ટ્રમ્પના વલણથી ચાઇના થયું નારાજ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-11 19:55:47

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી . 

Donald Trump - Wikipedia

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઈના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં ટ્રમ્પએ ચાઈના વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , તેને બેઇજિંગ સાથે ડીલ કરવી વધુ પસંદ પડશે . આ પ્રતિક્રિયા તેમણે કેબિનેટની મિટિંગ કરી દીધા બાદ પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા આપી હતી.  વાત કરીએ યુરોપની તો યુરોપે અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવાનું મોકૂફ રાખ્યું છે. હવે સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે , ચાઈનાના રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગએ અમેરિકાના ૧૪૫ ટકા ટેરિફ પર પેહલીવાર પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયા તેમણે ત્યારે આપી જયારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ ચાઈનાની મુલાકાતે ગયા છે.ચાઈનીઝ ન્યૂઝ એજન્સી ક્ષીનહૂઆ પ્રમાણે ક્ષી જિંગપિંગે કહ્યું છે કે , " ચાઇના અને યુરોપે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફી નિર્ણયોની સામે પડવું જોઈએ. "ચાઇના હવે યુરોપને પોતાની સાથે લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલુંજ નહિ હવે ચાઈનાની નજર હવે ભારત પર પણ છે. ચીનની  ઇલેક્ટ્રિક વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ ભારતીય ઇલેક્ટ્રિક કંપનીઓને ૫ ટકા છૂટ આપી શકે છે . તેનાથી સંભાવના એ છે કે , આવનારા સમયમાં ઇલેક્ટ્રોનિક માલ સામાન જેમ કે , ટીવી , ફ્રિજ અને સ્માર્ટફોન આપણા ત્યાં સસ્તા બની શકે છે.  એટલેકે , ભારતીય કંપનીઓને હવે સસ્તા દરે ચાઈનામાં ઉત્પાદન થયેલ ટીવી , ફ્રિજ અને સ્માર્ટફોન મળી શકે છે.

ચાઇનાનો પ્રયાસ છે કે , તે અમેરિકાની સામે યુરોપ અને ઉભરતી આર્થિક મહાસત્તા ભારતને સાથે લેવા માંગે છે. તો જોવાનું એ છે કે ચાઇના આ અંગે કેટલું સફળ થાય છે. ચાઈનાની સૌથી મોટી સમસ્યા તેની સરહદો પર "સલામી સ્લાઇસીન્ગ"ની નીતિ છે . જે અંતર્ગત તે જમીનો પચાવી લે છે .  જેમ કે આપણા ભારતના લદાખ અને અરુણાચલ પ્રદેશ પર દાવો ઠોકે છે.

Xi Jinping - Wikipedia 


વાત કરીએ અમેરિકા અને રશિયાની તો , તુર્કીમાં આવેલા રશિયન દૂતાવાસ પર હમણાં બેઉ દેશોના ડિપ્લોમેટ્સ વચ્ચે વાર્તાલાપ થયો હતો . કેમ કે , શીત યુદ્ધ પછી રશિયા - યુક્રેન યુદ્ધને લઇને બેઉ દેશોના સબંધો ખુબ ખરાબ થઈ ગયા છે. જોકે હવે તુર્કીમાં થયેલી ચર્ચા બાદ બેઉ દેશોએ કહ્યું છે કે , અમેરિકા અને રશિયા વચ્ચે રાજદ્વારી સબંધો સામાન્ય કરવામાં આવશે. જોકે અમેરિકાને હજુ ચિંતા છે કે , અમારા મોસ્કોના દૂતાવાસમાં અમેરિકન સ્ટાફની ભરતી પર રશિયાની નીતિઓ બાધારૂપ છે.

તુર્કીના રશિયન દૂતાવાસ પર અમેરિકા તરફથી ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર રશિયા અને મધ્ય યુરોપના સોનાટા કોલ્ટર તો બીજી તરફ અમેરિકામાં રશિયાના નવા એમ્બેસેડર એલેક્ઝાન્ડર દારચિવ હાજર રહ્યા હતા . હવે અમેરિકા રશિયા સાથે પોતાના રાજદ્વારી સબંધો નોર્મલ કરવા માંગે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .