ગુજરાત પોલીસની મેગા ડાઈવ દરમિયાન આટલા લોકોએ કર્યો કાયદાનો ભંગ! પોલીસે સમજવું પડશે કે સામાન્ય દિવસોમાં કેટલા લોકો કરતા હશે ઉલ્લંઘન!


  • Published By :
  • Published Date : 2023-07-26 15:51:53

અમદાવાદમાં અકસ્માત સર્જાયા બાદ ગુજરાત પોલીસ એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અકસ્માતો રોકવા માટે પોલીસે એક મહિના માટે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે જેમાં કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલથી શરૂ થયેલી ડ્રાઈવમાં અનેક લોકો વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ પોલીસે 16 પીધેલા, 119 જોખમી ડ્રાઈવિંગ કરતા તેમજ 57 વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. મેગા ડ્રાઈવ અંતર્ગત રાત્રીના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. અમદાવાદમાં અલગ અલગ પોઈન્ટ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.   


તથ્યના કારનામાઓ ધીમે ધીમે આવી રહ્યા છે સામે 

આપણે ત્યાં કહેવત છે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. પાણી વહી ગયા પછી પાળ બનાવવાનો કોઈ અર્થ નથી રહેતો. તેવી જ રીતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે ઓવરસ્પીડ હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે અને તે જીવલેણ પણ સાબિત થયા છે. અમદાવાદમાં થોડા દિવસો પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા છે. આ  ઘટના સામે આવ્યા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસના ત્રણ જવાનો પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ મામલે પોલીસ ઘણી એક્શન મોડમાં દેખાઈ રહી છે. અકસ્માત સર્જાયા બાદ તથ્ય પટેલના તથ્યો સામે આવી રહ્યા છે. આજસુધી તથ્ય પટેલે કેટલા અકસ્માત સર્જ્યા છે તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. 


આટલા લોકોએ કર્યો નિયમોનો ભંગ

અકસ્માત સર્જાતા પોલીસ વડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી એક મહિના સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ ડ્રાઈવ અંતર્ગત લાઈસન્સ, આર.સી.બુક હેલ્મેટ સહિતની વસ્તુઓ તેમજ ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે. શહેરમાં ઓવરસ્પીડના 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ મળીને કુલ 192 કેસ નોંધવામાં આવ્યા છે. 


જો ડ્રાઈવ દરમિયાન આટલા ગુન્હાઓ નોંધાતા હોય તો પછી....

મહત્વનું છે કે ડ્રાઈવ ચાલી રહી છે તેની જાણ હોવા છતાંય જો આટલા કેસ નોંધાઈ રહ્યા છે તો સામાન્ય દિવસોમાં જ્યારે ડ્રાઈવ નહીં ચાલતી હોય ત્યારે કેટલા ગુન્હાઓ બનતા હશે? એક મહિના સુધી સારી રીતે અનેક લોકો ડ્રાઈવ કરશે, નિયમો તેમજ કાયદાનું પાલન કરશે પરંતુ ડ્રાઈવ પૂર્ણ થયા બાદ? પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ આવીને ઉભી રહેશે. આપણી એક જ તકલીફ છે કે આપણે ત્યાં સુધી નથી સુધરતા જ્યાં સુધી આપણા પર નથી વિતતી. કાયદાનું પાલન આપણી સુરક્ષા માટે છે, તે સમજીને પણ આપણે હંમેશા કાયદાનું પાલન કરવું જોઈએ.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.