ભારે પવન વહેવાને કારણે ગીરનાર પર ચાલતી રોપ-વે સેવા બંધ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-01-04 13:36:57

સમગ્ર દેશમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરભારતમાં કાતીલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે  વધતા પવનને કારણે જૂનાગઢમાં ચાલતી રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે. સાથે જ દ્વારકામાં ચાલતી ફેરી બોટને પણ બંધ કરી દેવાઈ છે.



મુસાફરોને પડી મુશ્કેલી

ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. અનેક શહેરોના તાપમાનના ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, સુરત, નલિયામાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે ગીરનાર પર્વત પર ચાલતી રોપ-વે સેવાને હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. રોપવે સેવા બંધ કરી દેવામાં આવતા ત્યાં આવેલા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 


ફેરી બોટ સેવા પણ બંધ કરી દેવાઈ 

શિયાળામાં અનેક લોકો ફરવા નીકળતા હોય છે. વિકએન્ડ તેમજ ક્રિસમસને કારણે પ્રવાસીઓમાં ભારે ઘસારો જોવા મળ્યો છે. ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પર પ્રવાસીનો ઘોડાપૂર જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાતા ગીરનારમાં ચાલતી રોપ-વે સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટની સેવા પણ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. બંને સેવાઓ બંધ થઈ જતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.              



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.