કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું વ્યાપક નુકસાન! BJPના આ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર, સર્વે કરી સહાય આપવા કરી માગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 13:24:29

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલથી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં વરસાદ પડવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. રાતા પાણીએ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે જલ્દી કરાવવામાં આવે અને ખેડૂતોને જલ્દી આર્થિક સહાય આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  

કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા પાયમાલ!   

ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 200થી વધારે તાલુકામાં માવઠાની એન્ટ્રી થઈ છે. અનેક જગ્યાઓ પર કરા પણ પડ્યા હતા. એક તરફ લોકો કરાનો આનંદ માણતા દેખાયા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. માવઠાને કારણે અનેક ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેને કારણે શિયાળા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ત્યારે આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાન થવાને કારણે ખેડૂતોને ફટકો પડ્યો છે. આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. ખેડૂતોને આર્થિક મદદ થાય તે માટે વહેલી તકે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવે અને જલ્દી વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરી છે.    


ભાજપના ધારાસભ્યએ કરી મુખ્યમંત્રીને રજૂઆત 

પાટણમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કરા સાથે કમોસમી વરસાદ થવાને કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. જગતના તાતની ચિંતા ઓછી થાય તે માટે, આર્થિક ટેકો મળી રહે તે માટે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે રવિ પાક જેવા કે જીરું, ઇસબગુલ, એરંડા, સવા સહિત પાકો માવઠામાં ધોવાયા છે. આ તમામ મુદ્દે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા રજૂઆત કરી છે. સમી, સાંતલપુર, રાધનપુર તાલુકામાં સર્વે કરવામાં આવે અને સહાય આપવામાં આવે તેવી માગ સાથે ધારાસભ્યએ રજૂઆત કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.