ભારે પવન વહેવાને કારણે ગીરનાર પર ચાલતી રોપ-વે સેવા બંધ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-01-04 13:36:57

સમગ્ર દેશમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરભારતમાં કાતીલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે  વધતા પવનને કારણે જૂનાગઢમાં ચાલતી રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે. સાથે જ દ્વારકામાં ચાલતી ફેરી બોટને પણ બંધ કરી દેવાઈ છે.



મુસાફરોને પડી મુશ્કેલી

ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. અનેક શહેરોના તાપમાનના ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, સુરત, નલિયામાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે ગીરનાર પર્વત પર ચાલતી રોપ-વે સેવાને હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. રોપવે સેવા બંધ કરી દેવામાં આવતા ત્યાં આવેલા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 


ફેરી બોટ સેવા પણ બંધ કરી દેવાઈ 

શિયાળામાં અનેક લોકો ફરવા નીકળતા હોય છે. વિકએન્ડ તેમજ ક્રિસમસને કારણે પ્રવાસીઓમાં ભારે ઘસારો જોવા મળ્યો છે. ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પર પ્રવાસીનો ઘોડાપૂર જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાતા ગીરનારમાં ચાલતી રોપ-વે સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટની સેવા પણ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. બંને સેવાઓ બંધ થઈ જતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.              



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.