રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું મોટું નુકસાન, નુકસાન અંગે જલ્દી સર્વે કરવામાં આવે તે માટે પાલ આંબલિયા આવ્યા મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-03-23 17:22:57

માર્ચ મહિનામાં આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. માવઠાને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા છે. જેને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોને લઈ પાલ આંબલિયાએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કમોસમી વરસાદનું તાત્કાલિક સર્વે કરવામાં આવે. ઉપરાંત ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં નક્કી કરેલ રાહતની રકમ ચૂકવવામાં આવે. 48-72 કલાકની અંદર આ સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી.


ખેડૂતોને આવ્યો  રડવાનો વારો 

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્ચમાં અષાઢી માહોલ જામ્યો છે.  માવઠાને કારણે ખેતરમાં થયેલા પાકોને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની ખરીફ ડુંગળી, ખરીફ, કપાસ જીરૂં,ધાણા સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોને જલ્દી સહાય કરે તે માટે પાલ આંબલીયાએ પત્ર લખ્યો છે. 


જલ્દી સર્વે કરવામાં આવે તેવી કરી રજૂઆત  

પાલ આંબલિયાએ પત્ર લખી સરકારને રજૂઆત કરી છે. પાલ આંબલિયાએ પત્રમાં લખ્યું કે દુખ સાથે કહેવું પડે છે કે રાજ્યમાં 3 માર્ચથી 15 માર્ચ સુધી કમોસમી વરસાદ પડ્યો છે. ક્યાંક સર્વે શરૂ કરાયો છે. અને ક્યાંક તો હજૂ સુધી કોઈ જગ્યાઓ પર સર્વે કરવામાં જ આવ્યો નથી. 20 દિવસ થયાં પરંતુ કોઈ સર્વે કરવા ન જાય તો ખેડૂતો પોતાનો બગડેલો પાક સર્વે ટીમ આવે એની રાહ જોઈને બેસી ન રહે અને પોતાના બગડેલા પાકને ખેતરમાંથી હટાવી દે છે. પરંતુ જ્યારે સરકારની સર્વે ટીમ સર્વે માટે ખેતરમાં પહોંચે છે તો ખેડૂતોએ ખેતર સાફ કરી નાખ્યું હોય છે. ત્યારે યુદ્ધના ધોરણે 48થી 72 કલાકમાં પાક નુકસાની માટે સર્વે કરાવી લેવો જોઈએ અને થયેલ પાક નુકસાનીનું વળતર ખેડૂતોને મોડામાં મોડું સર્વે પૂરો થયાના 72 કલાક પછી મળી જવો જોઈએ.     


કેસર કેરીના પાકને થયું છે મોટા પાયે નુકસાન 

કમોસમી વરસાદને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. ઉપરાંત ખેતરમાં થયેલા પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને સરકાર તરફથી જલ્દી સહાય મળે તે માટે આંબલિયાએ પત્ર લખ્યો હતો અને જલ્દી સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.         



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.