રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું મોટું નુકસાન, નુકસાન અંગે જલ્દી સર્વે કરવામાં આવે તે માટે પાલ આંબલિયા આવ્યા મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-03-23 17:22:57

માર્ચ મહિનામાં આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. માવઠાને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા છે. જેને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોને લઈ પાલ આંબલિયાએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કમોસમી વરસાદનું તાત્કાલિક સર્વે કરવામાં આવે. ઉપરાંત ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં નક્કી કરેલ રાહતની રકમ ચૂકવવામાં આવે. 48-72 કલાકની અંદર આ સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી.


ખેડૂતોને આવ્યો  રડવાનો વારો 

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્ચમાં અષાઢી માહોલ જામ્યો છે.  માવઠાને કારણે ખેતરમાં થયેલા પાકોને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની ખરીફ ડુંગળી, ખરીફ, કપાસ જીરૂં,ધાણા સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોને જલ્દી સહાય કરે તે માટે પાલ આંબલીયાએ પત્ર લખ્યો છે. 


જલ્દી સર્વે કરવામાં આવે તેવી કરી રજૂઆત  

પાલ આંબલિયાએ પત્ર લખી સરકારને રજૂઆત કરી છે. પાલ આંબલિયાએ પત્રમાં લખ્યું કે દુખ સાથે કહેવું પડે છે કે રાજ્યમાં 3 માર્ચથી 15 માર્ચ સુધી કમોસમી વરસાદ પડ્યો છે. ક્યાંક સર્વે શરૂ કરાયો છે. અને ક્યાંક તો હજૂ સુધી કોઈ જગ્યાઓ પર સર્વે કરવામાં જ આવ્યો નથી. 20 દિવસ થયાં પરંતુ કોઈ સર્વે કરવા ન જાય તો ખેડૂતો પોતાનો બગડેલો પાક સર્વે ટીમ આવે એની રાહ જોઈને બેસી ન રહે અને પોતાના બગડેલા પાકને ખેતરમાંથી હટાવી દે છે. પરંતુ જ્યારે સરકારની સર્વે ટીમ સર્વે માટે ખેતરમાં પહોંચે છે તો ખેડૂતોએ ખેતર સાફ કરી નાખ્યું હોય છે. ત્યારે યુદ્ધના ધોરણે 48થી 72 કલાકમાં પાક નુકસાની માટે સર્વે કરાવી લેવો જોઈએ અને થયેલ પાક નુકસાનીનું વળતર ખેડૂતોને મોડામાં મોડું સર્વે પૂરો થયાના 72 કલાક પછી મળી જવો જોઈએ.     


કેસર કેરીના પાકને થયું છે મોટા પાયે નુકસાન 

કમોસમી વરસાદને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. ઉપરાંત ખેતરમાં થયેલા પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને સરકાર તરફથી જલ્દી સહાય મળે તે માટે આંબલિયાએ પત્ર લખ્યો હતો અને જલ્દી સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે