યુરોપ અને અમેરિકાનું આતંકવાદ માટે બેવડું વલણ બહાર આવી ગયું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-10 11:27:21

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે? 

India abstains from IMF vote to provide additional funds to Pakistan amid  conflict - The Hindu

IMF એટલેકે , ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે થોડાક સમય પેહલા પાકિસ્તાનને $1 બિલિયન ડોલરની સહાય આપી છે. આ સહાય એક્સટેન્ડેડ ફંડ ફીસીલીટી અંતર્ગત આપવામાં આવી છે. પાકિસ્તાનને આ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી જે $ 7 બિલિયન ડોલરની છે તે અંતર્ગત આ $1 બિલિયન ડોલરનો હપ્તો જાહેર થયો છે. તમે જોઈ શકો છો કે પાકિસ્તાન કેટલી હદે કંગાળ થઈ ચૂક્યું છે  . વાત કરીએ ભારતની તો ભારતના સરકારના નાણાં મંત્રાલય દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે , ભારતે IMFની બોર્ડ મિટિંગમાં એબ્સ્ટન લીધું છે. એટલેકે વોટિંગ નથી કર્યું . સાથે જ ભારત સરકારે વિરોધ કરતા એવો તર્ક આપ્યો છે કે , પાકિસ્તાનનો લોન ચૂકવણીમાં ખુબ નબળો ટ્રેક રેકોર્ડ છે, આ ઉપરાંત પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ આતંકવાદની નિકાસમાં કરી શકે છે. માટે  ભારતે ચિંતા વ્યકત કરી છે.  વાત કરીએ કોંગ્રેસની તો , કોંગ્રેસે ભારત સરકારનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે , ભારતે એબ્સ્ટેઇન નહોતું કરવાનું પરંતુ ચોખ્ખી ના પાડવાની હતી . પરંતુ IMFની જે બોર્ડ મિટિંગ હોય છે તેમાં કોઈ પણ દેશને તેની નાણાકીય તાકાત પ્રમાણે વોટિંગ પાવર મળે છે. સાથે જ IMFના નિયમો મુજબ તમે "નો" એટલેકે , ના નહિ શકો . માત્ર તેની ફેવરમાં વોટ કરી શકો છો અથવા તો , ડિસેન્ટમાં વોટ કરી શકો છો . 

Annual and Spring Meetings

હવે વાત વિશ્વના અન્ય દેશો જેમ કે યુરોપ અને અમેરિકાની તો , તો તેમના આતંકવાદને લઇને ડબલ સ્ટાન્ડર્ડ છે. અમેરિકા જયારે ઇરાક , અફઘાનિસ્તાન પર આક્રમણ કરે તો , તે પોતાની લડાઈ આતંકવાદ સામે ગણાવે છે પરંતુ જયારે ભારત કે પછી અન્ય કોઈ દેશમાં આતંકવાદના લીધે માણસો મરે તો , તેની કોઈ કિંમત હોતી જ નથી . એટલે તો વિકસિત દેશોએ IMFમાં ભારતનો સાથે ના આપ્યો ઉપરાંત , ભારત હંમેશાથી યુનાઇટેડ નેશન્સના મંચ પર માંગણી કરતુ આવ્યું છે કે , સમગ્ર વિશ્વમાં આતંકવાદની એક વ્યાખ્યા નક્કી થાય પરંતુ પશ્ચિમના દેશો તેની માટે પણ સહેમત નથી . આમ યુરોપ અને અમેરિકાની ડ્યુઆલીટી તેના પરથી સામે આવે છે.



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.