આ "ડિપ્રેશને" ઉત્તર ગુજરાતમાં મચાવી તબાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-08 15:03:15

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. 

Image

સૌપ્રથમ વાત કરીએ , કચ્છની તો જિલ્લામાં ભારે વરસાદના કારણે , GSRTCના ૧૦ રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં , ધોરડો - હાજીપીર , રતડીયા - ભોજાય , રાપર - રામવાવ , રામવાવ - લોધીડા , રાપર - બાલસર - વ્રજવાણી , રાપર - ધોળાવીરા , રાપર - ગેડી - ફતેહગઢ , આઘોઈ - લખપત , મેવાસા - માણાબા , રાપર - નલિયા ટિમબો આમ આ ૧૦ રૂટ બંધ રાખવામાં આવ્યા છે . આ ઉપરાંત કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ૯૨૭ સી ( ચિત્રોડ - રાપર - બાલસર )ને જોડે છે તેને બંધ રાખવામાં આવ્યો છે. ભયંકર વરસાદને કારણે , મધ્યમ સિંચાઈ યોજનાના કુલ ૯ ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

 વાત બનાસકાંઠાની તો ત્યાં પણ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખુબ જ તંગ છે . વાવ તાલુકાના માડકા ગામે ભારે વરસાદના કારણે , ગામમાં જવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે . ખેતરોમાં પબ્લિક ફસાઈ ગઈ છે. આમ હવે ગામના લોકો દ્વારા પાણીની વચ્ચે ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા માટે NDRFની ટિમો મોકલવા માટે ગુહાર લગાવવામાં આવી છે . જિલ્લામાં ભારે  વરસાદના કારણે , આજે તમામ આંગણવાડી , શાળાઓ , કોલેજો બંધ રાખવામાં આવી છે. બનાસકાંઠામાં વહીવટી તંત્રએ કોઈ પણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે , NDRF અને SDRFની ટિમો તૈનાત રાખી છે . 

Image

સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે . જિલ્લાના તંત્ર દ્વારા ખેડબ્રહ્મા , પોશીના અને વિજયનગર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો , પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે . જેમાં ચોમાસામાં અત્યારસુધીમાં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો છે. 

                                                     મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની તો , ભારે વરસાદના કારણે , જિલ્લાના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે . આ ઉપરાંત , સાબરમતી , મહી , વાત્રક અને શેઢી વગેરે નદીઓ અને બીજા નાળાઓમાં પૂરની સ્થિતિ ઉભી થવા પામેલ છે . આ ઉપરાંત , આજે ખેડા કલેકટર દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓ , પ્રાથમિક શાળાઓ , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે. 

 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.