ગોંડલથી ફોન આવવા પર પદ્મિની બા વાળાએ ઝૂકવાની ના પડી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-06 18:14:26

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે . 

PT Jadeja denies rumours of resigning from Kshatriya Sankalan Samiti | PT  Jadeja denies rumours of resigning from Kshatriya Sankalan Samiti - Gujarat  Samachar

રાજકોટ અમરનાથ મંદિરમાં આરતી કરવાની ના પાડવા પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી . આ પછી પોલીસે પાસા એટલેકે , (ગુજરાત પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ ધરપકડ કરી તેમને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા છે. તો હવે આ બાબતે , મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિની વાળા પર ગોંડલથી એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે જેમાં આ વ્યક્તિ પદ્મિની બા વાળાને કહે છે , તમે કેમ કોઈના વિશે જેમતેમ બોલો છો . આ પછી , પદ્મિની બા વાળા અને આ અજાણ્યા શક્શ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે.  આમ પદ્મિની બા વાળાએ અજાણ્યા શક્સને કહી દીધું છે કે , કોઈ પણ પ્રકારનું દબાણ ગોંડલથી ચાલશે નહિ.  ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાની ધરપકડ પર  પદ્મિની બા વાળાએ કહ્યું છે કે, પીટી જાડેજાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સરકારની આ ચોખી તાનાશાહી છે. પીટી મામાને ખરાબ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ સહેજ પણ સાંખી  નહિ લે . આમાં ન્યાય મળવો જોઈએ. ૨૪ કલાકમાં આનું રિઝલ્ટ આવવું જોઈએ. નહીંતર ક્ષત્રિય સમાજ રોડ પર ઉતરશે. 

ક્ષત્રિય આંદોલન વચ્ચે પદ્મિનીબા વાળાનો ઑડિયો વાયરલ, સંકલન સમિતિ સામે  નારાજગી | Kshatriya Andolan Vachche Padmini Ba Vala No Audio Viral, Sankal  Samiti Same Narajgi

ક્ષત્રિય આંદોલનના નેતા પી ટી જાડેજા ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. કેમ કે , જસ્મીન મકવાણા નામના વ્યક્તિએ , રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. થયું છે એવું કે , રાજકોટમાં દોઢ સો ફૂટ રિંગ રોડ પર બિગ બજારની પાછળ અમરનાથ મંદિર આવેલું છે. મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું . તેની માટે મંદિર બહાર બેનરો પણ લગાવવામાં આવ્યા હતા . પરંતુ જસ્મીન મકવાણા નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે કે , ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ મંદિરમાં આરતી બંધ કરવા ધમકી આપી છે .  સાથેજ મંદિરની બહાર જે બેનરો હતા તેને પણ કઢાવી નાખવામાં આવ્યા છે.  તો હવે આ બાબતે પોલીસે કાર્યવાહી કરતા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ કરી છે.




ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.

ગુજરાત ભાજપ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળી શકે છે. આજે અથવા આવતીકાલે પ્રમુખપદની ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર થઇ શકે છે. પરમ દિવસથી એટલેકે , એક દિવસની અંદર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે. આ ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે .

પેસિફિક સમુદ્રમાં આવેલા દેશ ફિલિપાઇન્સમાં ભૂકંપે તબાહી મચાવી છે. ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં, સીબુ પ્રાંતમાં 30 સપ્ટેમ્બર 2025ની રાત્રે 6.9 મેગ્નિટ્યુડનો મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 69 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા. આ ભૂકંપ બોગો શહેરની નજીક સમુદ્રમાં આવ્યો હતો, જેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી, અને તેના કારણે ઘણી ઇમારતો, જેમાં 100 વર્ષ જૂના એક ચર્ચનો પણ સમાવેશ થાય છે. વીજળી કટોકટી, પાણીની અછત અને આફ્ટરશોક્સના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો .