જીપીએસસીની આન્સર કીમાં ગડબડ હોવાને કારણે વિદ્યાર્થીઓને થાય છે નુકસાન, આ મામલે વિદ્યાર્થીઓ કરવાના છે જીપીએસસી ભવન ખાતે રજૂઆત!


  • Published By :
  • Published Date : 2023-04-20 14:01:31

પરીક્ષામાં છબરડાઓ થતા હોવાના કિસ્સાઓ અવાર-નવાર બનતા રહે છે. સરકારી પરીક્ષાઓમાં પણ અનેક વખત છબરડાઓ થવાની વાત સામાન્ય થઈ ગઈ છે. ત્યારે જીપીએસસી પરીક્ષામાં પણ છબરડા હોવાનું સામે આવ્યું છે. જાન્યુઆરી 2023ના રોજ જીપીએસસીની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ 18 એપ્રિલના રોજ આવ્યું હતું. 





આન્સર કીમાં જવાબ અલગ અલગ હોવાને કારણે વિદ્યાર્થીઓને થાય છે નુકસાન!

પરિણામ આવે એની પહેલા આન્સર કી અપલોડ કરવામાં આવતી હોય છે. જીપીએસસી પરીક્ષામાં એવા અનેક પ્રશ્નો હતા જેમાં પીએકે એટલે કે પ્રિલિમરી આન્સર કીમાં અલગ જવાબ હોય છે અને ફાઈનલ આન્સર કીમાં અલગ જવાબ હોય છે. આ આન્સર કીના આવ્યા બાદ ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવે છે. પરંતુ બંને આન્સર કીમાં આપવામાં આવેલા જવાબો જૂદા હોય છે અને અમુક પ્રશ્ન તો એવા પણ હોય છે જે પુસ્તકમાં આપેલી માહિતીથી અલગ હોય છે. બુકમાં જે જવાબ આપવામાં આવતા હોય તે અલગ હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન ભોગવવાનો વારો આવે છે. એનસીઆરટીની પુસ્તકમાં જે જવાબ આપવામાં આવ્યો હોય તે આન્સર કી સાથે મળતો નથી. જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે. 


વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત કરાઈ છે રજૂઆત! 

આ મામલામાં સુધારા કરવામાં આવે તેવી રજૂઆત અનેક વખત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ કોઈ સુધારા કરવામાં આવ્યા ન હતા. જેને લઈ વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે વિદ્યાર્થીઓએ છેલ્લી વખત ડીવાયએસસોમાં પ્રશ્નોના જવાબ સુધારવા માટે રજૂઆત કરી હતી પરંતુ સુધારા કરવામાં નથી આવ્યા. જેને કારણે મેઈન્સની પરીક્ષા પણ વિદ્યાર્થીઓ આપી શકતા નથી. 


વિદ્યાર્થીઓ પ્રૂફ સાથે જીપીએસસી ભવન ખાતે જઈને કરશે રજૂઆત! 

આ મામલાને લઈ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જીપીએસસી ભવન જવાના છે. તમામ પ્રુફ વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. કયા પ્રશ્નમાં શું લોચા છે તેના પ્રૂફ પણ ભેગા કરવામાં આવ્યા છે. પ્રશ્નોની સાથે સાથે આન્સર કીમાં શું લખવામાં આવ્યું છે અને હકીકતમાં શું જવાબ છે એ પણ બતાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં પરીક્ષાઓ ક્યારે વ્યવસ્થિત રીતે કોઈ પણ લોચા વગર લેવાશે તે એક પ્રશ્ન છે. શૈક્ષણિક વિભાગની ભૂલોને કારણે વિદ્યાર્થીઓને સજા ભોગવી પડતી હોય છે. ત્યારે એક પરીક્ષા તો સરકાર વ્યવસ્થિત લે તેવી વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.