આતંકવાદને લઇને ટ્રમ્પનું બેવડું વલણ ફરી એકવાર સામે આવ્યું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-13 18:04:20

હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે. અમેરિકાનું હંમેશાથી ભારતીય ઉપમહાદ્વીપના બેઉ દેશો ભારત અને પાકિસ્તાન વિશે બેવડું વલણ રહ્યું છે.

Could Donald Trump be facing serious legal trouble ahead? (Editorial) -  masslive.com

૧૯૬૦ના દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તે દરમ્યાન , અમેરિકા અને પશ્ચિમી દેશોએ પાકિસ્તાનને આધુનિક હથિયારો આપ્યા આપણી વિરુદ્ધમાં લડવા માટે૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પણ બંગાળની ખાડીમાં USS એન્ટરપ્રાઇઝ નામનું વિમાનવાહક જહાજ ભારત પર આક્રમણ કરવા મોકલ્યું હતું પરંતુ તે વખતે સોવિયેત યુનિયનના દબાણ આગળ અમેરિકાએ ઝૂકવું પડ્યું . હવે પહલગામના આતંકી હુમલા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ સામે આવ્યું છે.  આપને જાણીને નવાઈ થશે કે , ૯/૧૧ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં છુપાયેલો હતો . એ વખતે જ અમેરિકાની આંખ ખુલવી જોઇતી હતી તેમ છતાં હજુ પણ અમેરિકાનું બેવડું વલણ યથાવત છે. આજ અમેરિકાએ એક તરફ 9 / 11ના હુમલા પછી અફઘાનિસ્તાનમાં ઓપરેશન એન્ડ્યોરિંગ  ફ્રીડમ લોન્ચ કર્યું હતું , આ પછી ઇરાકમાં ઓપરેશન ઈરાકી ફ્રીડમ લોન્ચ કર્યું હતું . હવે આ જ અમેરિકા પાકિસ્તાન સાથે વ્યાપાર કરવા તૈયાર થયું છે એટલુંજ નહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્તી સમાધાન કરાવવા માંગે છે. આપણે એ પણ ના ભૂલવું જોઇએ કે આજ અમેરિકા અને પશ્ચિમી દેશોએ IMF થકી એક સહાય પાકિસ્તાન માટે મંજુર કરી દીધી છે. તો આ બેવડું વલણ નથી તો શું છે? તમે જે આતંકવાદની સામે લડાઈ લડો તે ખરો આતંકવાદ  બીજા દેશોની લડાઈ ખોટી થઇ ગઈ . આમ અમેરિકાનું ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું જે મહોરું છે આતંકવાદને લઇને તે સમગ્ર દુનિયા સામે છતું થયું છે. 

After Operation Sindoor, a diminished terror landscape - Hindustan Times

 હવે ડોનાલ્ડ ટ્રમ્પને બાપ બનવું છે . તમે પાકિસ્તાનના બાપ બનો , પાકિસ્તાન સામે જગતજમાદારી કરો પરંતુ ભારત કોઈ પણ કિંમતે અમેરિકાની જગતજમાદારી નઈ સ્વીકારે . આઝાદી વખતે ભારતની નીતિ બિનજોડાણવાદની હતી , હાલમાં ભારતે મલ્ટીલેટરાલીઝમ એટલેકે , બહુપક્ષીયવાદની નીતિ અપનાવી છે . એટલેકે , ભારત કોઈ પણ દેશની જગતજમાદારી પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધમાં નથી સ્વીકારતું .    




દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.