ભારે પવન વહેવાને કારણે ગીરનાર પર ચાલતી રોપ-વે સેવા બંધ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-01-04 13:36:57

સમગ્ર દેશમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરભારતમાં કાતીલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે  વધતા પવનને કારણે જૂનાગઢમાં ચાલતી રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે. સાથે જ દ્વારકામાં ચાલતી ફેરી બોટને પણ બંધ કરી દેવાઈ છે.



મુસાફરોને પડી મુશ્કેલી

ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. અનેક શહેરોના તાપમાનના ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, સુરત, નલિયામાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે ગીરનાર પર્વત પર ચાલતી રોપ-વે સેવાને હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. રોપવે સેવા બંધ કરી દેવામાં આવતા ત્યાં આવેલા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 


ફેરી બોટ સેવા પણ બંધ કરી દેવાઈ 

શિયાળામાં અનેક લોકો ફરવા નીકળતા હોય છે. વિકએન્ડ તેમજ ક્રિસમસને કારણે પ્રવાસીઓમાં ભારે ઘસારો જોવા મળ્યો છે. ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પર પ્રવાસીનો ઘોડાપૂર જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાતા ગીરનારમાં ચાલતી રોપ-વે સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટની સેવા પણ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. બંને સેવાઓ બંધ થઈ જતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.              



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.