આ "ડિપ્રેશને" ઉત્તર ગુજરાતમાં મચાવી તબાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-08 15:03:15

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. 

Image

સૌપ્રથમ વાત કરીએ , કચ્છની તો જિલ્લામાં ભારે વરસાદના કારણે , GSRTCના ૧૦ રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં , ધોરડો - હાજીપીર , રતડીયા - ભોજાય , રાપર - રામવાવ , રામવાવ - લોધીડા , રાપર - બાલસર - વ્રજવાણી , રાપર - ધોળાવીરા , રાપર - ગેડી - ફતેહગઢ , આઘોઈ - લખપત , મેવાસા - માણાબા , રાપર - નલિયા ટિમબો આમ આ ૧૦ રૂટ બંધ રાખવામાં આવ્યા છે . આ ઉપરાંત કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ૯૨૭ સી ( ચિત્રોડ - રાપર - બાલસર )ને જોડે છે તેને બંધ રાખવામાં આવ્યો છે. ભયંકર વરસાદને કારણે , મધ્યમ સિંચાઈ યોજનાના કુલ ૯ ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

 વાત બનાસકાંઠાની તો ત્યાં પણ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખુબ જ તંગ છે . વાવ તાલુકાના માડકા ગામે ભારે વરસાદના કારણે , ગામમાં જવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે . ખેતરોમાં પબ્લિક ફસાઈ ગઈ છે. આમ હવે ગામના લોકો દ્વારા પાણીની વચ્ચે ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા માટે NDRFની ટિમો મોકલવા માટે ગુહાર લગાવવામાં આવી છે . જિલ્લામાં ભારે  વરસાદના કારણે , આજે તમામ આંગણવાડી , શાળાઓ , કોલેજો બંધ રાખવામાં આવી છે. બનાસકાંઠામાં વહીવટી તંત્રએ કોઈ પણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે , NDRF અને SDRFની ટિમો તૈનાત રાખી છે . 

Image

સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે . જિલ્લાના તંત્ર દ્વારા ખેડબ્રહ્મા , પોશીના અને વિજયનગર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો , પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે . જેમાં ચોમાસામાં અત્યારસુધીમાં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો છે. 

                                                     મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની તો , ભારે વરસાદના કારણે , જિલ્લાના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે . આ ઉપરાંત , સાબરમતી , મહી , વાત્રક અને શેઢી વગેરે નદીઓ અને બીજા નાળાઓમાં પૂરની સ્થિતિ ઉભી થવા પામેલ છે . આ ઉપરાંત , આજે ખેડા કલેકટર દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓ , પ્રાથમિક શાળાઓ , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે. 

 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.