તહેવારો અને લગ્નસરાની સીઝનના કારણે સોનાની ડિમાન્ડ વધી, એક જ મહિનામાં આયાત બમણી થઈ


  • Published By :
  • Published Date : 2023-11-16 14:31:45

ભારતના લોકોને સોના પ્રત્યે સદીઓથી મોહ રહ્યો છે, દરેક લોકો સોનું ખરીદવા માગે છે. દેશમાં લગ્ન પ્રસંગ, તહેવારો કે સારા પ્રંસંગે સોનાની ભેટ આપવાની પરંપરા રહી છે. દિવાળી અને ધનતેરસ પર પણ ખૂબ જ સોનું ખરીદવામાં આવ્યું છે. જો કે ભારતીયોનો સોના પ્રત્યેનો આ મોહ દેશના અર્થતંત્રનો દાટ વાળી રહ્યો છે. ગત સપ્ટેમ્બર મહિનાથી સોનાની આયાત બે ઘણી થઈ ગઈ છે. આ ચક્કરમાં ઓક્ટોબર 2023 દરમિયાન દેશની વેપાર ખાધ વધીને 31 અબજ ડોલરથી પણ વધી ગઈ છે.  


આ મહિને 7.2 અબજ ડોલરનું સોનું આયાત થયું


ગત ઓક્ટોબર મહિનામાં સોનાની આયાત વધીને લગભગ બેઘણી થઈ ગઈ છે. આ મહિનામાં 7.2 અબજ ડોલરનું સોનું વિદેશથી ખરીદવામાં આવ્યું જ્યારે તેના એક મહિના પહેલા જ સપ્ટેબર 2023 દરમિયાન 4.1 અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી, આ 95.4 ટકાની વૃધ્ધી છે.  


શા માટે વધી રહી છે સોનાની આયાત?


દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ વેલ્ફેર એસોસિયેશનના અધ્યક્ષ વિમલ ગોયલનું કહેવું છે કે આ વધવાનું મુખ્ય કારણ ધનતેરસ અને દિવાળી છે. આ જ કારણે ભારતમાં ડિમાન્ડ ખુબ જ વધી જતા વેપારીઓને સોનાની આયાત કરવાની ફરજ પડી છે. ગોયલે વધુમાં જણાવ્યું કે આગામી 23 તારીખથી દેશભરમાં લગ્નસરાની સીઝન શરૂ થઈ રહી છે. આ પ્રસંગે સોનાની ખૂબ જ ખરીદી કરવામાં આવે છે. હવે નવેમ્બર મહિનામાં ઝવેરાતની ખરીદી ખુબ થશે તો તેને બનાવવા માટે સમય પણ લાગશે એટલા માટે જ એડવાન્સમાં જ સોનાની આયાત કરવામાં આવી છે. 



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.