તહેવારો અને લગ્નસરાની સીઝનના કારણે સોનાની ડિમાન્ડ વધી, એક જ મહિનામાં આયાત બમણી થઈ


  • Published By :
  • Published Date : 2023-11-16 14:31:45

ભારતના લોકોને સોના પ્રત્યે સદીઓથી મોહ રહ્યો છે, દરેક લોકો સોનું ખરીદવા માગે છે. દેશમાં લગ્ન પ્રસંગ, તહેવારો કે સારા પ્રંસંગે સોનાની ભેટ આપવાની પરંપરા રહી છે. દિવાળી અને ધનતેરસ પર પણ ખૂબ જ સોનું ખરીદવામાં આવ્યું છે. જો કે ભારતીયોનો સોના પ્રત્યેનો આ મોહ દેશના અર્થતંત્રનો દાટ વાળી રહ્યો છે. ગત સપ્ટેમ્બર મહિનાથી સોનાની આયાત બે ઘણી થઈ ગઈ છે. આ ચક્કરમાં ઓક્ટોબર 2023 દરમિયાન દેશની વેપાર ખાધ વધીને 31 અબજ ડોલરથી પણ વધી ગઈ છે.  


આ મહિને 7.2 અબજ ડોલરનું સોનું આયાત થયું


ગત ઓક્ટોબર મહિનામાં સોનાની આયાત વધીને લગભગ બેઘણી થઈ ગઈ છે. આ મહિનામાં 7.2 અબજ ડોલરનું સોનું વિદેશથી ખરીદવામાં આવ્યું જ્યારે તેના એક મહિના પહેલા જ સપ્ટેબર 2023 દરમિયાન 4.1 અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી, આ 95.4 ટકાની વૃધ્ધી છે.  


શા માટે વધી રહી છે સોનાની આયાત?


દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ વેલ્ફેર એસોસિયેશનના અધ્યક્ષ વિમલ ગોયલનું કહેવું છે કે આ વધવાનું મુખ્ય કારણ ધનતેરસ અને દિવાળી છે. આ જ કારણે ભારતમાં ડિમાન્ડ ખુબ જ વધી જતા વેપારીઓને સોનાની આયાત કરવાની ફરજ પડી છે. ગોયલે વધુમાં જણાવ્યું કે આગામી 23 તારીખથી દેશભરમાં લગ્નસરાની સીઝન શરૂ થઈ રહી છે. આ પ્રસંગે સોનાની ખૂબ જ ખરીદી કરવામાં આવે છે. હવે નવેમ્બર મહિનામાં ઝવેરાતની ખરીદી ખુબ થશે તો તેને બનાવવા માટે સમય પણ લાગશે એટલા માટે જ એડવાન્સમાં જ સોનાની આયાત કરવામાં આવી છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.