જીપીએસસીની આન્સર કીમાં ગડબડ હોવાને કારણે વિદ્યાર્થીઓને થાય છે નુકસાન, આ મામલે વિદ્યાર્થીઓ કરવાના છે જીપીએસસી ભવન ખાતે રજૂઆત!


  • Published By :
  • Published Date : 2023-04-20 14:01:31

પરીક્ષામાં છબરડાઓ થતા હોવાના કિસ્સાઓ અવાર-નવાર બનતા રહે છે. સરકારી પરીક્ષાઓમાં પણ અનેક વખત છબરડાઓ થવાની વાત સામાન્ય થઈ ગઈ છે. ત્યારે જીપીએસસી પરીક્ષામાં પણ છબરડા હોવાનું સામે આવ્યું છે. જાન્યુઆરી 2023ના રોજ જીપીએસસીની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ 18 એપ્રિલના રોજ આવ્યું હતું. 





આન્સર કીમાં જવાબ અલગ અલગ હોવાને કારણે વિદ્યાર્થીઓને થાય છે નુકસાન!

પરિણામ આવે એની પહેલા આન્સર કી અપલોડ કરવામાં આવતી હોય છે. જીપીએસસી પરીક્ષામાં એવા અનેક પ્રશ્નો હતા જેમાં પીએકે એટલે કે પ્રિલિમરી આન્સર કીમાં અલગ જવાબ હોય છે અને ફાઈનલ આન્સર કીમાં અલગ જવાબ હોય છે. આ આન્સર કીના આવ્યા બાદ ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવે છે. પરંતુ બંને આન્સર કીમાં આપવામાં આવેલા જવાબો જૂદા હોય છે અને અમુક પ્રશ્ન તો એવા પણ હોય છે જે પુસ્તકમાં આપેલી માહિતીથી અલગ હોય છે. બુકમાં જે જવાબ આપવામાં આવતા હોય તે અલગ હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન ભોગવવાનો વારો આવે છે. એનસીઆરટીની પુસ્તકમાં જે જવાબ આપવામાં આવ્યો હોય તે આન્સર કી સાથે મળતો નથી. જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે. 


વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત કરાઈ છે રજૂઆત! 

આ મામલામાં સુધારા કરવામાં આવે તેવી રજૂઆત અનેક વખત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ કોઈ સુધારા કરવામાં આવ્યા ન હતા. જેને લઈ વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે વિદ્યાર્થીઓએ છેલ્લી વખત ડીવાયએસસોમાં પ્રશ્નોના જવાબ સુધારવા માટે રજૂઆત કરી હતી પરંતુ સુધારા કરવામાં નથી આવ્યા. જેને કારણે મેઈન્સની પરીક્ષા પણ વિદ્યાર્થીઓ આપી શકતા નથી. 


વિદ્યાર્થીઓ પ્રૂફ સાથે જીપીએસસી ભવન ખાતે જઈને કરશે રજૂઆત! 

આ મામલાને લઈ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જીપીએસસી ભવન જવાના છે. તમામ પ્રુફ વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. કયા પ્રશ્નમાં શું લોચા છે તેના પ્રૂફ પણ ભેગા કરવામાં આવ્યા છે. પ્રશ્નોની સાથે સાથે આન્સર કીમાં શું લખવામાં આવ્યું છે અને હકીકતમાં શું જવાબ છે એ પણ બતાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં પરીક્ષાઓ ક્યારે વ્યવસ્થિત રીતે કોઈ પણ લોચા વગર લેવાશે તે એક પ્રશ્ન છે. શૈક્ષણિક વિભાગની ભૂલોને કારણે વિદ્યાર્થીઓને સજા ભોગવી પડતી હોય છે. ત્યારે એક પરીક્ષા તો સરકાર વ્યવસ્થિત લે તેવી વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.