ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર પોલીસ એક્શનમાં, આરોપીઓને પકડવા રચાઈ SIT


  • Published By :
  • Published Date : 2023-04-16 19:15:41

રાજ્યમાં સરકારી નોકરી માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરિતીઓએ ચિંતા વધારી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડ, યુનિવર્સિટીની પરીક્ષામાં ડમી ઉમેદવારોને લઈને ખુલાસા કરતા હડકંપ મચી ગયો હતો. હવે આ મામલે ભાવનગર પોલીસે ડમી ઉમેદવારો કાંડ મામલે કરેલી કાર્યવાહી તેનો બોલતો પુરાવો છે કે રાજ્યમાં સરકારી તંત્ર કેટલી હદે પાંગળું થઈ ગયું છે. ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે 36 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. હવે ડમી કાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કરવામાં આવી છે.


SITની રચના કરવામાં આવી


ભાવનગરમાં ડમી ઉમેદવારો કાંડ મામલે SP દ્વારા SIT ની  રચના કરવામાં આવી છે. આ SITનાં સુપરવિઝન અધિકારી તરીકે  DYSP આર.આર.સિંઘલ નાયબ પોલીસ કમિશનર, ભાવનગર વિભાગ તથા તપાસ કરનાર અધિકારી એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,SOG ભાવનગર તથા PSI આર.બી.વાધીયા, PSI વી.સી.જાડેજા, PSI એચ.આર.જાડેજા, PSI ડી.એ.વાળા, PSI એચ.એસ.તિવારી તથા પોલીસ સ્ટાફનાં રાઇટર તરીકે કુલ 7 સભ્યો તથા પોલીસ હેડ કવાર્ટર ખાતેથી કુલ-12 સભ્યોની નિમણુક કરવામાં આવી છે. આ SITની સાથે એલ.સી.બી.નાં ઇન્ચાર્જ PI બી.એચ.શીંગરખીયા, PSI કે.એમ.પટેલ,PSI પી.બી.જેબલીયા, PSI પી.આર.સરવૈયા તથા LCB,SOG તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ પણ સહયોગમાં જોડાયો છે.


પોલીસે સપાટો બોલાવ્યો


ભાવનગર ડમી કાંડ ઉમેદવારોનાં મામલામાં પોલીસે આરોપીઓ સામે તપાસનો સપાટો બોલાવ્યો છે. ગઈકાલે પોલીસે સત્તાવાર રીતે 4 લોકોની ધડપકડ કર્યા બાદ બાકી રહેલા 32 લોકોની શોધખોળ શરૂ કરી છે. ભાવનગર જિલ્લાના તળાજા, સિહોર તાલુકામાં રહેઠાણ ધરાવતા આ 32 આરોપીઓનાં ઘરે પહોંચવા બની સજ્જ થઈ છે. ભાવનગર પોલીસે 4 ટીમો બનાવી જુદાજુદા વિસ્તારમાં આરોપીઓ ઝડપી પાડવા અભિયાન હાથ ધર્યું છે. પોલીસે ઝડપવાનાં બાકી રહેલા આરોપીઓનાં કોલ ડિટેલ્સ માટે ટેક્નિલ ટીમની મદદ લીધી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.