દુબઈમાં ભારતીયોએ 2022માં રૂ.35 હજાર કરોડના મકાનો ખરીદ્યા, દુબઈનું આકર્ષણ શા માટે?


  • Published By :
  • Published Date : 2023-02-05 20:23:29

ભારતીયોને દુબઈનું ગજબનું આકર્ષણ છે, ટુરિઝમ હબ તરીકે વિખ્યાત ડાઉનટાઉન દુબઈમાં અનેક મોલ, સ્કાયસ્ક્રેપર્સ અને બુર્જ ખલીફા છે. પહેલા ભારતીયો પર્યટન માટે દુબઈ જતા હતા પણ હવે તો મોટી સંખ્યામાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ગત વર્ષે એટલે કે 2022માં ભારતીયોએ દુબઈમાં 16 બિલિયન દિરહમ (35,500 કરોડ રૂપિયા)ની પ્રોપર્ટી ખરીદી છે. ગત વર્ષે જે લોકોએ ઘર ખરીદ્યા તે 40 ટકા લોકોમાં દિલ્હી-એનસીઆર, અમદાવાદ, સુરત, હૈદરાબાદ, અને પંજાબથી આવે છે. 


શા માટે ભારતીયો દુબઈમાં પ્રોપર્ટી ખરીદે છે?


દૂબઈમાં સૌથી વધુ પ્રોપર્ટી ખરીદદારોમાં મલ્ટીનેશનલ કંપનીઓના સિનિયર એક્ઝિક્યુટીવ છે. કોવિડ બાદ પ્રોપર્ટીના ભાવમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત દુબઈમાં દુનિયા સાથે કનેક્ટિવિટી સારી છે. તેથી લોકો સરળતાથી લંડન, ન્યુયોર્ક કે અન્ય શહેરોમાં પર્યટન કરી શકે છે. તે ઉપરાંત વર્લ્ડ ક્લાસ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દુનિયાભરના લોકોને આકર્ષિત કરે છે. દુબઈમાં અનેક ઈન્ટરનેશનલ સ્કૂલ છે. આ બધા કારણોથી ભારતીયોને દુબઈ ખુબ જ પસંદ આવી રહ્યું છે.


દુબઈમાં મકાનો કેટલા મોંઘા?


દુબઈમાં કુલ રિયલ્ટી સેલ્સમાં ભારતીયોની ભાગીદારી 15-20 ટકા છે. ભારતીયો દુબઈમાં જે ઘર ખરીદે છે તેની કિંમત 1.6 મિલિયન દિરહમ  (3.6 કરોડથી 3.8 કરોડ રૂપિયા) છે. આ પ્રોપર્ટીઝનું મહિનાનું ભાડું 3 લાખ રૂપિયાથી 3.5 લાખ રૂપિયા સુધીનું છે. દુબઈમાં પ્રોપર્ટીઝના ભાડાની થતો નફો 4% થી 5% જેટલો રહે છે. 


દુબઈને ગોલ્ડન વિઝા પ્રોગ્રામથી લાભ


UAE એ ગોલ્ડન વિઝા પ્રોગ્રામને 2022 માં 2022 સુધી લંબાવ્યો હતો. નિષ્ણાતોના મતે આનાથી દુબઈના રિયલ્ટી સેક્ટરને વધુ પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રોગ્રામ દ્વારા, વિદેશી પ્રતિભાઓને UAEમાં રહેવા, કામ કરવાની અથવા અભ્યાસ કરવાની તક મળે છે અને કેટલાક વિશેષ લાભો પણ મળે છે.




અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.