Delhiમાં ટ્રાફિકજામ હોવાને કારણે રિક્ષાચાલકે ફૂટ ઓવરબ્રિજ પર ચઢાવી દીધી રીક્ષા! જુઓ વીડિયો અને જાણો વીડિયો વાયરલ થયા બાદ શું થયું?


  • Published By :
  • Published Date : 2023-09-04 17:03:38

ટ્રાફિકજામની સમસ્યા અનેક રાજ્યો માટે માથાનો દુખાવો સાબિત થતો હોય છે. અનેક કલાકો સુધી તમે રસ્તા પર ટ્રાફિકને કારણે અટવાઈ શકો છો. દિલ્હીના લોકો પણ ટ્રાફિકને કારણે પરેશાન થઈ જતા હોય છે. રસ્તા પર ચાલતા લોકોને ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે તે માટે અનેક જગ્યાઓ પર ફૂટપાથ અને બ્રિજ બનાવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત એવા દ્રશ્યો પણ જોવા મળે છે જેમાં પુલ પર ટુ વ્હીલર્સને લઈ જવાય છે. પરંતુ આ વખતે તો એક રિક્ષાવાળાએ પોતાની રિક્ષા ફૂટ ઓવર બ્રિજ પર ચડાઈ દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ફૂટ બ્રિજ પર રિક્ષા ચાલકે ચઢાવી દીધી રિક્ષા 

દેશના અનેક રાજ્યો છે એવા અનેક શહેરો છે જ્યાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. ગમે તેટલી વ્યવસ્થા કેમ ન કરવામાં આવે પરંતુ રસ્તા પર ચક્કાજામ જોવા મળતું હોય છે. દિલ્હીનો ટ્રાફિક જામ પણ એમાનો એક છે. એક વખત જો તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા તો અનેક કલાકો સુધી તમે એક જ સ્થળ પર ફસાઈ જાઓ. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફૂટ ઓવર બ્રિજ પર રિક્ષા ચઢાવી દે છે. આ ઘટના દિલ્હીના હમદર્દ વિસ્તારની હોવાનું માનવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા વાળો સિજી પર પોતાની રિક્ષાને ચઢાવી રહ્યો છે. આરામથી પુલને ક્રોસ પણ કરી લે છે. આ દરમિયાન એક વ્યક્તિ રિક્ષામાં ઘૂસતો પણ નજરે પડે છે.              



વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કરી કાર્યવાહી 

વીડિયો વાયરલ થતાં પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસે રિક્ષા ચાલકને અને જે વ્યક્તિ રિક્ષામાં બેસવાની કોશિશ કરે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એક વ્યક્તિનું નામ મુન્ના છે જ્યારે બીજા વ્યક્તિનું નામ અમિત છે. બંને વ્યક્તિ દિલ્હીના સંગમ વિહારમાં રહે છે અને આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



મંત્રીના ડ્રાઈવરે રેલ્વે સ્ટેશનમાં ઘૂસાવી હતી ગાડી  

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં મંત્રી ધર્મપાલસિંહના ડ્રાઈવરે વરસાદ હોવાને કારણે ગાડી રેલ્વે સ્ટેશન પર ચડાવી દીધી હતી. એવું પણ સામે આવ્યું હતું કે મંત્રીના બુટ ખરાબ ન થાય તે માટે આવું કરાયું હતું. એ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો છે. ડ્રાઈવરે પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું હતું.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .