ગોંડલથી ફોન આવવા પર પદ્મિની બા વાળાએ ઝૂકવાની ના પડી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-06 18:14:26

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે . 

PT Jadeja denies rumours of resigning from Kshatriya Sankalan Samiti | PT  Jadeja denies rumours of resigning from Kshatriya Sankalan Samiti - Gujarat  Samachar

રાજકોટ અમરનાથ મંદિરમાં આરતી કરવાની ના પાડવા પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી . આ પછી પોલીસે પાસા એટલેકે , (ગુજરાત પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ ધરપકડ કરી તેમને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા છે. તો હવે આ બાબતે , મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિની વાળા પર ગોંડલથી એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે જેમાં આ વ્યક્તિ પદ્મિની બા વાળાને કહે છે , તમે કેમ કોઈના વિશે જેમતેમ બોલો છો . આ પછી , પદ્મિની બા વાળા અને આ અજાણ્યા શક્શ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે.  આમ પદ્મિની બા વાળાએ અજાણ્યા શક્સને કહી દીધું છે કે , કોઈ પણ પ્રકારનું દબાણ ગોંડલથી ચાલશે નહિ.  ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાની ધરપકડ પર  પદ્મિની બા વાળાએ કહ્યું છે કે, પીટી જાડેજાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સરકારની આ ચોખી તાનાશાહી છે. પીટી મામાને ખરાબ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ સહેજ પણ સાંખી  નહિ લે . આમાં ન્યાય મળવો જોઈએ. ૨૪ કલાકમાં આનું રિઝલ્ટ આવવું જોઈએ. નહીંતર ક્ષત્રિય સમાજ રોડ પર ઉતરશે. 

ક્ષત્રિય આંદોલન વચ્ચે પદ્મિનીબા વાળાનો ઑડિયો વાયરલ, સંકલન સમિતિ સામે  નારાજગી | Kshatriya Andolan Vachche Padmini Ba Vala No Audio Viral, Sankal  Samiti Same Narajgi

ક્ષત્રિય આંદોલનના નેતા પી ટી જાડેજા ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. કેમ કે , જસ્મીન મકવાણા નામના વ્યક્તિએ , રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. થયું છે એવું કે , રાજકોટમાં દોઢ સો ફૂટ રિંગ રોડ પર બિગ બજારની પાછળ અમરનાથ મંદિર આવેલું છે. મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું . તેની માટે મંદિર બહાર બેનરો પણ લગાવવામાં આવ્યા હતા . પરંતુ જસ્મીન મકવાણા નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે કે , ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ મંદિરમાં આરતી બંધ કરવા ધમકી આપી છે .  સાથેજ મંદિરની બહાર જે બેનરો હતા તેને પણ કઢાવી નાખવામાં આવ્યા છે.  તો હવે આ બાબતે પોલીસે કાર્યવાહી કરતા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ કરી છે.




સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.