દુબઈમાં ભારતીયોએ 2022માં રૂ.35 હજાર કરોડના મકાનો ખરીદ્યા, દુબઈનું આકર્ષણ શા માટે?


  • Published By :
  • Published Date : 2023-02-05 20:23:29

ભારતીયોને દુબઈનું ગજબનું આકર્ષણ છે, ટુરિઝમ હબ તરીકે વિખ્યાત ડાઉનટાઉન દુબઈમાં અનેક મોલ, સ્કાયસ્ક્રેપર્સ અને બુર્જ ખલીફા છે. પહેલા ભારતીયો પર્યટન માટે દુબઈ જતા હતા પણ હવે તો મોટી સંખ્યામાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ગત વર્ષે એટલે કે 2022માં ભારતીયોએ દુબઈમાં 16 બિલિયન દિરહમ (35,500 કરોડ રૂપિયા)ની પ્રોપર્ટી ખરીદી છે. ગત વર્ષે જે લોકોએ ઘર ખરીદ્યા તે 40 ટકા લોકોમાં દિલ્હી-એનસીઆર, અમદાવાદ, સુરત, હૈદરાબાદ, અને પંજાબથી આવે છે. 


શા માટે ભારતીયો દુબઈમાં પ્રોપર્ટી ખરીદે છે?


દૂબઈમાં સૌથી વધુ પ્રોપર્ટી ખરીદદારોમાં મલ્ટીનેશનલ કંપનીઓના સિનિયર એક્ઝિક્યુટીવ છે. કોવિડ બાદ પ્રોપર્ટીના ભાવમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત દુબઈમાં દુનિયા સાથે કનેક્ટિવિટી સારી છે. તેથી લોકો સરળતાથી લંડન, ન્યુયોર્ક કે અન્ય શહેરોમાં પર્યટન કરી શકે છે. તે ઉપરાંત વર્લ્ડ ક્લાસ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દુનિયાભરના લોકોને આકર્ષિત કરે છે. દુબઈમાં અનેક ઈન્ટરનેશનલ સ્કૂલ છે. આ બધા કારણોથી ભારતીયોને દુબઈ ખુબ જ પસંદ આવી રહ્યું છે.


દુબઈમાં મકાનો કેટલા મોંઘા?


દુબઈમાં કુલ રિયલ્ટી સેલ્સમાં ભારતીયોની ભાગીદારી 15-20 ટકા છે. ભારતીયો દુબઈમાં જે ઘર ખરીદે છે તેની કિંમત 1.6 મિલિયન દિરહમ  (3.6 કરોડથી 3.8 કરોડ રૂપિયા) છે. આ પ્રોપર્ટીઝનું મહિનાનું ભાડું 3 લાખ રૂપિયાથી 3.5 લાખ રૂપિયા સુધીનું છે. દુબઈમાં પ્રોપર્ટીઝના ભાડાની થતો નફો 4% થી 5% જેટલો રહે છે. 


દુબઈને ગોલ્ડન વિઝા પ્રોગ્રામથી લાભ


UAE એ ગોલ્ડન વિઝા પ્રોગ્રામને 2022 માં 2022 સુધી લંબાવ્યો હતો. નિષ્ણાતોના મતે આનાથી દુબઈના રિયલ્ટી સેક્ટરને વધુ પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રોગ્રામ દ્વારા, વિદેશી પ્રતિભાઓને UAEમાં રહેવા, કામ કરવાની અથવા અભ્યાસ કરવાની તક મળે છે અને કેટલાક વિશેષ લાભો પણ મળે છે.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.