ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે કાચી દિવાલ પડી જતા અનેક લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 10:40:18

દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. દિલકુશા કોલોનીમાં દીવાલ પડી જતા અનેક લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આર્મી કેન્ટ પાસે દૂર્ઘટના સર્જાતા ઘટના સ્થળે આર્મી જવાનો પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દીધી હતી. યોગી સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

દિવાલ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ

ઉત્તર પ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. 30થી વધારે જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, અયોધ્યામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દિલકુશા વિસ્તારમાં રાત્રીના 3 વાગ્યાની આસપાસ કાચી દીવાલ ધસી પડવાને દિવાલ નીચે રહેતા મજૂરોના મોત નીપજ્યાં છે. જેને કારણે મોટી દૂર્ઘટના સર્જાઈ છે. ભારે વરસાદને કારણે આ દિવાલ ટૂટી પડતા 9 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

  

વરસાદને કારણે થાય છે અનેક બનાવ

ઘટનાની જાણ થતા, પોલીસે તેમજ આર્મીના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી લોકોને બચાવવાની કોશિશ કરી હતી. બહાર કઢાયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વળતર આપવાની મૃતકોના પરિવારને 4 લાખની તેમજ ઘાયલ લોકોના પરિવારને 2 લાખ આપવાની જાહેરાત કરી છે. સતત વરસાદ પડવાને કારણે જર્જરિત મકાનો તેમજ દિવાલો ધરાશાઈ થતા અનેક વખત દુ:ખદ પ્રસંગો બનતા રહે છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.