ટ્રમ્પના વલણથી ચાઇના થયું નારાજ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-11 19:55:47

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી . 

Donald Trump - Wikipedia

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઈના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં ટ્રમ્પએ ચાઈના વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , તેને બેઇજિંગ સાથે ડીલ કરવી વધુ પસંદ પડશે . આ પ્રતિક્રિયા તેમણે કેબિનેટની મિટિંગ કરી દીધા બાદ પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા આપી હતી.  વાત કરીએ યુરોપની તો યુરોપે અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવાનું મોકૂફ રાખ્યું છે. હવે સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે , ચાઈનાના રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગએ અમેરિકાના ૧૪૫ ટકા ટેરિફ પર પેહલીવાર પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયા તેમણે ત્યારે આપી જયારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ ચાઈનાની મુલાકાતે ગયા છે.ચાઈનીઝ ન્યૂઝ એજન્સી ક્ષીનહૂઆ પ્રમાણે ક્ષી જિંગપિંગે કહ્યું છે કે , " ચાઇના અને યુરોપે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફી નિર્ણયોની સામે પડવું જોઈએ. "ચાઇના હવે યુરોપને પોતાની સાથે લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલુંજ નહિ હવે ચાઈનાની નજર હવે ભારત પર પણ છે. ચીનની  ઇલેક્ટ્રિક વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ ભારતીય ઇલેક્ટ્રિક કંપનીઓને ૫ ટકા છૂટ આપી શકે છે . તેનાથી સંભાવના એ છે કે , આવનારા સમયમાં ઇલેક્ટ્રોનિક માલ સામાન જેમ કે , ટીવી , ફ્રિજ અને સ્માર્ટફોન આપણા ત્યાં સસ્તા બની શકે છે.  એટલેકે , ભારતીય કંપનીઓને હવે સસ્તા દરે ચાઈનામાં ઉત્પાદન થયેલ ટીવી , ફ્રિજ અને સ્માર્ટફોન મળી શકે છે.

ચાઇનાનો પ્રયાસ છે કે , તે અમેરિકાની સામે યુરોપ અને ઉભરતી આર્થિક મહાસત્તા ભારતને સાથે લેવા માંગે છે. તો જોવાનું એ છે કે ચાઇના આ અંગે કેટલું સફળ થાય છે. ચાઈનાની સૌથી મોટી સમસ્યા તેની સરહદો પર "સલામી સ્લાઇસીન્ગ"ની નીતિ છે . જે અંતર્ગત તે જમીનો પચાવી લે છે .  જેમ કે આપણા ભારતના લદાખ અને અરુણાચલ પ્રદેશ પર દાવો ઠોકે છે.

Xi Jinping - Wikipedia 


વાત કરીએ અમેરિકા અને રશિયાની તો , તુર્કીમાં આવેલા રશિયન દૂતાવાસ પર હમણાં બેઉ દેશોના ડિપ્લોમેટ્સ વચ્ચે વાર્તાલાપ થયો હતો . કેમ કે , શીત યુદ્ધ પછી રશિયા - યુક્રેન યુદ્ધને લઇને બેઉ દેશોના સબંધો ખુબ ખરાબ થઈ ગયા છે. જોકે હવે તુર્કીમાં થયેલી ચર્ચા બાદ બેઉ દેશોએ કહ્યું છે કે , અમેરિકા અને રશિયા વચ્ચે રાજદ્વારી સબંધો સામાન્ય કરવામાં આવશે. જોકે અમેરિકાને હજુ ચિંતા છે કે , અમારા મોસ્કોના દૂતાવાસમાં અમેરિકન સ્ટાફની ભરતી પર રશિયાની નીતિઓ બાધારૂપ છે.

તુર્કીના રશિયન દૂતાવાસ પર અમેરિકા તરફથી ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર રશિયા અને મધ્ય યુરોપના સોનાટા કોલ્ટર તો બીજી તરફ અમેરિકામાં રશિયાના નવા એમ્બેસેડર એલેક્ઝાન્ડર દારચિવ હાજર રહ્યા હતા . હવે અમેરિકા રશિયા સાથે પોતાના રાજદ્વારી સબંધો નોર્મલ કરવા માંગે છે.



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .