એક પ્રમાણિક પરીક્ષાર્થીના કારણે બહાર આવ્યું ડમી ઉમેદવાર કૌભાંડ, જાણો ઈનસાઈડ સ્ટોરી


  • Published By :
  • Published Date : 2023-04-05 18:48:28

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા હોય કે પછી સ્પર્ધાત્મક કસોટી ગેરરિતીએ મોટી સમસ્યા બની ગઈ છે. જાણીતા વિદ્યાર્થી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીનો ઉપયોગ થતો હોવાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. આપણી સિસ્ટમ કેટલી હદે પાંગળી થઈ ગઈ છે કે પરીક્ષા આપનારો કોઈ ડમી ઉમેદવાર છે તે પણ પકડી શકતી નથી. સરકારી નોકરી માટે લોકો તમામ હદો વટાવી રહ્યા છે. ઘણી વખત એવું બને છે કે પૈસાના જોરે ખોટા સિક્કાઓ સિસ્ટમમાં આવી જાય છે. અને ખરેખર લાયક ઉમેદવારોને આત્મહત્યા કરવાનો વારો આવે છે.


ડમી ઉમેદવાર કૌંભાડ કઈ રીતે સામે આવ્યું?


યુવરાજ સિંહ રાજ્યમાં વિવિધ સરકારી વિભાગો માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોનું મોટું રેકેટ બહાર લાવ્યા છે. આ ડમી ઉમેદવારો કોઈ અન્યને સરકારી નોકરી મળે તે માટે પૈસા લઈને પરીક્ષા આપે છે. ખુબ જ સિફતપુર્વક થતી આ ગેરરીતી એક મહેનતુ અને પ્રમાણિક યુવકના કારણે બહાર આવી છે. 6 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો આ યુવક mphwની પરીક્ષામાં માત્ર 0.10 માર્ક્સથી રહી જતા તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેની બહેને યુવરાજ સિંહને ફોન કરને જાણ કરી અને ત્યાર બાદ તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચાલતા ડમી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 


પૈસાના જોરે સરકારી નોકરી


34 વર્ષીય પંડ્યા યુવાને  યુવરાજ સિંહને જણાવ્યું કે ભાવનગર અને તેની આસપાસના ગામોમાં પાલિવાલ સમાજના યુવાનો પૈસાના જોરે પરીક્ષામાં ડમી ઉમેદાવારોને બેસાડીને સરકારી નોકરી મેળવી લે છે. જેના કારણે તેના જેવા લાયક ઉમેદવારોને નુકસાન થઈ રહ્યું છે. આવા સેંકડો લોકો આજે સિસ્ટમનો એક ભાગ બની ગયા છે. આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે. આવા ડમી ઉમેદવારોના કારણે સરકારી તંત્રને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે તે વિચારતા જ મગજ બહેર મગજ બહેર મારી જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ(ભૂતિયા) બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ખાસ કરીને ભાવનગરની આસપાસના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે, પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, ટિમગણા, અગિયાળી આ ડમી ઉમેદવાર રેકેટ ચાલી રહ્યું છે.


સરકારી નોકરી માટે તમામ સમાજોમાં હોડ


ગુજરાતમાં સરકારી નોકરીમાં તેમની જાતિનું પ્રભુત્વ વધે તે માટે તમામ સમાજો સક્રિય છે. સમાજના અગ્રણીઓ તેમના સમાજના યુવાનોને નોકરીઓ મળે તે માટે તમામ હદો વટાવી રહ્યા છે. યુવરાજ સિંહે તેમની પત્રકાર પરિષદમાં ભાવનગરના પીપલા ગામની એક વ્યક્તિ હરિ ડોનનો ઉલ્લેખ કર્યો છે. આ વ્યક્તિ હાલ હયાત નથી પણ તેમણે તેની જાતિના ઉમેદવારોને સરકારી નોકરી મળે તે માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. જો કે આવા સમાજ અગ્રણીઓ અપ્રત્યક્ષ રીતે તેમની જ જાતિના અન્ય ગરીબ ઉમેદવારોને પણ નુકસાન કરતા હોય છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.