Delhiમાં ટ્રાફિકજામ હોવાને કારણે રિક્ષાચાલકે ફૂટ ઓવરબ્રિજ પર ચઢાવી દીધી રીક્ષા! જુઓ વીડિયો અને જાણો વીડિયો વાયરલ થયા બાદ શું થયું?


  • Published By :
  • Published Date : 2023-09-04 17:03:38

ટ્રાફિકજામની સમસ્યા અનેક રાજ્યો માટે માથાનો દુખાવો સાબિત થતો હોય છે. અનેક કલાકો સુધી તમે રસ્તા પર ટ્રાફિકને કારણે અટવાઈ શકો છો. દિલ્હીના લોકો પણ ટ્રાફિકને કારણે પરેશાન થઈ જતા હોય છે. રસ્તા પર ચાલતા લોકોને ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે તે માટે અનેક જગ્યાઓ પર ફૂટપાથ અને બ્રિજ બનાવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત એવા દ્રશ્યો પણ જોવા મળે છે જેમાં પુલ પર ટુ વ્હીલર્સને લઈ જવાય છે. પરંતુ આ વખતે તો એક રિક્ષાવાળાએ પોતાની રિક્ષા ફૂટ ઓવર બ્રિજ પર ચડાઈ દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ફૂટ બ્રિજ પર રિક્ષા ચાલકે ચઢાવી દીધી રિક્ષા 

દેશના અનેક રાજ્યો છે એવા અનેક શહેરો છે જ્યાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. ગમે તેટલી વ્યવસ્થા કેમ ન કરવામાં આવે પરંતુ રસ્તા પર ચક્કાજામ જોવા મળતું હોય છે. દિલ્હીનો ટ્રાફિક જામ પણ એમાનો એક છે. એક વખત જો તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા તો અનેક કલાકો સુધી તમે એક જ સ્થળ પર ફસાઈ જાઓ. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફૂટ ઓવર બ્રિજ પર રિક્ષા ચઢાવી દે છે. આ ઘટના દિલ્હીના હમદર્દ વિસ્તારની હોવાનું માનવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા વાળો સિજી પર પોતાની રિક્ષાને ચઢાવી રહ્યો છે. આરામથી પુલને ક્રોસ પણ કરી લે છે. આ દરમિયાન એક વ્યક્તિ રિક્ષામાં ઘૂસતો પણ નજરે પડે છે.              



વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કરી કાર્યવાહી 

વીડિયો વાયરલ થતાં પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસે રિક્ષા ચાલકને અને જે વ્યક્તિ રિક્ષામાં બેસવાની કોશિશ કરે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એક વ્યક્તિનું નામ મુન્ના છે જ્યારે બીજા વ્યક્તિનું નામ અમિત છે. બંને વ્યક્તિ દિલ્હીના સંગમ વિહારમાં રહે છે અને આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



મંત્રીના ડ્રાઈવરે રેલ્વે સ્ટેશનમાં ઘૂસાવી હતી ગાડી  

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં મંત્રી ધર્મપાલસિંહના ડ્રાઈવરે વરસાદ હોવાને કારણે ગાડી રેલ્વે સ્ટેશન પર ચડાવી દીધી હતી. એવું પણ સામે આવ્યું હતું કે મંત્રીના બુટ ખરાબ ન થાય તે માટે આવું કરાયું હતું. એ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો છે. ડ્રાઈવરે પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું હતું.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.