આ સ્વભાવને કારણે PM Modi જીતી લે છે લોકોનું દિલ! સાંભળો Aditya Gadhviએ પીએમ મોદી માટે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-03 12:22:19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વિશેષ ખાસિયત છે કે તે લોકો સાથે જલ્દી કનેક્ટ થઈ શકે છે. ગઈકાલે એક જાહેર સભાને જ્યારે પીએમ મોદી સંબોધી રહ્યા હતા તે વખતે એક દીકરી તેમનું પેઈન્ટિંગ લઈને ઉભી હતી. હજારોની જનમેદની વચ્ચે પણ પીએમ મોદીની નજર ભીડમાં ઉભી રહેલી દીકરી પર પડી અને મંચ પરથી તેમણે દીકરીને આશીર્વાદ આપ્યા. પેઈન્ટિંગને પોતાના સુધી પહોંચાડવા માટે તેમણે પોલીસ જવાનોને કહ્યું. હાથમાં પીએમ મોદીની તસવીર લઈને ઉભી રહેલી દીકરીને કહ્યું કે હાથ નીચે લઈ લે નહીં તો થાકી જઈશ. લોકોને પીએમ મોદીનો આ અંદાજ ખૂબ ગમ્યો હતો. ત્યારે આજે આદિત્ય ગઢવીએ પોતાની યાદો તાજા કરી છે. 

આદિત્ય ગઢવીનું ખલાસી સોન્ગ ખૂબ વાયરલ થયું  

ખલાસી સોન્ગે ન માત્ર સોશિયલ મીડિયા પર પરંતુ દરેક પ્લેટફોર્મ પર ધૂમ મચાવી છે. નવરાત્રી દરમિયાન પણ આ સોન્ગ ખૂબ વાયરલ થયું હતું. યુટ્યુબ પર આ સોન્ગના view મિલિયન પર પહોંચી ગયા છે. મોટા લોકોથી લઈ બાળકોના મુખે આ ગીત સાંભળવા મળે છે. અનેક ઘણા બધાની રિલ્સમાં આ સોન્ગ સાંભળવા મળ્યું છે ત્યારે સોન્ગના સિંગર આદિત્ય ગઢવીએ એક ઈન્ટરવ્યુમાં પીએમ મોદી સાથેની વાતો યાદ કરી હતી. પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાનનો કિસ્સો ગુજરાતી ગાયક કલાકાર આદિત્ય ગઢવીએ યાદ કર્યો છે. 


પીએમ મોદીની પ્રશંસામાં આદિત્ય ગઢવીએ કરી આ વાત 

આદિત્ય ગઢવીએ 2014 પહેલાની નરેન્દ્રભાઈ સાથેની મુલાકાતને યાદ કરી હતી. આદિત્યએ નરેન્દ્રભાઈના CM તરીકેના કાર્યકાળ દરમિયાન એક કાર્યક્રમમાં તેમની સાથે થયેલી મુલાકાતને યાદ કરી હતી. પીએમ મોદીના વ્યક્તિવ્યની પ્રશંસા તેમણે કરી હતી. કચ્છના રણોત્સવની પણ તેમણે પ્રશંસા કરી હતી. પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેમનો એક ધ્યેય છે, ભારતને એક સ્થાન અપાવવું છે. આજના જમાનામાં કોઇ વ્યક્તિત્વ છે તો તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ પડકારો સ્વીકારે છે. તેમની પાસે ખૂબ જ સરસ વિઝન છે. જેમ કે, રણ તો છે, પરંતુ એનું શું કરીશું? પરંતુ રણોત્સવ શરૂ કરવો અને દેશ-વિદેશમાંથી લોકો ત્યાં આવે, કચ્છ સાથે જોડાય તેની સંસ્કૃતિ સાથે જોડાય. પીએમ મોદીના આ રણોત્સવના વિચાર પાછળ એક બહુ મોટો જેને કહેવાયને ફોર્સ છે.આ રીતે પીએમ મોદી લોકો સાથે જોડાય છે અને લાંબા સમય સુધી ચાલતી છાપ છોડી જાય છે...  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.