ગોંડલથી ફોન આવવા પર પદ્મિની બા વાળાએ ઝૂકવાની ના પડી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-06 18:14:26

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે . 

PT Jadeja denies rumours of resigning from Kshatriya Sankalan Samiti | PT  Jadeja denies rumours of resigning from Kshatriya Sankalan Samiti - Gujarat  Samachar

રાજકોટ અમરનાથ મંદિરમાં આરતી કરવાની ના પાડવા પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી . આ પછી પોલીસે પાસા એટલેકે , (ગુજરાત પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ ધરપકડ કરી તેમને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા છે. તો હવે આ બાબતે , મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિની વાળા પર ગોંડલથી એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે જેમાં આ વ્યક્તિ પદ્મિની બા વાળાને કહે છે , તમે કેમ કોઈના વિશે જેમતેમ બોલો છો . આ પછી , પદ્મિની બા વાળા અને આ અજાણ્યા શક્શ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે.  આમ પદ્મિની બા વાળાએ અજાણ્યા શક્સને કહી દીધું છે કે , કોઈ પણ પ્રકારનું દબાણ ગોંડલથી ચાલશે નહિ.  ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાની ધરપકડ પર  પદ્મિની બા વાળાએ કહ્યું છે કે, પીટી જાડેજાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સરકારની આ ચોખી તાનાશાહી છે. પીટી મામાને ખરાબ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ સહેજ પણ સાંખી  નહિ લે . આમાં ન્યાય મળવો જોઈએ. ૨૪ કલાકમાં આનું રિઝલ્ટ આવવું જોઈએ. નહીંતર ક્ષત્રિય સમાજ રોડ પર ઉતરશે. 

ક્ષત્રિય આંદોલન વચ્ચે પદ્મિનીબા વાળાનો ઑડિયો વાયરલ, સંકલન સમિતિ સામે  નારાજગી | Kshatriya Andolan Vachche Padmini Ba Vala No Audio Viral, Sankal  Samiti Same Narajgi

ક્ષત્રિય આંદોલનના નેતા પી ટી જાડેજા ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. કેમ કે , જસ્મીન મકવાણા નામના વ્યક્તિએ , રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. થયું છે એવું કે , રાજકોટમાં દોઢ સો ફૂટ રિંગ રોડ પર બિગ બજારની પાછળ અમરનાથ મંદિર આવેલું છે. મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું . તેની માટે મંદિર બહાર બેનરો પણ લગાવવામાં આવ્યા હતા . પરંતુ જસ્મીન મકવાણા નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે કે , ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ મંદિરમાં આરતી બંધ કરવા ધમકી આપી છે .  સાથેજ મંદિરની બહાર જે બેનરો હતા તેને પણ કઢાવી નાખવામાં આવ્યા છે.  તો હવે આ બાબતે પોલીસે કાર્યવાહી કરતા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ કરી છે.




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.