Rajkot Fire Tragedy વખતે આગમાં ફસાયેલા લોકોને બચાવવા જતા યુવાન બન્યો કાળનો કોળિયો, ચોંધાર આંસુએ રડ્યા સ્વજનો..!


  • Published By :
  • Published Date : 2024-05-27 16:37:14

મોટા મહાનગરોમાં નોકરીની શોધ કરવા માટે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો આવતા હોય છે... મહાનગરોમાં આવીને નોકરી કરે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે કોઈ વખત નોકરી તેમની અંતિમ નોકરી બની જશે.. રાજકોટમાં જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે અનેક લોકો દ્વારા મદદ માટે હાથ લંબાવવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.. ત્યારે એક એવા વ્યક્તિની વાત કરવી છે જેણે બીજાના જીવને બચાવવામાં પોતાનું જીવન ગુમાવી દીધું..  

મૃતદેહ કોનો છે તે ઓળખવા કરાઈ રહ્યો છે ડીએનએ ટેસ્ટ 

રાજકોટમાં સર્જાયેલી કરૂણાંતિકા વિશે આપણે જેટલું કહીએ તેટલું ઓછું છે.. 27 જેટલા લોકોના મોત ટીઆરપી ગેમ ઝોનમાં બળીને થઈ ગયા.. મૃતકોનો પરિવાર હાલ શોકમાં છે.. હવે તેમણે તેમના સ્વજનો પરત આવે તેવી કોઈ આશા લાગતી નથી. પરંતુ હવે ધીરે ધીરે કફનમાં લિપટાયેલા મૃતદેહો તેમના ઘરે આવી રહ્યાં છે. રાજકોટથી જે દ્રશ્યો આવી રહ્યા છે તે બહુ જ ડરામણા બની રહ્યાં છે. લાશની એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કે ઓખળ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.  


વ્હાલસોયાની લાશ જોઈ હચમચી જવાય છે!

પરિવારજનોને પોતાના સ્વજનો માટે પણ DNA મેચ કરાવવાની જરૂર પડી હતી, એટલી ક્ષતવિક્ષત હાલત મૃતદેહની થઈ ગઈ હતી. ઘટના બાદથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, પરંતું હાથમાં આવ્યા મૃતદેહો. જેમના પરિવારોને મૃતદેહો સોંપાયા છે, તે તમામ લોકોની આંખો ભીની હતી, પરિવારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. કોઈનો જીગરનો ટુકરો, કોઈના વ્હાલસોયા... ગેમ રમવા ગયા હતા અને કફનમાં વીંટાળાઈને પરત ફર્યાં  છે. 


ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે 

શનિવારે સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 28થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. આજે સવારથી ધીરે ધીરે DNA ના રિપોર્ટ આવી રહ્યાં છે. જેમ જેમ DNA રિપોર્ટ આવે છે, તેમ મૃતદેહની ઓળખવિધિ કરીને પરિવારને સોંપવાની કામગીરી શરૂ કરાઈ છે. 


અંદર ફસાયેલા લોકોને બચાવવામાં ગુમાવ્યો પોતાનો જીવ!

આ કરુણ ઘટનામાં પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો છે. . આગકાંડના 15 દિવસ પહેલા જ સુનિલ સિદ્ધપુરા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નોકરી પર લાગ્યો હતો. અંદર ફસાયેલા લોકોને બચાવવા અંદર રહ્યો અને પોતે જ કાળનો કોળ્યો બન્યો હતો. આજે પહેલો સુનિલભાઈ સિદ્ધપુરાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા રામનાથપરા સ્મશાન ખાતે અગ્નિદાહ માટે લઈ જવામાં આવ્યો હતો. પરિવારમાં શોક લાગણી ફેલાઇ છે...


મૃતકના સ્વજને કહ્યું કે... 

મૃતકના સ્વજન મહેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, મારો સાળો છે. આ કરુણ દુર્ઘટનામાં અમે અમારો સ્વજન ગુમાવ્યો છે. અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઇએ. આ દુઃખદ ઘટના છે અને આવી ઘટના બનવી ન જોઇએ. અંદર ફસાયેલા લોકોને બચાવવા ગયા હતા અને તેમાં મોડું થઇ ગયું અને બહાર નીકળી શક્યા ન હતા. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે