રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું મોટું નુકસાન, નુકસાન અંગે જલ્દી સર્વે કરવામાં આવે તે માટે પાલ આંબલિયા આવ્યા મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-03-23 17:22:57

માર્ચ મહિનામાં આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. માવઠાને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા છે. જેને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોને લઈ પાલ આંબલિયાએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કમોસમી વરસાદનું તાત્કાલિક સર્વે કરવામાં આવે. ઉપરાંત ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં નક્કી કરેલ રાહતની રકમ ચૂકવવામાં આવે. 48-72 કલાકની અંદર આ સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી.


ખેડૂતોને આવ્યો  રડવાનો વારો 

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્ચમાં અષાઢી માહોલ જામ્યો છે.  માવઠાને કારણે ખેતરમાં થયેલા પાકોને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની ખરીફ ડુંગળી, ખરીફ, કપાસ જીરૂં,ધાણા સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોને જલ્દી સહાય કરે તે માટે પાલ આંબલીયાએ પત્ર લખ્યો છે. 


જલ્દી સર્વે કરવામાં આવે તેવી કરી રજૂઆત  

પાલ આંબલિયાએ પત્ર લખી સરકારને રજૂઆત કરી છે. પાલ આંબલિયાએ પત્રમાં લખ્યું કે દુખ સાથે કહેવું પડે છે કે રાજ્યમાં 3 માર્ચથી 15 માર્ચ સુધી કમોસમી વરસાદ પડ્યો છે. ક્યાંક સર્વે શરૂ કરાયો છે. અને ક્યાંક તો હજૂ સુધી કોઈ જગ્યાઓ પર સર્વે કરવામાં જ આવ્યો નથી. 20 દિવસ થયાં પરંતુ કોઈ સર્વે કરવા ન જાય તો ખેડૂતો પોતાનો બગડેલો પાક સર્વે ટીમ આવે એની રાહ જોઈને બેસી ન રહે અને પોતાના બગડેલા પાકને ખેતરમાંથી હટાવી દે છે. પરંતુ જ્યારે સરકારની સર્વે ટીમ સર્વે માટે ખેતરમાં પહોંચે છે તો ખેડૂતોએ ખેતર સાફ કરી નાખ્યું હોય છે. ત્યારે યુદ્ધના ધોરણે 48થી 72 કલાકમાં પાક નુકસાની માટે સર્વે કરાવી લેવો જોઈએ અને થયેલ પાક નુકસાનીનું વળતર ખેડૂતોને મોડામાં મોડું સર્વે પૂરો થયાના 72 કલાક પછી મળી જવો જોઈએ.     


કેસર કેરીના પાકને થયું છે મોટા પાયે નુકસાન 

કમોસમી વરસાદને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. ઉપરાંત ખેતરમાં થયેલા પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને સરકાર તરફથી જલ્દી સહાય મળે તે માટે આંબલિયાએ પત્ર લખ્યો હતો અને જલ્દી સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.         



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.