કમોસમી વરસાદને કારણે મોડાસાના આ ગામમાં સર્જાઈ પુર જેવી પરિસ્થિતિ, પાણી ભરાતા સ્થાનિકોની વધી મુશ્કેલી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 13:38:58

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ ગમે ત્યારે પલટાઈ જાય છે તે ખબર નથી પડતી. અનિયમિત વાતાવરણ થઈ ગયું છે. ત્યારે ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે ખેડૂતોની પીડા અસહનીય બની ગઈ છે. કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. ત્યારે મોડાસાના ઉમેદપુર ગામથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઉનાળાના સમયમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉમેદપુર નદી બે કાંઠે વહી રહી છે. જેને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.


ગામમાં સર્જાઈ પુર જેવી સ્થિતિ 

ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. કોઈ જગ્યાએ કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસાના ઉમેદપુર ગામના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પુર આવ્યું હોય તે રીતના કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ઉમેદપુર ગામમાં સતત બે કલાક વરસાદ પડ્યો હતો. જેને કારણે ઉમેદપુર નદી બે કાંઠે વહી રહી છે. બે કાંઠે નદી વહેવાને કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામનો સંપર્ક તૂટતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.



ગ્લોબલ વોર્મિંગને કારણે સર્જાઈ આવી પરિસ્થિતિ! 

ભર ઉનાળે બે કાંઠે વહી રહેલી નદી એ કુદરતની કેટલી મોટી ચેતવણી છે, જેને કદાચ આપણે સમજી જ નથી રહ્યા. અનેક વખત વિકાસના નામે આપણે વિનાશ કરી દેતા હોઈએ છીએ. ગ્લોબલ વોર્મિંગ એટલી હદે વધી રહી છે, કે એક દિવસ આ જ ગ્લોબલ વોર્મિંગ આપણા વિનાશનું કારણ બની શકે છે. એવું લાગી રહ્યું છે, શહેરમાં થતા પ્રદુષણની અસર ગામડાઓમાં પણ દેખાઈ રહી છે, જેનું પરિણામ જગતના તાત એવાં ખેડૂતને ભોગવવું પડે છે. અંતે ખેડૂતોને રડવાનો વારો આવતો હોય છે. 



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.