Dwarka : બોરવેલમાં ફસાયેલી માુસમ બાળકી એન્જલનું સારવાર દરમિયાન થયું મોત, જિંદગી સામેની જંગ હારી


  • Published By :
  • Published Date : 2024-01-02 08:45:06

ગઈકાલે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામથી સમાચાર આવ્યા કે અઢી વર્ષની બાળકી એન્જલ રમતા રમતા 100 ફૂટ ઉંડા બોરવોલમાં ફસાઈ ગઈ. બાળકીને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ આર્મીની ટીમ મેદાનમાં ઉતરી હતી. અનેક કલાકોની મહેનત બાદ માસુમ બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી, બાળકી બહાર આવતા ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સારવાર દરમિયાન અઢી વર્ષની બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ. સારવાર દરમિયાન નાની દીકરીનું કરૂણ મોત થઈ ગયું.



રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ હતી અઢી વર્ષની એન્જલ 

બાળક રમતા રમતા અનેક વખત એવી મુસીબતમાં પડી જાય છે કે તે રમતને કારણે તેને જીવ ખોવાનો વારો આવે છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં રમતા રમતા બાળક કોઈ વખત ઉંચેથી નીચે પટકાઈ જાય છે અથવા તો કોઈ વસ્તુ ગળી જાય છે જેને કારણે તેનો જીવ જોખમમાં મૂકાઈ જાય છે. માતા પિતા માટે અનેક વખત એવા લાલ બત્તી સમાન કિસ્સાઓ આવતા રહે છે. ત્યારે એક કિસ્સો દ્વારકાથી સામે આવ્યો જેમાં અઢી વર્ષની દીકરીનું મોત થઈ ગયું. રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ હતી. બોરવેલમાં ફસાયેલી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે ઓક્સિજન પણ મોકલવામાં આવ્યો હતો.



માસુમ બાળકી જિંદગી સામેની જંગ હારી 

બાળકીને સુરક્ષિત બહાર કાઢવા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તેમજ આર્મીની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. અનેક કલાકોની મહેનત બાદ બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી. બેભાન અવસ્થામાં અઢી વર્ષની દીકરી એન્જલને બહાર કાઢવામાં આવી હતી. 108ની ટીમ પણ ત્યાં તૈનાત હતી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી અને સારવાર દરમિયાન એન્જલનું મોત થઈ ગયું.             



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.