દુબઈમાં ભારતીયોએ 2022માં રૂ.35 હજાર કરોડના મકાનો ખરીદ્યા, દુબઈનું આકર્ષણ શા માટે?


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-02-05 20:23:29

ભારતીયોને દુબઈનું ગજબનું આકર્ષણ છે, ટુરિઝમ હબ તરીકે વિખ્યાત ડાઉનટાઉન દુબઈમાં અનેક મોલ, સ્કાયસ્ક્રેપર્સ અને બુર્જ ખલીફા છે. પહેલા ભારતીયો પર્યટન માટે દુબઈ જતા હતા પણ હવે તો મોટી સંખ્યામાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ગત વર્ષે એટલે કે 2022માં ભારતીયોએ દુબઈમાં 16 બિલિયન દિરહમ (35,500 કરોડ રૂપિયા)ની પ્રોપર્ટી ખરીદી છે. ગત વર્ષે જે લોકોએ ઘર ખરીદ્યા તે 40 ટકા લોકોમાં દિલ્હી-એનસીઆર, અમદાવાદ, સુરત, હૈદરાબાદ, અને પંજાબથી આવે છે. 


શા માટે ભારતીયો દુબઈમાં પ્રોપર્ટી ખરીદે છે?


દૂબઈમાં સૌથી વધુ પ્રોપર્ટી ખરીદદારોમાં મલ્ટીનેશનલ કંપનીઓના સિનિયર એક્ઝિક્યુટીવ છે. કોવિડ બાદ પ્રોપર્ટીના ભાવમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત દુબઈમાં દુનિયા સાથે કનેક્ટિવિટી સારી છે. તેથી લોકો સરળતાથી લંડન, ન્યુયોર્ક કે અન્ય શહેરોમાં પર્યટન કરી શકે છે. તે ઉપરાંત વર્લ્ડ ક્લાસ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દુનિયાભરના લોકોને આકર્ષિત કરે છે. દુબઈમાં અનેક ઈન્ટરનેશનલ સ્કૂલ છે. આ બધા કારણોથી ભારતીયોને દુબઈ ખુબ જ પસંદ આવી રહ્યું છે.


દુબઈમાં મકાનો કેટલા મોંઘા?


દુબઈમાં કુલ રિયલ્ટી સેલ્સમાં ભારતીયોની ભાગીદારી 15-20 ટકા છે. ભારતીયો દુબઈમાં જે ઘર ખરીદે છે તેની કિંમત 1.6 મિલિયન દિરહમ  (3.6 કરોડથી 3.8 કરોડ રૂપિયા) છે. આ પ્રોપર્ટીઝનું મહિનાનું ભાડું 3 લાખ રૂપિયાથી 3.5 લાખ રૂપિયા સુધીનું છે. દુબઈમાં પ્રોપર્ટીઝના ભાડાની થતો નફો 4% થી 5% જેટલો રહે છે. 


દુબઈને ગોલ્ડન વિઝા પ્રોગ્રામથી લાભ


UAE એ ગોલ્ડન વિઝા પ્રોગ્રામને 2022 માં 2022 સુધી લંબાવ્યો હતો. નિષ્ણાતોના મતે આનાથી દુબઈના રિયલ્ટી સેક્ટરને વધુ પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રોગ્રામ દ્વારા, વિદેશી પ્રતિભાઓને UAEમાં રહેવા, કામ કરવાની અથવા અભ્યાસ કરવાની તક મળે છે અને કેટલાક વિશેષ લાભો પણ મળે છે.




ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.