ગુજરાતમાં કમોસમી વરસાદના એંધાણ, વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2022-12-11 12:39:00

ગુજરાતમાં ઠંડીનો ચમાકારો અનુવાઈ રહ્યો છે. તાપમાનનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. ત્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. એવું માનવામાં આવે છે કે બંગાળની ખાડીમાં અથવા તો અરબી સમુદ્રમાં કોઈ પણ પરિવર્તન આવે છે તો તેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડતી હોય છે. ત્યારે ચક્રવાતી તોફાન મૈડુસને કારણે ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ત્રણ દિવસ માટે રહી શકે છે વરસાદી માહોલ

દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ચક્રવાતી તૂફાનને કારણે ભારે નુકસાન થયું છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ચક્રવાતની અસર ગુજરાત પર પણ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનુમાન પ્રમાણે ભર શિયાળે ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. 


કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી 

12 અને 13 ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં આ ચક્રવાતી તૂફાનની અસર વર્તાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર દેખાઈ શકે છે. ડાંગ, નવસારી, વલસાડમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના હાલ દેખાઈ રહી છે. કમોસમી વરસાદની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કમોસમી વરસાદ થશે તે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી મહેનત પાણીમાં જશે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી