જીપીએસસીની આન્સર કીમાં ગડબડ હોવાને કારણે વિદ્યાર્થીઓને થાય છે નુકસાન, આ મામલે વિદ્યાર્થીઓ કરવાના છે જીપીએસસી ભવન ખાતે રજૂઆત!


  • Published By :
  • Published Date : 2023-04-20 14:01:31

પરીક્ષામાં છબરડાઓ થતા હોવાના કિસ્સાઓ અવાર-નવાર બનતા રહે છે. સરકારી પરીક્ષાઓમાં પણ અનેક વખત છબરડાઓ થવાની વાત સામાન્ય થઈ ગઈ છે. ત્યારે જીપીએસસી પરીક્ષામાં પણ છબરડા હોવાનું સામે આવ્યું છે. જાન્યુઆરી 2023ના રોજ જીપીએસસીની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ 18 એપ્રિલના રોજ આવ્યું હતું. 





આન્સર કીમાં જવાબ અલગ અલગ હોવાને કારણે વિદ્યાર્થીઓને થાય છે નુકસાન!

પરિણામ આવે એની પહેલા આન્સર કી અપલોડ કરવામાં આવતી હોય છે. જીપીએસસી પરીક્ષામાં એવા અનેક પ્રશ્નો હતા જેમાં પીએકે એટલે કે પ્રિલિમરી આન્સર કીમાં અલગ જવાબ હોય છે અને ફાઈનલ આન્સર કીમાં અલગ જવાબ હોય છે. આ આન્સર કીના આવ્યા બાદ ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવે છે. પરંતુ બંને આન્સર કીમાં આપવામાં આવેલા જવાબો જૂદા હોય છે અને અમુક પ્રશ્ન તો એવા પણ હોય છે જે પુસ્તકમાં આપેલી માહિતીથી અલગ હોય છે. બુકમાં જે જવાબ આપવામાં આવતા હોય તે અલગ હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન ભોગવવાનો વારો આવે છે. એનસીઆરટીની પુસ્તકમાં જે જવાબ આપવામાં આવ્યો હોય તે આન્સર કી સાથે મળતો નથી. જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે. 


વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત કરાઈ છે રજૂઆત! 

આ મામલામાં સુધારા કરવામાં આવે તેવી રજૂઆત અનેક વખત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ કોઈ સુધારા કરવામાં આવ્યા ન હતા. જેને લઈ વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે વિદ્યાર્થીઓએ છેલ્લી વખત ડીવાયએસસોમાં પ્રશ્નોના જવાબ સુધારવા માટે રજૂઆત કરી હતી પરંતુ સુધારા કરવામાં નથી આવ્યા. જેને કારણે મેઈન્સની પરીક્ષા પણ વિદ્યાર્થીઓ આપી શકતા નથી. 


વિદ્યાર્થીઓ પ્રૂફ સાથે જીપીએસસી ભવન ખાતે જઈને કરશે રજૂઆત! 

આ મામલાને લઈ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જીપીએસસી ભવન જવાના છે. તમામ પ્રુફ વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. કયા પ્રશ્નમાં શું લોચા છે તેના પ્રૂફ પણ ભેગા કરવામાં આવ્યા છે. પ્રશ્નોની સાથે સાથે આન્સર કીમાં શું લખવામાં આવ્યું છે અને હકીકતમાં શું જવાબ છે એ પણ બતાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં પરીક્ષાઓ ક્યારે વ્યવસ્થિત રીતે કોઈ પણ લોચા વગર લેવાશે તે એક પ્રશ્ન છે. શૈક્ષણિક વિભાગની ભૂલોને કારણે વિદ્યાર્થીઓને સજા ભોગવી પડતી હોય છે. ત્યારે એક પરીક્ષા તો સરકાર વ્યવસ્થિત લે તેવી વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.