ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર પોલીસ એક્શનમાં, આરોપીઓને પકડવા રચાઈ SIT


  • Published By :
  • Published Date : 2023-04-16 19:15:41

રાજ્યમાં સરકારી નોકરી માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરિતીઓએ ચિંતા વધારી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડ, યુનિવર્સિટીની પરીક્ષામાં ડમી ઉમેદવારોને લઈને ખુલાસા કરતા હડકંપ મચી ગયો હતો. હવે આ મામલે ભાવનગર પોલીસે ડમી ઉમેદવારો કાંડ મામલે કરેલી કાર્યવાહી તેનો બોલતો પુરાવો છે કે રાજ્યમાં સરકારી તંત્ર કેટલી હદે પાંગળું થઈ ગયું છે. ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે 36 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. હવે ડમી કાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કરવામાં આવી છે.


SITની રચના કરવામાં આવી


ભાવનગરમાં ડમી ઉમેદવારો કાંડ મામલે SP દ્વારા SIT ની  રચના કરવામાં આવી છે. આ SITનાં સુપરવિઝન અધિકારી તરીકે  DYSP આર.આર.સિંઘલ નાયબ પોલીસ કમિશનર, ભાવનગર વિભાગ તથા તપાસ કરનાર અધિકારી એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,SOG ભાવનગર તથા PSI આર.બી.વાધીયા, PSI વી.સી.જાડેજા, PSI એચ.આર.જાડેજા, PSI ડી.એ.વાળા, PSI એચ.એસ.તિવારી તથા પોલીસ સ્ટાફનાં રાઇટર તરીકે કુલ 7 સભ્યો તથા પોલીસ હેડ કવાર્ટર ખાતેથી કુલ-12 સભ્યોની નિમણુક કરવામાં આવી છે. આ SITની સાથે એલ.સી.બી.નાં ઇન્ચાર્જ PI બી.એચ.શીંગરખીયા, PSI કે.એમ.પટેલ,PSI પી.બી.જેબલીયા, PSI પી.આર.સરવૈયા તથા LCB,SOG તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ પણ સહયોગમાં જોડાયો છે.


પોલીસે સપાટો બોલાવ્યો


ભાવનગર ડમી કાંડ ઉમેદવારોનાં મામલામાં પોલીસે આરોપીઓ સામે તપાસનો સપાટો બોલાવ્યો છે. ગઈકાલે પોલીસે સત્તાવાર રીતે 4 લોકોની ધડપકડ કર્યા બાદ બાકી રહેલા 32 લોકોની શોધખોળ શરૂ કરી છે. ભાવનગર જિલ્લાના તળાજા, સિહોર તાલુકામાં રહેઠાણ ધરાવતા આ 32 આરોપીઓનાં ઘરે પહોંચવા બની સજ્જ થઈ છે. ભાવનગર પોલીસે 4 ટીમો બનાવી જુદાજુદા વિસ્તારમાં આરોપીઓ ઝડપી પાડવા અભિયાન હાથ ધર્યું છે. પોલીસે ઝડપવાનાં બાકી રહેલા આરોપીઓનાં કોલ ડિટેલ્સ માટે ટેક્નિલ ટીમની મદદ લીધી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.