યુરોપ અને અમેરિકાનું આતંકવાદ માટે બેવડું વલણ બહાર આવી ગયું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-10 11:27:21

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે? 

India abstains from IMF vote to provide additional funds to Pakistan amid  conflict - The Hindu

IMF એટલેકે , ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે થોડાક સમય પેહલા પાકિસ્તાનને $1 બિલિયન ડોલરની સહાય આપી છે. આ સહાય એક્સટેન્ડેડ ફંડ ફીસીલીટી અંતર્ગત આપવામાં આવી છે. પાકિસ્તાનને આ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી જે $ 7 બિલિયન ડોલરની છે તે અંતર્ગત આ $1 બિલિયન ડોલરનો હપ્તો જાહેર થયો છે. તમે જોઈ શકો છો કે પાકિસ્તાન કેટલી હદે કંગાળ થઈ ચૂક્યું છે  . વાત કરીએ ભારતની તો ભારતના સરકારના નાણાં મંત્રાલય દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે , ભારતે IMFની બોર્ડ મિટિંગમાં એબ્સ્ટન લીધું છે. એટલેકે વોટિંગ નથી કર્યું . સાથે જ ભારત સરકારે વિરોધ કરતા એવો તર્ક આપ્યો છે કે , પાકિસ્તાનનો લોન ચૂકવણીમાં ખુબ નબળો ટ્રેક રેકોર્ડ છે, આ ઉપરાંત પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ આતંકવાદની નિકાસમાં કરી શકે છે. માટે  ભારતે ચિંતા વ્યકત કરી છે.  વાત કરીએ કોંગ્રેસની તો , કોંગ્રેસે ભારત સરકારનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે , ભારતે એબ્સ્ટેઇન નહોતું કરવાનું પરંતુ ચોખ્ખી ના પાડવાની હતી . પરંતુ IMFની જે બોર્ડ મિટિંગ હોય છે તેમાં કોઈ પણ દેશને તેની નાણાકીય તાકાત પ્રમાણે વોટિંગ પાવર મળે છે. સાથે જ IMFના નિયમો મુજબ તમે "નો" એટલેકે , ના નહિ શકો . માત્ર તેની ફેવરમાં વોટ કરી શકો છો અથવા તો , ડિસેન્ટમાં વોટ કરી શકો છો . 

Annual and Spring Meetings

હવે વાત વિશ્વના અન્ય દેશો જેમ કે યુરોપ અને અમેરિકાની તો , તો તેમના આતંકવાદને લઇને ડબલ સ્ટાન્ડર્ડ છે. અમેરિકા જયારે ઇરાક , અફઘાનિસ્તાન પર આક્રમણ કરે તો , તે પોતાની લડાઈ આતંકવાદ સામે ગણાવે છે પરંતુ જયારે ભારત કે પછી અન્ય કોઈ દેશમાં આતંકવાદના લીધે માણસો મરે તો , તેની કોઈ કિંમત હોતી જ નથી . એટલે તો વિકસિત દેશોએ IMFમાં ભારતનો સાથે ના આપ્યો ઉપરાંત , ભારત હંમેશાથી યુનાઇટેડ નેશન્સના મંચ પર માંગણી કરતુ આવ્યું છે કે , સમગ્ર વિશ્વમાં આતંકવાદની એક વ્યાખ્યા નક્કી થાય પરંતુ પશ્ચિમના દેશો તેની માટે પણ સહેમત નથી . આમ યુરોપ અને અમેરિકાની ડ્યુઆલીટી તેના પરથી સામે આવે છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.