ગુજરાતમાં કમોસમી વરસાદના એંધાણ, વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2022-12-11 12:39:00

ગુજરાતમાં ઠંડીનો ચમાકારો અનુવાઈ રહ્યો છે. તાપમાનનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. ત્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. એવું માનવામાં આવે છે કે બંગાળની ખાડીમાં અથવા તો અરબી સમુદ્રમાં કોઈ પણ પરિવર્તન આવે છે તો તેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડતી હોય છે. ત્યારે ચક્રવાતી તોફાન મૈડુસને કારણે ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ત્રણ દિવસ માટે રહી શકે છે વરસાદી માહોલ

દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ચક્રવાતી તૂફાનને કારણે ભારે નુકસાન થયું છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ચક્રવાતની અસર ગુજરાત પર પણ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનુમાન પ્રમાણે ભર શિયાળે ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. 


કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી 

12 અને 13 ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં આ ચક્રવાતી તૂફાનની અસર વર્તાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર દેખાઈ શકે છે. ડાંગ, નવસારી, વલસાડમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના હાલ દેખાઈ રહી છે. કમોસમી વરસાદની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કમોસમી વરસાદ થશે તે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી મહેનત પાણીમાં જશે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે.   




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.