રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું મોટું નુકસાન, નુકસાન અંગે જલ્દી સર્વે કરવામાં આવે તે માટે પાલ આંબલિયા આવ્યા મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-03-23 17:22:57

માર્ચ મહિનામાં આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. માવઠાને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા છે. જેને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોને લઈ પાલ આંબલિયાએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કમોસમી વરસાદનું તાત્કાલિક સર્વે કરવામાં આવે. ઉપરાંત ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં નક્કી કરેલ રાહતની રકમ ચૂકવવામાં આવે. 48-72 કલાકની અંદર આ સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી.


ખેડૂતોને આવ્યો  રડવાનો વારો 

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્ચમાં અષાઢી માહોલ જામ્યો છે.  માવઠાને કારણે ખેતરમાં થયેલા પાકોને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની ખરીફ ડુંગળી, ખરીફ, કપાસ જીરૂં,ધાણા સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોને જલ્દી સહાય કરે તે માટે પાલ આંબલીયાએ પત્ર લખ્યો છે. 


જલ્દી સર્વે કરવામાં આવે તેવી કરી રજૂઆત  

પાલ આંબલિયાએ પત્ર લખી સરકારને રજૂઆત કરી છે. પાલ આંબલિયાએ પત્રમાં લખ્યું કે દુખ સાથે કહેવું પડે છે કે રાજ્યમાં 3 માર્ચથી 15 માર્ચ સુધી કમોસમી વરસાદ પડ્યો છે. ક્યાંક સર્વે શરૂ કરાયો છે. અને ક્યાંક તો હજૂ સુધી કોઈ જગ્યાઓ પર સર્વે કરવામાં જ આવ્યો નથી. 20 દિવસ થયાં પરંતુ કોઈ સર્વે કરવા ન જાય તો ખેડૂતો પોતાનો બગડેલો પાક સર્વે ટીમ આવે એની રાહ જોઈને બેસી ન રહે અને પોતાના બગડેલા પાકને ખેતરમાંથી હટાવી દે છે. પરંતુ જ્યારે સરકારની સર્વે ટીમ સર્વે માટે ખેતરમાં પહોંચે છે તો ખેડૂતોએ ખેતર સાફ કરી નાખ્યું હોય છે. ત્યારે યુદ્ધના ધોરણે 48થી 72 કલાકમાં પાક નુકસાની માટે સર્વે કરાવી લેવો જોઈએ અને થયેલ પાક નુકસાનીનું વળતર ખેડૂતોને મોડામાં મોડું સર્વે પૂરો થયાના 72 કલાક પછી મળી જવો જોઈએ.     


કેસર કેરીના પાકને થયું છે મોટા પાયે નુકસાન 

કમોસમી વરસાદને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. ઉપરાંત ખેતરમાં થયેલા પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને સરકાર તરફથી જલ્દી સહાય મળે તે માટે આંબલિયાએ પત્ર લખ્યો હતો અને જલ્દી સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.         



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.