ફરજ દરમિયાન TRB જવાન ટ્રાફિક પર ધ્યાન આપવાની બદલીમાં મચેડતો હતો ફોન! Kumar Kananiએ TRB જવાનને જાહેર રસ્તે ખખડાવ્યો, પરંતુ....


  • Published By :
  • Published Date : 2023-08-03 14:14:53

ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. આપણે ઘણીવાર જોતા હોઈએ છે કે જે ટીઆરરપી જવાન હોય કે પછી પોલીસના જવાન હોય, ટ્રાફિક કંટ્રોલ કરવાનો હોય તે સાઈડમાં ઉભા રહી મોબાઈલ વાપરતા  જોવા મળે છે અથવા તો વાતો કરતા જોવા મળે છે. ત્યારે આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો  છે જેમાં ટીઆરબી જવાન ફોન મચેડી રહ્યો હતો અને ધારાસભ્ય કુમાર કાનાણીએ તેને ઝડપી પાડ્યો. ધારાસભ્યે જવાનને ધમકાવ્યો. તે વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  

રસ્તા પર ટ્રાફિક જામ દેખાતા કુમાર કાનાણી રોષે ભરાયા!

પોતાના નિવેદનો, પોતાની એક્શનને લઈ ધારાસભ્ય કુમાર કાનાણી સતત ચર્ચામાં રહેતા હોય છે, તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નોને વાચા આપતા હોય છે. જેને લઈને ઘણી વખત તો પોતાના જ મહાનગરપાલિકાના શાસકોને જ લપેટામાં લેતા હોય છે. ત્યારે હાલ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય તેમની પત્ની સાથે પોતાની એક્ટિવા પર મીની બજાર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક તેમને દેખાયો હતો. તેમણે આસપાસમાં જોયું તો એક પણ ટીઆરબી જવાન દેખાયો નહીં. 


મોબાઈલમાં વ્યસ્ત બની બેઠેલા TRB જવાનનો ઉધડો લીધો!

ત્યારબાદ તેમની નજર ખૂણામાં બે ટીઆરબી જવાન ગાડી ઉપર બેસી મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. પછી એક્ટિવા પરથી તે નીચે ઉતરે છે અને ટીઆરબી જવાનને ખખડાવવા લાગ્યા. કુમાર કાનાણી કહેતા દેખાય છે કે "સીધું કામ કર નહીંતો ઝાપટ મારીશ અને પછી ટીઆરબી જવાન સામે જવાબો આપવા લાગ્યો તો ધારાસભ્યનો પીતો ગયો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કુમાર કાનાણીનો સંપર્ક કર્યો. 


વાયરલ વીડિયોમાં ખુદ કુમાર કાનાણી દેખાયા હેલ્મેટ વગર!

ટ્રાફિકની સમસ્યાને લઈ લોકોને ઘણી પરેશાની થતી હોય છે. અનેક લોકો જેમને અર્જન્ટ, એમરજન્સીમાં કોઈ જગ્યાએ પહોંચવાનું હોય છે તે ટ્રાફિકજામ થવાને કારણે પહોંચી શક્તા નથી. ત્યારે જેમને ટ્રાફિક પર નિયંત્રણ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હોય તે જ પોતાના ફરજ કલાકો દરમિયાન કામ નિષ્ઠા પૂર્વક ન કરે તો? મોબાઈલ વાપરવામાં એટલા પણ વ્યસ્ત ન થવું જોઈએ કે તમે ઓન ડ્યુટી છો તે ભૂલી જાવ. કામના કલાકો દરમિયાન રાખવામાં આવેલી લાપરવાહી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ જે વીડિયો વાયરલ થયો છે તેમાં ખુદ કુમાર કાનાણી હેલ્મેટ વગર દેખાયા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.