યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને કેવી રીતે ઈરાનની કરી મદદ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-12 20:53:03

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે. 

આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે , પશ્ચિમ એશિયામાં યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને ઈરાનના મિલિટરી એરફ્રાફ્ટને પોતાના એરપોર્ટ પર પાર્ક કરવાની અનુમતિ આપી હતી. આ અનુમતિ એટલે આપવામાં આવી હતી કેમ કે , અમેરિકન હુમલાઓથી બચી શકાય. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા અમેરિકન અધિકારીઓની જાણકારીની મદદથી લખ્યું છે કે , ઈરાનના વિમાનો એપ્રિલની શરૂઆતમાં પાકિસ્તાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે બની હતી જયારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું હતું. આ પછી તરત જ ઈરાનના વિમાનોને પાકિસ્તાન એરફોર્સના બેઝ નૂર ખાન બેઝ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ વિમાનોમાં ઈરાનની એરફોર્સના RC ૧૩૦ રિકનાઈસન્સ વિમાનોનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ દુશ્મન દેશ પર નજર રાખવા માટે થતો હતો. 

How Pakistan's Asim Munir became Trump's 'favourite field marshal' |  Politics News | Al Jazeera

હવે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBSના દાવા પર અમેરિકામાં તો જબરદસ્ત વિવાદ છેડાઈ ગયો છે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે કે , " જો આ અહેવાલો સાચા છે તો પાકિસ્તાનની મધ્યસ્થ પર ફરી વિચારણા કરવા જોઈએ." યુદ્ધ દરમ્યાન ઈરાનને અફઘાનિસ્તાને પણ મદદ કરી હતી. ઈરાનના સિવિલિયન એરક્રાફ્ટ અફઘાનિસ્તાનમાં આવેલા કેટલાક એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ અગાઉ , ઘણીબધી વખતે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થા કરવા માટે પ્રશંસા કરી ચુક્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBSના આ અહેવાલના લીધે અમેરિકાની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.




"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.