કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું વ્યાપક નુકસાન! BJPના આ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર, સર્વે કરી સહાય આપવા કરી માગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 13:24:29

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલથી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં વરસાદ પડવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. રાતા પાણીએ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે જલ્દી કરાવવામાં આવે અને ખેડૂતોને જલ્દી આર્થિક સહાય આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  

કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા પાયમાલ!   

ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 200થી વધારે તાલુકામાં માવઠાની એન્ટ્રી થઈ છે. અનેક જગ્યાઓ પર કરા પણ પડ્યા હતા. એક તરફ લોકો કરાનો આનંદ માણતા દેખાયા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. માવઠાને કારણે અનેક ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેને કારણે શિયાળા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ત્યારે આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાન થવાને કારણે ખેડૂતોને ફટકો પડ્યો છે. આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. ખેડૂતોને આર્થિક મદદ થાય તે માટે વહેલી તકે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવે અને જલ્દી વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરી છે.    


ભાજપના ધારાસભ્યએ કરી મુખ્યમંત્રીને રજૂઆત 

પાટણમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કરા સાથે કમોસમી વરસાદ થવાને કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. જગતના તાતની ચિંતા ઓછી થાય તે માટે, આર્થિક ટેકો મળી રહે તે માટે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે રવિ પાક જેવા કે જીરું, ઇસબગુલ, એરંડા, સવા સહિત પાકો માવઠામાં ધોવાયા છે. આ તમામ મુદ્દે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા રજૂઆત કરી છે. સમી, સાંતલપુર, રાધનપુર તાલુકામાં સર્વે કરવામાં આવે અને સહાય આપવામાં આવે તેવી માગ સાથે ધારાસભ્યએ રજૂઆત કરી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.