આ "ડિપ્રેશને" ઉત્તર ગુજરાતમાં મચાવી તબાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-08 15:03:15

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. 

Image

સૌપ્રથમ વાત કરીએ , કચ્છની તો જિલ્લામાં ભારે વરસાદના કારણે , GSRTCના ૧૦ રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં , ધોરડો - હાજીપીર , રતડીયા - ભોજાય , રાપર - રામવાવ , રામવાવ - લોધીડા , રાપર - બાલસર - વ્રજવાણી , રાપર - ધોળાવીરા , રાપર - ગેડી - ફતેહગઢ , આઘોઈ - લખપત , મેવાસા - માણાબા , રાપર - નલિયા ટિમબો આમ આ ૧૦ રૂટ બંધ રાખવામાં આવ્યા છે . આ ઉપરાંત કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ૯૨૭ સી ( ચિત્રોડ - રાપર - બાલસર )ને જોડે છે તેને બંધ રાખવામાં આવ્યો છે. ભયંકર વરસાદને કારણે , મધ્યમ સિંચાઈ યોજનાના કુલ ૯ ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

 વાત બનાસકાંઠાની તો ત્યાં પણ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખુબ જ તંગ છે . વાવ તાલુકાના માડકા ગામે ભારે વરસાદના કારણે , ગામમાં જવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે . ખેતરોમાં પબ્લિક ફસાઈ ગઈ છે. આમ હવે ગામના લોકો દ્વારા પાણીની વચ્ચે ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા માટે NDRFની ટિમો મોકલવા માટે ગુહાર લગાવવામાં આવી છે . જિલ્લામાં ભારે  વરસાદના કારણે , આજે તમામ આંગણવાડી , શાળાઓ , કોલેજો બંધ રાખવામાં આવી છે. બનાસકાંઠામાં વહીવટી તંત્રએ કોઈ પણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે , NDRF અને SDRFની ટિમો તૈનાત રાખી છે . 

Image

સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે . જિલ્લાના તંત્ર દ્વારા ખેડબ્રહ્મા , પોશીના અને વિજયનગર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો , પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે . જેમાં ચોમાસામાં અત્યારસુધીમાં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો છે. 

                                                     મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની તો , ભારે વરસાદના કારણે , જિલ્લાના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે . આ ઉપરાંત , સાબરમતી , મહી , વાત્રક અને શેઢી વગેરે નદીઓ અને બીજા નાળાઓમાં પૂરની સ્થિતિ ઉભી થવા પામેલ છે . આ ઉપરાંત , આજે ખેડા કલેકટર દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓ , પ્રાથમિક શાળાઓ , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે. 

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.