આ "ડિપ્રેશને" ઉત્તર ગુજરાતમાં મચાવી તબાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-08 15:03:15

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. 

Image

સૌપ્રથમ વાત કરીએ , કચ્છની તો જિલ્લામાં ભારે વરસાદના કારણે , GSRTCના ૧૦ રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં , ધોરડો - હાજીપીર , રતડીયા - ભોજાય , રાપર - રામવાવ , રામવાવ - લોધીડા , રાપર - બાલસર - વ્રજવાણી , રાપર - ધોળાવીરા , રાપર - ગેડી - ફતેહગઢ , આઘોઈ - લખપત , મેવાસા - માણાબા , રાપર - નલિયા ટિમબો આમ આ ૧૦ રૂટ બંધ રાખવામાં આવ્યા છે . આ ઉપરાંત કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ૯૨૭ સી ( ચિત્રોડ - રાપર - બાલસર )ને જોડે છે તેને બંધ રાખવામાં આવ્યો છે. ભયંકર વરસાદને કારણે , મધ્યમ સિંચાઈ યોજનાના કુલ ૯ ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

 વાત બનાસકાંઠાની તો ત્યાં પણ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખુબ જ તંગ છે . વાવ તાલુકાના માડકા ગામે ભારે વરસાદના કારણે , ગામમાં જવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે . ખેતરોમાં પબ્લિક ફસાઈ ગઈ છે. આમ હવે ગામના લોકો દ્વારા પાણીની વચ્ચે ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા માટે NDRFની ટિમો મોકલવા માટે ગુહાર લગાવવામાં આવી છે . જિલ્લામાં ભારે  વરસાદના કારણે , આજે તમામ આંગણવાડી , શાળાઓ , કોલેજો બંધ રાખવામાં આવી છે. બનાસકાંઠામાં વહીવટી તંત્રએ કોઈ પણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે , NDRF અને SDRFની ટિમો તૈનાત રાખી છે . 

Image

સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે . જિલ્લાના તંત્ર દ્વારા ખેડબ્રહ્મા , પોશીના અને વિજયનગર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો , પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે . જેમાં ચોમાસામાં અત્યારસુધીમાં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો છે. 

                                                     મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની તો , ભારે વરસાદના કારણે , જિલ્લાના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે . આ ઉપરાંત , સાબરમતી , મહી , વાત્રક અને શેઢી વગેરે નદીઓ અને બીજા નાળાઓમાં પૂરની સ્થિતિ ઉભી થવા પામેલ છે . આ ઉપરાંત , આજે ખેડા કલેકટર દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓ , પ્રાથમિક શાળાઓ , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે. 

 



ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."