Loksabha Election વચ્ચે Supreme Courtએ VVPATને લઈ આપ્યો મહત્વનો ચૂકાદો, બેલેટ પેપરથી નહીં થાય મતદાન! જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-26 12:05:54

દેશમાં આજે બીજા તબક્કા અંતર્ગત લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. અનેક વખત ઈવીએમને લઈ સવાલો ઉઠતા હોય છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.. સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી કે EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મત સાથે વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપને મેચ કરવામાં આવે.. પરંતુ આ તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે...   તે ઉપરાંત ઈવીએમની જગ્યા પર બેલેટ પેપરથી ચૂંટણી થાય તેવી માગ સાથે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.. 

ઈવીએમથી જ થશે દેશમાં ચૂંટણી 

અનેક લોકોને કહેતા આપણે સાંભળ્યા હશે કે ચૂંટણી ઈવીએમથી નહીં પરંતુ બેલેટ પેપરથી થવી જોઈએ.. સુપ્રીમ કોર્ટમાં આ માગ સાથે અનેક અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીની સાથે બીજી અરજીએ પણ કરવામાં આવી હતી કે EVMમાંથી VVPAT સ્લિપનું 100% ક્રોસ ચેકિંગ થવું જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આ બંને અરજીઓને ફગાવી દેવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે અમે પ્રોટોકોલ, ટેકનિકલ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી છે. આ પછી અમે સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે. દેશમાં ઈવીએમથી જ ચૂંટણી થશે...  



લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સાંભળ્યા મળ્યા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. ત્યારે એવા શબ્દોની વાત કરીએ આજે.

ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ અનેક ભાષણોમાં આ લીડની વાત નથી થતી!

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..

થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?