ગોંડલથી ફોન આવવા પર પદ્મિની બા વાળાએ ઝૂકવાની ના પડી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-06 18:14:26

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે . 

PT Jadeja denies rumours of resigning from Kshatriya Sankalan Samiti | PT  Jadeja denies rumours of resigning from Kshatriya Sankalan Samiti - Gujarat  Samachar

રાજકોટ અમરનાથ મંદિરમાં આરતી કરવાની ના પાડવા પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી . આ પછી પોલીસે પાસા એટલેકે , (ગુજરાત પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ ધરપકડ કરી તેમને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા છે. તો હવે આ બાબતે , મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિની વાળા પર ગોંડલથી એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે જેમાં આ વ્યક્તિ પદ્મિની બા વાળાને કહે છે , તમે કેમ કોઈના વિશે જેમતેમ બોલો છો . આ પછી , પદ્મિની બા વાળા અને આ અજાણ્યા શક્શ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે.  આમ પદ્મિની બા વાળાએ અજાણ્યા શક્સને કહી દીધું છે કે , કોઈ પણ પ્રકારનું દબાણ ગોંડલથી ચાલશે નહિ.  ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાની ધરપકડ પર  પદ્મિની બા વાળાએ કહ્યું છે કે, પીટી જાડેજાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સરકારની આ ચોખી તાનાશાહી છે. પીટી મામાને ખરાબ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ સહેજ પણ સાંખી  નહિ લે . આમાં ન્યાય મળવો જોઈએ. ૨૪ કલાકમાં આનું રિઝલ્ટ આવવું જોઈએ. નહીંતર ક્ષત્રિય સમાજ રોડ પર ઉતરશે. 

ક્ષત્રિય આંદોલન વચ્ચે પદ્મિનીબા વાળાનો ઑડિયો વાયરલ, સંકલન સમિતિ સામે  નારાજગી | Kshatriya Andolan Vachche Padmini Ba Vala No Audio Viral, Sankal  Samiti Same Narajgi

ક્ષત્રિય આંદોલનના નેતા પી ટી જાડેજા ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. કેમ કે , જસ્મીન મકવાણા નામના વ્યક્તિએ , રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. થયું છે એવું કે , રાજકોટમાં દોઢ સો ફૂટ રિંગ રોડ પર બિગ બજારની પાછળ અમરનાથ મંદિર આવેલું છે. મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું . તેની માટે મંદિર બહાર બેનરો પણ લગાવવામાં આવ્યા હતા . પરંતુ જસ્મીન મકવાણા નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે કે , ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ મંદિરમાં આરતી બંધ કરવા ધમકી આપી છે .  સાથેજ મંદિરની બહાર જે બેનરો હતા તેને પણ કઢાવી નાખવામાં આવ્યા છે.  તો હવે આ બાબતે પોલીસે કાર્યવાહી કરતા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ કરી છે.




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.