Delhiમાં ટ્રાફિકજામ હોવાને કારણે રિક્ષાચાલકે ફૂટ ઓવરબ્રિજ પર ચઢાવી દીધી રીક્ષા! જુઓ વીડિયો અને જાણો વીડિયો વાયરલ થયા બાદ શું થયું?


  • Published By :
  • Published Date : 2023-09-04 17:03:38

ટ્રાફિકજામની સમસ્યા અનેક રાજ્યો માટે માથાનો દુખાવો સાબિત થતો હોય છે. અનેક કલાકો સુધી તમે રસ્તા પર ટ્રાફિકને કારણે અટવાઈ શકો છો. દિલ્હીના લોકો પણ ટ્રાફિકને કારણે પરેશાન થઈ જતા હોય છે. રસ્તા પર ચાલતા લોકોને ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે તે માટે અનેક જગ્યાઓ પર ફૂટપાથ અને બ્રિજ બનાવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત એવા દ્રશ્યો પણ જોવા મળે છે જેમાં પુલ પર ટુ વ્હીલર્સને લઈ જવાય છે. પરંતુ આ વખતે તો એક રિક્ષાવાળાએ પોતાની રિક્ષા ફૂટ ઓવર બ્રિજ પર ચડાઈ દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ફૂટ બ્રિજ પર રિક્ષા ચાલકે ચઢાવી દીધી રિક્ષા 

દેશના અનેક રાજ્યો છે એવા અનેક શહેરો છે જ્યાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. ગમે તેટલી વ્યવસ્થા કેમ ન કરવામાં આવે પરંતુ રસ્તા પર ચક્કાજામ જોવા મળતું હોય છે. દિલ્હીનો ટ્રાફિક જામ પણ એમાનો એક છે. એક વખત જો તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા તો અનેક કલાકો સુધી તમે એક જ સ્થળ પર ફસાઈ જાઓ. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફૂટ ઓવર બ્રિજ પર રિક્ષા ચઢાવી દે છે. આ ઘટના દિલ્હીના હમદર્દ વિસ્તારની હોવાનું માનવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા વાળો સિજી પર પોતાની રિક્ષાને ચઢાવી રહ્યો છે. આરામથી પુલને ક્રોસ પણ કરી લે છે. આ દરમિયાન એક વ્યક્તિ રિક્ષામાં ઘૂસતો પણ નજરે પડે છે.              



વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કરી કાર્યવાહી 

વીડિયો વાયરલ થતાં પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસે રિક્ષા ચાલકને અને જે વ્યક્તિ રિક્ષામાં બેસવાની કોશિશ કરે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એક વ્યક્તિનું નામ મુન્ના છે જ્યારે બીજા વ્યક્તિનું નામ અમિત છે. બંને વ્યક્તિ દિલ્હીના સંગમ વિહારમાં રહે છે અને આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



મંત્રીના ડ્રાઈવરે રેલ્વે સ્ટેશનમાં ઘૂસાવી હતી ગાડી  

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં મંત્રી ધર્મપાલસિંહના ડ્રાઈવરે વરસાદ હોવાને કારણે ગાડી રેલ્વે સ્ટેશન પર ચડાવી દીધી હતી. એવું પણ સામે આવ્યું હતું કે મંત્રીના બુટ ખરાબ ન થાય તે માટે આવું કરાયું હતું. એ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો છે. ડ્રાઈવરે પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું હતું.     



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.