એક પ્રમાણિક પરીક્ષાર્થીના કારણે બહાર આવ્યું ડમી ઉમેદવાર કૌભાંડ, જાણો ઈનસાઈડ સ્ટોરી


  • Published By :
  • Published Date : 2023-04-05 18:48:28

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા હોય કે પછી સ્પર્ધાત્મક કસોટી ગેરરિતીએ મોટી સમસ્યા બની ગઈ છે. જાણીતા વિદ્યાર્થી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીનો ઉપયોગ થતો હોવાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. આપણી સિસ્ટમ કેટલી હદે પાંગળી થઈ ગઈ છે કે પરીક્ષા આપનારો કોઈ ડમી ઉમેદવાર છે તે પણ પકડી શકતી નથી. સરકારી નોકરી માટે લોકો તમામ હદો વટાવી રહ્યા છે. ઘણી વખત એવું બને છે કે પૈસાના જોરે ખોટા સિક્કાઓ સિસ્ટમમાં આવી જાય છે. અને ખરેખર લાયક ઉમેદવારોને આત્મહત્યા કરવાનો વારો આવે છે.


ડમી ઉમેદવાર કૌંભાડ કઈ રીતે સામે આવ્યું?


યુવરાજ સિંહ રાજ્યમાં વિવિધ સરકારી વિભાગો માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોનું મોટું રેકેટ બહાર લાવ્યા છે. આ ડમી ઉમેદવારો કોઈ અન્યને સરકારી નોકરી મળે તે માટે પૈસા લઈને પરીક્ષા આપે છે. ખુબ જ સિફતપુર્વક થતી આ ગેરરીતી એક મહેનતુ અને પ્રમાણિક યુવકના કારણે બહાર આવી છે. 6 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો આ યુવક mphwની પરીક્ષામાં માત્ર 0.10 માર્ક્સથી રહી જતા તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેની બહેને યુવરાજ સિંહને ફોન કરને જાણ કરી અને ત્યાર બાદ તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચાલતા ડમી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 


પૈસાના જોરે સરકારી નોકરી


34 વર્ષીય પંડ્યા યુવાને  યુવરાજ સિંહને જણાવ્યું કે ભાવનગર અને તેની આસપાસના ગામોમાં પાલિવાલ સમાજના યુવાનો પૈસાના જોરે પરીક્ષામાં ડમી ઉમેદાવારોને બેસાડીને સરકારી નોકરી મેળવી લે છે. જેના કારણે તેના જેવા લાયક ઉમેદવારોને નુકસાન થઈ રહ્યું છે. આવા સેંકડો લોકો આજે સિસ્ટમનો એક ભાગ બની ગયા છે. આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે. આવા ડમી ઉમેદવારોના કારણે સરકારી તંત્રને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે તે વિચારતા જ મગજ બહેર મગજ બહેર મારી જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ(ભૂતિયા) બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ખાસ કરીને ભાવનગરની આસપાસના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે, પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, ટિમગણા, અગિયાળી આ ડમી ઉમેદવાર રેકેટ ચાલી રહ્યું છે.


સરકારી નોકરી માટે તમામ સમાજોમાં હોડ


ગુજરાતમાં સરકારી નોકરીમાં તેમની જાતિનું પ્રભુત્વ વધે તે માટે તમામ સમાજો સક્રિય છે. સમાજના અગ્રણીઓ તેમના સમાજના યુવાનોને નોકરીઓ મળે તે માટે તમામ હદો વટાવી રહ્યા છે. યુવરાજ સિંહે તેમની પત્રકાર પરિષદમાં ભાવનગરના પીપલા ગામની એક વ્યક્તિ હરિ ડોનનો ઉલ્લેખ કર્યો છે. આ વ્યક્તિ હાલ હયાત નથી પણ તેમણે તેની જાતિના ઉમેદવારોને સરકારી નોકરી મળે તે માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. જો કે આવા સમાજ અગ્રણીઓ અપ્રત્યક્ષ રીતે તેમની જ જાતિના અન્ય ગરીબ ઉમેદવારોને પણ નુકસાન કરતા હોય છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.