ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે કાચી દિવાલ પડી જતા અનેક લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 10:40:18

દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. દિલકુશા કોલોનીમાં દીવાલ પડી જતા અનેક લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આર્મી કેન્ટ પાસે દૂર્ઘટના સર્જાતા ઘટના સ્થળે આર્મી જવાનો પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દીધી હતી. યોગી સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

દિવાલ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ

ઉત્તર પ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. 30થી વધારે જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, અયોધ્યામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દિલકુશા વિસ્તારમાં રાત્રીના 3 વાગ્યાની આસપાસ કાચી દીવાલ ધસી પડવાને દિવાલ નીચે રહેતા મજૂરોના મોત નીપજ્યાં છે. જેને કારણે મોટી દૂર્ઘટના સર્જાઈ છે. ભારે વરસાદને કારણે આ દિવાલ ટૂટી પડતા 9 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

  

વરસાદને કારણે થાય છે અનેક બનાવ

ઘટનાની જાણ થતા, પોલીસે તેમજ આર્મીના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી લોકોને બચાવવાની કોશિશ કરી હતી. બહાર કઢાયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વળતર આપવાની મૃતકોના પરિવારને 4 લાખની તેમજ ઘાયલ લોકોના પરિવારને 2 લાખ આપવાની જાહેરાત કરી છે. સતત વરસાદ પડવાને કારણે જર્જરિત મકાનો તેમજ દિવાલો ધરાશાઈ થતા અનેક વખત દુ:ખદ પ્રસંગો બનતા રહે છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.