Loksabha Election વચ્ચે Supreme Courtએ VVPATને લઈ આપ્યો મહત્વનો ચૂકાદો, બેલેટ પેપરથી નહીં થાય મતદાન! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-26 12:05:54

દેશમાં આજે બીજા તબક્કા અંતર્ગત લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. અનેક વખત ઈવીએમને લઈ સવાલો ઉઠતા હોય છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.. સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી કે EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મત સાથે વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપને મેચ કરવામાં આવે.. પરંતુ આ તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે...   તે ઉપરાંત ઈવીએમની જગ્યા પર બેલેટ પેપરથી ચૂંટણી થાય તેવી માગ સાથે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.. 

ઈવીએમથી જ થશે દેશમાં ચૂંટણી 

અનેક લોકોને કહેતા આપણે સાંભળ્યા હશે કે ચૂંટણી ઈવીએમથી નહીં પરંતુ બેલેટ પેપરથી થવી જોઈએ.. સુપ્રીમ કોર્ટમાં આ માગ સાથે અનેક અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીની સાથે બીજી અરજીએ પણ કરવામાં આવી હતી કે EVMમાંથી VVPAT સ્લિપનું 100% ક્રોસ ચેકિંગ થવું જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આ બંને અરજીઓને ફગાવી દેવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે અમે પ્રોટોકોલ, ટેકનિકલ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી છે. આ પછી અમે સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે. દેશમાં ઈવીએમથી જ ચૂંટણી થશે...  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.