Dwarka : બોરવેલમાં ફસાયેલી માુસમ બાળકી એન્જલનું સારવાર દરમિયાન થયું મોત, જિંદગી સામેની જંગ હારી


  • Published By :
  • Published Date : 2024-01-02 08:45:06

ગઈકાલે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામથી સમાચાર આવ્યા કે અઢી વર્ષની બાળકી એન્જલ રમતા રમતા 100 ફૂટ ઉંડા બોરવોલમાં ફસાઈ ગઈ. બાળકીને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ આર્મીની ટીમ મેદાનમાં ઉતરી હતી. અનેક કલાકોની મહેનત બાદ માસુમ બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી, બાળકી બહાર આવતા ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સારવાર દરમિયાન અઢી વર્ષની બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ. સારવાર દરમિયાન નાની દીકરીનું કરૂણ મોત થઈ ગયું.



રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ હતી અઢી વર્ષની એન્જલ 

બાળક રમતા રમતા અનેક વખત એવી મુસીબતમાં પડી જાય છે કે તે રમતને કારણે તેને જીવ ખોવાનો વારો આવે છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં રમતા રમતા બાળક કોઈ વખત ઉંચેથી નીચે પટકાઈ જાય છે અથવા તો કોઈ વસ્તુ ગળી જાય છે જેને કારણે તેનો જીવ જોખમમાં મૂકાઈ જાય છે. માતા પિતા માટે અનેક વખત એવા લાલ બત્તી સમાન કિસ્સાઓ આવતા રહે છે. ત્યારે એક કિસ્સો દ્વારકાથી સામે આવ્યો જેમાં અઢી વર્ષની દીકરીનું મોત થઈ ગયું. રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ હતી. બોરવેલમાં ફસાયેલી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે ઓક્સિજન પણ મોકલવામાં આવ્યો હતો.



માસુમ બાળકી જિંદગી સામેની જંગ હારી 

બાળકીને સુરક્ષિત બહાર કાઢવા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તેમજ આર્મીની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. અનેક કલાકોની મહેનત બાદ બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી. બેભાન અવસ્થામાં અઢી વર્ષની દીકરી એન્જલને બહાર કાઢવામાં આવી હતી. 108ની ટીમ પણ ત્યાં તૈનાત હતી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી અને સારવાર દરમિયાન એન્જલનું મોત થઈ ગયું.             



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.