કમોસમી વરસાદને કારણે મોડાસાના આ ગામમાં સર્જાઈ પુર જેવી પરિસ્થિતિ, પાણી ભરાતા સ્થાનિકોની વધી મુશ્કેલી


  • Published By :
  • Published Date : 2023-03-18 13:38:58

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ ગમે ત્યારે પલટાઈ જાય છે તે ખબર નથી પડતી. અનિયમિત વાતાવરણ થઈ ગયું છે. ત્યારે ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે ખેડૂતોની પીડા અસહનીય બની ગઈ છે. કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. ત્યારે મોડાસાના ઉમેદપુર ગામથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઉનાળાના સમયમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉમેદપુર નદી બે કાંઠે વહી રહી છે. જેને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.


ગામમાં સર્જાઈ પુર જેવી સ્થિતિ 

ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. કોઈ જગ્યાએ કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસાના ઉમેદપુર ગામના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પુર આવ્યું હોય તે રીતના કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ઉમેદપુર ગામમાં સતત બે કલાક વરસાદ પડ્યો હતો. જેને કારણે ઉમેદપુર નદી બે કાંઠે વહી રહી છે. બે કાંઠે નદી વહેવાને કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામનો સંપર્ક તૂટતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.



ગ્લોબલ વોર્મિંગને કારણે સર્જાઈ આવી પરિસ્થિતિ! 

ભર ઉનાળે બે કાંઠે વહી રહેલી નદી એ કુદરતની કેટલી મોટી ચેતવણી છે, જેને કદાચ આપણે સમજી જ નથી રહ્યા. અનેક વખત વિકાસના નામે આપણે વિનાશ કરી દેતા હોઈએ છીએ. ગ્લોબલ વોર્મિંગ એટલી હદે વધી રહી છે, કે એક દિવસ આ જ ગ્લોબલ વોર્મિંગ આપણા વિનાશનું કારણ બની શકે છે. એવું લાગી રહ્યું છે, શહેરમાં થતા પ્રદુષણની અસર ગામડાઓમાં પણ દેખાઈ રહી છે, જેનું પરિણામ જગતના તાત એવાં ખેડૂતને ભોગવવું પડે છે. અંતે ખેડૂતોને રડવાનો વારો આવતો હોય છે. 



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .