ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવારોને યાદ આવી મોંઘવારી, ગ્યાસુદ્દીન શેખે અને વિજય બ્રહ્મભટ્ટે નોંધાવી દાવેદારી


  • Published By :
  • Published Date : 2022-11-15 16:19:25

ગજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ હતો. બીજા તબક્કા માટે ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. દરેક પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પોતાની દાવેદારી નોંધાવી હતી. સાયકલ પર સવાર થઈ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. 


સાયકલ પર સવાર થઈ ગ્લાસુદ્દીન શેખે નોંધાવી દાવેદારી 

મોંઘવારીનો સ્તર સતત વધી રહ્યું છે જેને કારણે જીવન-જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડિજલ તેમજ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તે વાતને દર્શાવવા ગ્યાસુદ્દીન શેખ સાયકલ પર જઈ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તે પ્રમાણે સામાન્ય માણસો માટે પણ સાયકલ મહત્વનું સાધન બનવાની છે. પોતાના સમર્થકો સાથે તેઓ ઔડા ઓફિસ પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. 

AHMEDABAD: Gyasuddin Sheikh on a cycle, Vijay Brahmabhat arrives to fill  the form on a camel cart - અમદાવાદ: ગ્યાસુદીન શેખ સાયકલ પર, વિજય બ્રહ્મભટ્ટ  ઊંટ ગાડામાં ફોર્મ ભરવા પહોંચ્યા ...

ઊંટ ગાડીમાં બેસી પહોંચ્યા કલેક્ટર કચેરી 

આવી જ રીતે ઉંટ ગાડીમાં સવાર થઈ ઠક્કરબાપા નગરના કોંગ્રેસ ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉંટ ગાડીનો સહારો લઈ તેમણે પણ વધતી મોંઘવારી દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. મોટી સંખ્યમાં કાર્યકરોની સાથે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.