Unseasonal Rainને કારણે જગતના તાતની વધી ચિંતા, કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનનો કરાશે સર્વે, રાઘવજી પટેલ દ્વારા કરાઈ જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-05-14 17:31:51

ગુજરાતના હવામાનમાં એકા એક પલટો આવ્યો છે. ગઈકાલે અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો જેને કારણે જગતના તાતની સ્થિતિ કફોડી થઈ ગઈ છે..  પાકને નુકસાન થતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આગામી દિવસો માટે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે.. કૃષિ મંત્રીએ પાક નુકસાનનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.  રાજ્ય સરકારે માવઠાથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવાના આદેશ આપી દીધા હતા.   


કૃષિમંત્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત 

જગતના તાતની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. આ બધા વચ્ચે માવઠાને કારણે સ્થિતિ અત્યંત દયનિય થઈ ગઈ છે. પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.. આ બધા વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાઘવજી પટેલે પાક નુકસાનીનો પ્રાથમિક સરવેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપી દીધો છે. મળતી માહિતી અનુસાર 17 મે બાદ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે..  


નુકસાની વેઠવાનો વારો આવ્યો જગતના તાતને 

ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે.. કોઈ જગ્યા પર કરા પડ્યા છે તો કોઈ જગ્યા પર ધોધમાર વરસાદ આવ્યો છે.. હવામાનમાં આવેલા પલટાને કારણે ગરમીથી તો રાહત મળી પરંતુ તેનાથી જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે. જગતના તાતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતોને રાહત મળે તેવી એક મહત્વપૂર્ણ જાહેરાત કૃષિ મંત્રીએ કરી છે. 


પાકને મોટા પાયે માવઠાને કારણે પહોંચ્યું છે નુકસાન

પાક નુકસાનીનો પ્રાથમિક સરવે કરી રિપોર્ટ રજૂ કરવા માટે કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે તેવી વાત કૃષિમંત્રીએ કરી હતી. મહત્વનું છે કે અચાનક પડેલા માવઠાને કારણે કેરી,  ડાંગર, પપૈયા, શાકભાજી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મહત્વનું છે કે 16 તારીખ સુધી રાજ્યનું વાતાવરણ એવું જ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.    




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે