કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું વ્યાપક નુકસાન! BJPના આ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર, સર્વે કરી સહાય આપવા કરી માગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 13:24:29

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલથી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં વરસાદ પડવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. રાતા પાણીએ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે જલ્દી કરાવવામાં આવે અને ખેડૂતોને જલ્દી આર્થિક સહાય આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  

કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા પાયમાલ!   

ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 200થી વધારે તાલુકામાં માવઠાની એન્ટ્રી થઈ છે. અનેક જગ્યાઓ પર કરા પણ પડ્યા હતા. એક તરફ લોકો કરાનો આનંદ માણતા દેખાયા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. માવઠાને કારણે અનેક ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેને કારણે શિયાળા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ત્યારે આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાન થવાને કારણે ખેડૂતોને ફટકો પડ્યો છે. આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. ખેડૂતોને આર્થિક મદદ થાય તે માટે વહેલી તકે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવે અને જલ્દી વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરી છે.    


ભાજપના ધારાસભ્યએ કરી મુખ્યમંત્રીને રજૂઆત 

પાટણમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કરા સાથે કમોસમી વરસાદ થવાને કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. જગતના તાતની ચિંતા ઓછી થાય તે માટે, આર્થિક ટેકો મળી રહે તે માટે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે રવિ પાક જેવા કે જીરું, ઇસબગુલ, એરંડા, સવા સહિત પાકો માવઠામાં ધોવાયા છે. આ તમામ મુદ્દે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા રજૂઆત કરી છે. સમી, સાંતલપુર, રાધનપુર તાલુકામાં સર્વે કરવામાં આવે અને સહાય આપવામાં આવે તેવી માગ સાથે ધારાસભ્યએ રજૂઆત કરી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.