Dwarka : રખડતા શ્વાનનો આતંક યથાવત! 11 વર્ષની બાળકી પર કર્યો હુમલો, ફાડી કાઢી! ક્યાં સુધી બનતી રહેશે આવી ઘટનાઓ?


  • Published By :
  • Published Date : 2024-04-08 12:47:23

રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શ્વાનના હુમલાને કારણે, રખડતા ઢોરના હુમલાને કારણે લોકોનું જીવન સમાપ્ત થઈ જાય છે... અનેક વખથ આપણી સામે ઉદાહરણો સામે આવે છે જેમાં રખડતા શ્વાન અથવા તો રખડતા ઢોરના હુમલાને કારણે કોઈનું નિર્દોષ વ્યક્તિનું મોત થઈ જતું હોય. ત્યારે એક કિસ્સો દ્વારકાથી સામે આવ્યો છે જેમાં રખડતા શ્વાનના હુમલાને કારણે 11 વર્ષની દીકરીનું મોત થઈ ગયું છે.... 11 વર્ષની બાળકીને રરખડતા શ્વાનોએ ફાડી નાખી...


11 વર્ષની બાળકીને રખડતા શ્વાને ફાડી નાખી!

દ્વારકાથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. ફરી એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાનનો તેમજ રખડતા ઢોરના હુમલાથી લોકોને મુક્તિ મળે તે માટે અનેક તંત્ર દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રખડતા ઢોરને પકડવા માટે તેમજ રખડતા શ્વાનને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ તો પણ અનેક વખત રખડતા ઢોર તેમજ શ્વાનને કારણે એક મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. ત્યારે આવી જ એક કંપાવી દે તેવી દુર્ઘટના દ્વારકામાં બની છે.. મળતી માહિતી અનુસાર રખડતા શ્વાને ભાણવડના રૂપામોરા વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકીને ફાડી નાખી છે. 



બાળકીનું નિપજ્યું કમકમાટી ભર્યું મોત! 

મળતી માહિતી અનુસાર બાળકી ગલીમાં રમી રહી હતી તે વખતે રખડતા શ્વાને તેની પર હુમલો કર્યો. તેને બચકા ભર્યા અને તેને ફાડી ખાધી..  માસુમ બાળકીને શ્વાને અનેક બચકા ભર્યા અને બાળકીને ગંભીર રીતે ઘાયલ કરી. બાળકીને હોસ્પિટલ પણ ખસેડવામાં આવી એ આશા સાથે કે તેને જીવનદાન મળે પરંતુ તેની પહેલા જ બાળકીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે રખડતા શ્વાનના હુમલાને કારણે  અનેક લોકોના મોત થયા છે. આવી ઘટનાઓ બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. નોંધનીય છે કે રખડતાં શ્વાનના હુમલાનું પ્રમાણ વધ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી...સવાલ એ થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકો આવા હુમલાનો ભોગ બનશે...?  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.