કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું વ્યાપક નુકસાન! BJPના આ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર, સર્વે કરી સહાય આપવા કરી માગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 13:24:29

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલથી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં વરસાદ પડવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. રાતા પાણીએ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે જલ્દી કરાવવામાં આવે અને ખેડૂતોને જલ્દી આર્થિક સહાય આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  

કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા પાયમાલ!   

ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 200થી વધારે તાલુકામાં માવઠાની એન્ટ્રી થઈ છે. અનેક જગ્યાઓ પર કરા પણ પડ્યા હતા. એક તરફ લોકો કરાનો આનંદ માણતા દેખાયા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. માવઠાને કારણે અનેક ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેને કારણે શિયાળા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ત્યારે આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાન થવાને કારણે ખેડૂતોને ફટકો પડ્યો છે. આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. ખેડૂતોને આર્થિક મદદ થાય તે માટે વહેલી તકે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવે અને જલ્દી વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરી છે.    


ભાજપના ધારાસભ્યએ કરી મુખ્યમંત્રીને રજૂઆત 

પાટણમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કરા સાથે કમોસમી વરસાદ થવાને કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. જગતના તાતની ચિંતા ઓછી થાય તે માટે, આર્થિક ટેકો મળી રહે તે માટે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે રવિ પાક જેવા કે જીરું, ઇસબગુલ, એરંડા, સવા સહિત પાકો માવઠામાં ધોવાયા છે. આ તમામ મુદ્દે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા રજૂઆત કરી છે. સમી, સાંતલપુર, રાધનપુર તાલુકામાં સર્વે કરવામાં આવે અને સહાય આપવામાં આવે તેવી માગ સાથે ધારાસભ્યએ રજૂઆત કરી છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.