Loksabha Election વચ્ચે Supreme Courtએ VVPATને લઈ આપ્યો મહત્વનો ચૂકાદો, બેલેટ પેપરથી નહીં થાય મતદાન! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-26 12:05:54

દેશમાં આજે બીજા તબક્કા અંતર્ગત લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. અનેક વખત ઈવીએમને લઈ સવાલો ઉઠતા હોય છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.. સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી કે EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મત સાથે વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપને મેચ કરવામાં આવે.. પરંતુ આ તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે...   તે ઉપરાંત ઈવીએમની જગ્યા પર બેલેટ પેપરથી ચૂંટણી થાય તેવી માગ સાથે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.. 

ઈવીએમથી જ થશે દેશમાં ચૂંટણી 

અનેક લોકોને કહેતા આપણે સાંભળ્યા હશે કે ચૂંટણી ઈવીએમથી નહીં પરંતુ બેલેટ પેપરથી થવી જોઈએ.. સુપ્રીમ કોર્ટમાં આ માગ સાથે અનેક અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીની સાથે બીજી અરજીએ પણ કરવામાં આવી હતી કે EVMમાંથી VVPAT સ્લિપનું 100% ક્રોસ ચેકિંગ થવું જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આ બંને અરજીઓને ફગાવી દેવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે અમે પ્રોટોકોલ, ટેકનિકલ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી છે. આ પછી અમે સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે. દેશમાં ઈવીએમથી જ ચૂંટણી થશે...  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.