ભારતની સંભવિત લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ભયનો માહોલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-29 22:19:24

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. 

Pakistan expecting war in 72 hours? What Pak Defence Minister Khawaja Asif  said on possible Indian action after Pahalgam

ભારત સરકારની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક અટકી નથી . સરકારે હવે રક્ષામંત્રી ખ્વાજા આસિફનું પ્લેટફોર્મ એક્સ પરનું ઓફિસિયલ એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે હવે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રયુટર્સને થોડાક સમય પેહલા ઇન્ટરવ્યૂ આપ્યું છે . પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે , હાલમાં પાકિસ્તાનની સેના એક્ટિવ પોજીશન પર છે ઉપરાંત અમે અમારી સેનાને મજબૂત કરી લીધી છે. આ પાછળનું કારણ આપતા તેમણે કહ્યું છે કે , ભારતીય સેના અમારી ઉપર ગમે ત્યારે એટેક કરી શકે છે. તેના લીધે અમારી આખી સેના સ્ટેન્ડબાય પર છે. ત્રીજી વાત ખ્વાજા આસિફે એ કહી છે કે , ભારતના રાજકીય નેતાઓ સાથે જ જે મીડિયા છે  તે પાકિસ્તાનને પહલગામ હુમલા માટે સતત જવાબદાર ઠેરવી રહ્યું છે . સાથે જ પાકિસ્તાની સેનાએ સરકારને ઇનપુટ આપ્યા છે કે ગમે ત્યારે ભારત પાકિસ્તાન પર  એટેક કરી શકે છે. ચોથો મુદ્દો એમણે કહ્યો છે કે , પાકિસ્તાન ભારત પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે અને પરમાણુ હથિયારોનો ઉપયોગ ત્યારે થશે કે જયારે ભારત અમને ડાઇરેક્ટ હિટ કરશે. પાકિસ્તાને ગલ્ફ નેશન્સ સાથે જ ચાઈનાને અપ્રોચ કર્યો છે સાથે જ તેમણે બ્રિટન અને અમેરિકાનો પણ સંપર્ક કર્યો છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનો ભારતને લઇને એક ડર સાફ છે કે ભારતીય સેના ગમે ત્યારે જવાબી હુમલો કરી શકે છે.   તો આ તરફ પાકિસ્તાન તરફથી સમાચાર એ પણ સામે આવ્યા છે કે , તેણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકીઓના જે પણ લોન્ચ પેડ હતા તેને ભારતીય સેનાના ડરથી ખાલી કરાવડાવ્યા છે. 

Speculation Surges: Pakistan Army Chief Gen Asim Munir Allegedly Flees Amid  Pahalgam Terror Attack Aftermath

આંતરરાષ્ટ્રીય અખબાર ન્યુયોર્ક ટાઈમ્સએ લખ્યું છે કે , જયારે વિશ્વના દેશોના વડાએ પીએમ મોદીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બધા ને સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ભારત કોઈ પણ સમયે જવાબી કાર્યવાહી કરશેતમે સમજી શકો છો કે અને પાકિસ્તાનમાં ડર દેખાઈ રહ્યો છે કેમ કે  , તેના સેના અધ્યક્ષ અસીમ મુનીરના પરિવારે સંભવિત લશ્કરી કાર્યવાહીના ડરેથી પાકિસ્તાન છોડી દીધું છે. બિલાવલ ભુટો ઝરદારી કે જે પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના નેતા છે થોડાક સમય પેહલા તેણે ભારત માટે  ઝોંકયું હતું . હવે તેના પરિવારે પણ પાકિસ્તાનમાંથી વિદાય લીધી છે.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.