Delhiમાં ટ્રાફિકજામ હોવાને કારણે રિક્ષાચાલકે ફૂટ ઓવરબ્રિજ પર ચઢાવી દીધી રીક્ષા! જુઓ વીડિયો અને જાણો વીડિયો વાયરલ થયા બાદ શું થયું?


  • Published By :
  • Published Date : 2023-09-04 17:03:38

ટ્રાફિકજામની સમસ્યા અનેક રાજ્યો માટે માથાનો દુખાવો સાબિત થતો હોય છે. અનેક કલાકો સુધી તમે રસ્તા પર ટ્રાફિકને કારણે અટવાઈ શકો છો. દિલ્હીના લોકો પણ ટ્રાફિકને કારણે પરેશાન થઈ જતા હોય છે. રસ્તા પર ચાલતા લોકોને ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે તે માટે અનેક જગ્યાઓ પર ફૂટપાથ અને બ્રિજ બનાવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત એવા દ્રશ્યો પણ જોવા મળે છે જેમાં પુલ પર ટુ વ્હીલર્સને લઈ જવાય છે. પરંતુ આ વખતે તો એક રિક્ષાવાળાએ પોતાની રિક્ષા ફૂટ ઓવર બ્રિજ પર ચડાઈ દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ફૂટ બ્રિજ પર રિક્ષા ચાલકે ચઢાવી દીધી રિક્ષા 

દેશના અનેક રાજ્યો છે એવા અનેક શહેરો છે જ્યાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. ગમે તેટલી વ્યવસ્થા કેમ ન કરવામાં આવે પરંતુ રસ્તા પર ચક્કાજામ જોવા મળતું હોય છે. દિલ્હીનો ટ્રાફિક જામ પણ એમાનો એક છે. એક વખત જો તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા તો અનેક કલાકો સુધી તમે એક જ સ્થળ પર ફસાઈ જાઓ. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફૂટ ઓવર બ્રિજ પર રિક્ષા ચઢાવી દે છે. આ ઘટના દિલ્હીના હમદર્દ વિસ્તારની હોવાનું માનવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા વાળો સિજી પર પોતાની રિક્ષાને ચઢાવી રહ્યો છે. આરામથી પુલને ક્રોસ પણ કરી લે છે. આ દરમિયાન એક વ્યક્તિ રિક્ષામાં ઘૂસતો પણ નજરે પડે છે.              



વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કરી કાર્યવાહી 

વીડિયો વાયરલ થતાં પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસે રિક્ષા ચાલકને અને જે વ્યક્તિ રિક્ષામાં બેસવાની કોશિશ કરે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એક વ્યક્તિનું નામ મુન્ના છે જ્યારે બીજા વ્યક્તિનું નામ અમિત છે. બંને વ્યક્તિ દિલ્હીના સંગમ વિહારમાં રહે છે અને આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



મંત્રીના ડ્રાઈવરે રેલ્વે સ્ટેશનમાં ઘૂસાવી હતી ગાડી  

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં મંત્રી ધર્મપાલસિંહના ડ્રાઈવરે વરસાદ હોવાને કારણે ગાડી રેલ્વે સ્ટેશન પર ચડાવી દીધી હતી. એવું પણ સામે આવ્યું હતું કે મંત્રીના બુટ ખરાબ ન થાય તે માટે આવું કરાયું હતું. એ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો છે. ડ્રાઈવરે પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું હતું.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.