Dwarka : રખડતા શ્વાનનો આતંક યથાવત! 11 વર્ષની બાળકી પર કર્યો હુમલો, ફાડી કાઢી! ક્યાં સુધી બનતી રહેશે આવી ઘટનાઓ?


  • Published By :
  • Published Date : 2024-04-08 12:47:23

રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શ્વાનના હુમલાને કારણે, રખડતા ઢોરના હુમલાને કારણે લોકોનું જીવન સમાપ્ત થઈ જાય છે... અનેક વખથ આપણી સામે ઉદાહરણો સામે આવે છે જેમાં રખડતા શ્વાન અથવા તો રખડતા ઢોરના હુમલાને કારણે કોઈનું નિર્દોષ વ્યક્તિનું મોત થઈ જતું હોય. ત્યારે એક કિસ્સો દ્વારકાથી સામે આવ્યો છે જેમાં રખડતા શ્વાનના હુમલાને કારણે 11 વર્ષની દીકરીનું મોત થઈ ગયું છે.... 11 વર્ષની બાળકીને રરખડતા શ્વાનોએ ફાડી નાખી...


11 વર્ષની બાળકીને રખડતા શ્વાને ફાડી નાખી!

દ્વારકાથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. ફરી એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાનનો તેમજ રખડતા ઢોરના હુમલાથી લોકોને મુક્તિ મળે તે માટે અનેક તંત્ર દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રખડતા ઢોરને પકડવા માટે તેમજ રખડતા શ્વાનને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ તો પણ અનેક વખત રખડતા ઢોર તેમજ શ્વાનને કારણે એક મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. ત્યારે આવી જ એક કંપાવી દે તેવી દુર્ઘટના દ્વારકામાં બની છે.. મળતી માહિતી અનુસાર રખડતા શ્વાને ભાણવડના રૂપામોરા વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકીને ફાડી નાખી છે. 



બાળકીનું નિપજ્યું કમકમાટી ભર્યું મોત! 

મળતી માહિતી અનુસાર બાળકી ગલીમાં રમી રહી હતી તે વખતે રખડતા શ્વાને તેની પર હુમલો કર્યો. તેને બચકા ભર્યા અને તેને ફાડી ખાધી..  માસુમ બાળકીને શ્વાને અનેક બચકા ભર્યા અને બાળકીને ગંભીર રીતે ઘાયલ કરી. બાળકીને હોસ્પિટલ પણ ખસેડવામાં આવી એ આશા સાથે કે તેને જીવનદાન મળે પરંતુ તેની પહેલા જ બાળકીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે રખડતા શ્વાનના હુમલાને કારણે  અનેક લોકોના મોત થયા છે. આવી ઘટનાઓ બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. નોંધનીય છે કે રખડતાં શ્વાનના હુમલાનું પ્રમાણ વધ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી...સવાલ એ થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકો આવા હુમલાનો ભોગ બનશે...?  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.