ફરજ દરમિયાન TRB જવાન ટ્રાફિક પર ધ્યાન આપવાની બદલીમાં મચેડતો હતો ફોન! Kumar Kananiએ TRB જવાનને જાહેર રસ્તે ખખડાવ્યો, પરંતુ....


  • Published By :
  • Published Date : 2023-08-03 14:14:53

ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. આપણે ઘણીવાર જોતા હોઈએ છે કે જે ટીઆરરપી જવાન હોય કે પછી પોલીસના જવાન હોય, ટ્રાફિક કંટ્રોલ કરવાનો હોય તે સાઈડમાં ઉભા રહી મોબાઈલ વાપરતા  જોવા મળે છે અથવા તો વાતો કરતા જોવા મળે છે. ત્યારે આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો  છે જેમાં ટીઆરબી જવાન ફોન મચેડી રહ્યો હતો અને ધારાસભ્ય કુમાર કાનાણીએ તેને ઝડપી પાડ્યો. ધારાસભ્યે જવાનને ધમકાવ્યો. તે વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  

રસ્તા પર ટ્રાફિક જામ દેખાતા કુમાર કાનાણી રોષે ભરાયા!

પોતાના નિવેદનો, પોતાની એક્શનને લઈ ધારાસભ્ય કુમાર કાનાણી સતત ચર્ચામાં રહેતા હોય છે, તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નોને વાચા આપતા હોય છે. જેને લઈને ઘણી વખત તો પોતાના જ મહાનગરપાલિકાના શાસકોને જ લપેટામાં લેતા હોય છે. ત્યારે હાલ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય તેમની પત્ની સાથે પોતાની એક્ટિવા પર મીની બજાર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક તેમને દેખાયો હતો. તેમણે આસપાસમાં જોયું તો એક પણ ટીઆરબી જવાન દેખાયો નહીં. 


મોબાઈલમાં વ્યસ્ત બની બેઠેલા TRB જવાનનો ઉધડો લીધો!

ત્યારબાદ તેમની નજર ખૂણામાં બે ટીઆરબી જવાન ગાડી ઉપર બેસી મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. પછી એક્ટિવા પરથી તે નીચે ઉતરે છે અને ટીઆરબી જવાનને ખખડાવવા લાગ્યા. કુમાર કાનાણી કહેતા દેખાય છે કે "સીધું કામ કર નહીંતો ઝાપટ મારીશ અને પછી ટીઆરબી જવાન સામે જવાબો આપવા લાગ્યો તો ધારાસભ્યનો પીતો ગયો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કુમાર કાનાણીનો સંપર્ક કર્યો. 


વાયરલ વીડિયોમાં ખુદ કુમાર કાનાણી દેખાયા હેલ્મેટ વગર!

ટ્રાફિકની સમસ્યાને લઈ લોકોને ઘણી પરેશાની થતી હોય છે. અનેક લોકો જેમને અર્જન્ટ, એમરજન્સીમાં કોઈ જગ્યાએ પહોંચવાનું હોય છે તે ટ્રાફિકજામ થવાને કારણે પહોંચી શક્તા નથી. ત્યારે જેમને ટ્રાફિક પર નિયંત્રણ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હોય તે જ પોતાના ફરજ કલાકો દરમિયાન કામ નિષ્ઠા પૂર્વક ન કરે તો? મોબાઈલ વાપરવામાં એટલા પણ વ્યસ્ત ન થવું જોઈએ કે તમે ઓન ડ્યુટી છો તે ભૂલી જાવ. કામના કલાકો દરમિયાન રાખવામાં આવેલી લાપરવાહી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ જે વીડિયો વાયરલ થયો છે તેમાં ખુદ કુમાર કાનાણી હેલ્મેટ વગર દેખાયા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.