેશોએ IMF થકી એક સહાય પાકિસ્તાન માટે મંજુર કરી દીધી છે. તો આ બેવડું વલણ નથી તો શું છે? તમે જે આતંકવાદની સામે લડાઈ લડો તે ખરો આતંકવાદ  બીજા દેશોની લડાઈ ખોટી થઇ ગઈ . આમ અમેરિકાનું ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું જે મહોરું છે આતંકવાદને લઇને તે સમગ્ર દુનિયા સામે છતું થયું છે. 

After Operation Sindoor, a diminished terror landscape - Hindustan Times

 હવે ડોનાલ્ડ ટ્રમ્પને બાપ બનવું છે . તમે પાકિસ્તાનના બાપ બનો , પાકિસ્તાન સામે જગતજમાદારી કરો પરંતુ ભારત કોઈ પણ કિંમતે અમેરિકાની જગતજમાદારી નઈ સ્વીકારે . આઝાદી વખતે ભારતની નીતિ બિનજોડાણવાદની હતી , હાલમાં ભારતે મલ્ટીલેટરાલીઝમ એટલેકે , બહુપક્ષીયવાદની નીતિ અપનાવી છે . એટલેકે , ભારત કોઈ પણ દેશની જગતજમાદારી પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધમાં નથી સ્વીકારતું .    




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.