આતંકવાદને લઇને ટ્રમ્પનું બેવડું વલણ ફરી એકવાર સામે આવ્યું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-13 18:04:20

હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે. અમેરિકાનું હંમેશાથી ભારતીય ઉપમહાદ્વીપના બેઉ દેશો ભારત અને પાકિસ્તાન વિશે બેવડું વલણ રહ્યું છે.

Could Donald Trump be facing serious legal trouble ahead? (Editorial) -  masslive.com

૧૯૬૦ના દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તે દરમ્યાન , અમેરિકા અને પશ્ચિમી દેશોએ પાકિસ્તાનને આધુનિક હથિયારો આપ્યા આપણી વિરુદ્ધમાં લડવા માટે૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પણ બંગાળની ખાડીમાં USS એન્ટરપ્રાઇઝ નામનું વિમાનવાહક જહાજ ભારત પર આક્રમણ કરવા મોકલ્યું હતું પરંતુ તે વખતે સોવિયેત યુનિયનના દબાણ આગળ અમેરિકાએ ઝૂકવું પડ્યું . હવે પહલગામના આતંકી હુમલા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ સામે આવ્યું છે.  આપને જાણીને નવાઈ થશે કે , ૯/૧૧ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં છુપાયેલો હતો . એ વખતે જ અમેરિકાની આંખ ખુલવી જોઇતી હતી તેમ છતાં હજુ પણ અમેરિકાનું બેવડું વલણ યથાવત છે. આજ અમેરિકાએ એક તરફ 9 / 11ના હુમલા પછી અફઘાનિસ્તાનમાં ઓપરેશન એન્ડ્યોરિંગ  ફ્રીડમ લોન્ચ કર્યું હતું , આ પછી ઇરાકમાં ઓપરેશન ઈરાકી ફ્રીડમ લોન્ચ કર્યું હતું . હવે આ જ અમેરિકા પાકિસ્તાન સાથે વ્યાપાર કરવા તૈયાર થયું છે એટલુંજ નહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્તી સમાધાન કરાવવા માંગે છે. આપણે એ પણ ના ભૂલવું જોઇએ કે આજ અમેરિકા અને પશ્ચિમી દેશોએ IMF થકી એક સહાય પાકિસ્તાન માટે મંજુર કરી દીધી છે. તો આ બેવડું વલણ નથી તો શું છે? તમે જે આતંકવાદની સામે લડાઈ લડો તે ખરો આતંકવાદ  બીજા દેશોની લડાઈ ખોટી થઇ ગઈ . આમ અમેરિકાનું ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું જે મહોરું છે આતંકવાદને લઇને તે સમગ્ર દુનિયા સામે છતું થયું છે. 

After Operation Sindoor, a diminished terror landscape - Hindustan Times

 હવે ડોનાલ્ડ ટ્રમ્પને બાપ બનવું છે . તમે પાકિસ્તાનના બાપ બનો , પાકિસ્તાન સામે જગતજમાદારી કરો પરંતુ ભારત કોઈ પણ કિંમતે અમેરિકાની જગતજમાદારી નઈ સ્વીકારે . આઝાદી વખતે ભારતની નીતિ બિનજોડાણવાદની હતી , હાલમાં ભારતે મલ્ટીલેટરાલીઝમ એટલેકે , બહુપક્ષીયવાદની નીતિ અપનાવી છે . એટલેકે , ભારત કોઈ પણ દેશની જગતજમાદારી પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધમાં નથી સ્વીકારતું .    




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.