ટ્રમ્પના વલણથી ચાઇના થયું નારાજ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-11 19:55:47

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી . 

Donald Trump - Wikipedia

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઈના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં ટ્રમ્પએ ચાઈના વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , તેને બેઇજિંગ સાથે ડીલ કરવી વધુ પસંદ પડશે . આ પ્રતિક્રિયા તેમણે કેબિનેટની મિટિંગ કરી દીધા બાદ પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા આપી હતી.  વાત કરીએ યુરોપની તો યુરોપે અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવાનું મોકૂફ રાખ્યું છે. હવે સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે , ચાઈનાના રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગએ અમેરિકાના ૧૪૫ ટકા ટેરિફ પર પેહલીવાર પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયા તેમણે ત્યારે આપી જયારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ ચાઈનાની મુલાકાતે ગયા છે.ચાઈનીઝ ન્યૂઝ એજન્સી ક્ષીનહૂઆ પ્રમાણે ક્ષી જિંગપિંગે કહ્યું છે કે , " ચાઇના અને યુરોપે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફી નિર્ણયોની સામે પડવું જોઈએ. "ચાઇના હવે યુરોપને પોતાની સાથે લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલુંજ નહિ હવે ચાઈનાની નજર હવે ભારત પર પણ છે. ચીનની  ઇલેક્ટ્રિક વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ ભારતીય ઇલેક્ટ્રિક કંપનીઓને ૫ ટકા છૂટ આપી શકે છે . તેનાથી સંભાવના એ છે કે , આવનારા સમયમાં ઇલેક્ટ્રોનિક માલ સામાન જેમ કે , ટીવી , ફ્રિજ અને સ્માર્ટફોન આપણા ત્યાં સસ્તા બની શકે છે.  એટલેકે , ભારતીય કંપનીઓને હવે સસ્તા દરે ચાઈનામાં ઉત્પાદન થયેલ ટીવી , ફ્રિજ અને સ્માર્ટફોન મળી શકે છે.

ચાઇનાનો પ્રયાસ છે કે , તે અમેરિકાની સામે યુરોપ અને ઉભરતી આર્થિક મહાસત્તા ભારતને સાથે લેવા માંગે છે. તો જોવાનું એ છે કે ચાઇના આ અંગે કેટલું સફળ થાય છે. ચાઈનાની સૌથી મોટી સમસ્યા તેની સરહદો પર "સલામી સ્લાઇસીન્ગ"ની નીતિ છે . જે અંતર્ગત તે જમીનો પચાવી લે છે .  જેમ કે આપણા ભારતના લદાખ અને અરુણાચલ પ્રદેશ પર દાવો ઠોકે છે.

Xi Jinping - Wikipedia 


વાત કરીએ અમેરિકા અને રશિયાની તો , તુર્કીમાં આવેલા રશિયન દૂતાવાસ પર હમણાં બેઉ દેશોના ડિપ્લોમેટ્સ વચ્ચે વાર્તાલાપ થયો હતો . કેમ કે , શીત યુદ્ધ પછી રશિયા - યુક્રેન યુદ્ધને લઇને બેઉ દેશોના સબંધો ખુબ ખરાબ થઈ ગયા છે. જોકે હવે તુર્કીમાં થયેલી ચર્ચા બાદ બેઉ દેશોએ કહ્યું છે કે , અમેરિકા અને રશિયા વચ્ચે રાજદ્વારી સબંધો સામાન્ય કરવામાં આવશે. જોકે અમેરિકાને હજુ ચિંતા છે કે , અમારા મોસ્કોના દૂતાવાસમાં અમેરિકન સ્ટાફની ભરતી પર રશિયાની નીતિઓ બાધારૂપ છે.

તુર્કીના રશિયન દૂતાવાસ પર અમેરિકા તરફથી ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર રશિયા અને મધ્ય યુરોપના સોનાટા કોલ્ટર તો બીજી તરફ અમેરિકામાં રશિયાના નવા એમ્બેસેડર એલેક્ઝાન્ડર દારચિવ હાજર રહ્યા હતા . હવે અમેરિકા રશિયા સાથે પોતાના રાજદ્વારી સબંધો નોર્મલ કરવા માંગે છે.



દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી

વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.