Dwarka : શું ભાજપને ગુજરાતમાંથી એકાદ સીટ ઓછી મળશે? જાણો કેવો છે Dwarkaના મતદાતાઓનો મિજાજ, Jamawat Election Yatra પહોંચી દ્વારકા


  • Published By :
  • Published Date : 2024-04-29 13:14:08

ગુજરાતમાં ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે... 7મી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે મતદાતાઓનો મિજાજ શું છે તે જાણવા માટે જમાવટની ટીમ અનેક લોકસભા બેઠકોની મુલાકાત લઈ રહી છે અને મતદાતાઓ ચૂંટણીને લઈ શું માની રહ્યા છે તે જાણવાની કોશિશ કરી રહી છે... કયા મુદ્દાઓને મતદાતાઓ ધ્યાનમાં રાખે છે, પીએમ તરીકે કોણ છે મતદારોની પસંદગી તે જાણવાની કોશિશ જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારા કરવામાં આવી રહી છે.  

દ્વારકા પહોંચી જમાવટની ઈલેક્શન યાત્રા!

મતદાતાઓનો મિજાજ જાણવા માટે અલગ અલગ લોકસભા બેઠક પર જમાવટ ઈલેક્શન યાત્રા નિકળી રહી છે.. દ્વારકાના મતદાતાઓ મતદાન કરતા પહેલા શું વિચારે છે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકોને મળી હતી.. સામાન્ય લોકો સાથે વાતચીત કરી એ જાણવાની કોશિશ કરી હતી કે ઉમેદવાર વિશે, મુદ્દાઓ વિશે, પીએમ વિશે લોકો શું વિચારે છે? જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપે સાંસદ પૂનમબેન માડમને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે જે.પી.મારવિયાને ઉતાર્યા છે. કયો પક્ષ કયા ઉમેદવાર મતદાતાને પસંદ છે તે જાણવાનો પ્રયત્નો કર્યો હતો... 



પીએમ તરીકે કોણ છે મતદાતાઓની પસંદ?   

સામાન્ય રીતે વિધાનસભામાં મતદાન કરવાના મુદ્દાઓ અલગ હોય છે જ્યારે લોકસભા માટે મતદાન કરતા મતદાતાઓ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લેતા હોય છે... મતદાન કરતા પહેલા મતદાતાઓ શું જોવે છે તે જાણવા માટે અલગ અલગ લોકો સાથે વાત કરી હતી. જામનગરમાં વિકાસ કામો થયા છે કયા કામો બાકી છે, રોજગારને લઈ તેમને પૂછવામાં આવ્યું, પીએમ તરીકે કોને જુવે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. દુકાન ચલાવતા મતદારને જ્યારે વિકાસના કામો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદીના આવ્યા પછી વિકાસના કામો ખૂબ થયા છે.. ! ભાજપ જીતશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. 



દેશમાં કેટલી સીટો ભાજપ જીતશે તો કહ્યું કે... 

ઉમેદવારને લઈ જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પૂનમબેન માડમ દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા છે.. દેશમાં ભાજપ કેટલી સીટો જીતશે તે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 400 સીટો આવી જશે.. તે સિવાય બીજા એક મતદારને પૂછવામાં આવ્યું તો તેમણે પણ ભાજપનું કહ્યું.. રસ્તા સારા બન્યા, લાઈટો લાગી જેવી વાતો તેમના દ્વારા કરવામાં આવી.. જ્યારે એક બીજા મતદારને પૂછવામાં આવ્યું કે કયા કામો નથી થયા ત્યારે તેમણે કહ્યું કે હોસ્પિટલો છે પણ સારા ડોક્ટરો નથી..    


ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે શું માને છે લોકો?

કોઈ મતદાતાએ મોંઘવારીને લઈ વાત કરી હતી.. મોંઘવારી તો વધી છે પરંતુ વસ્તી વધી એટલે મોંઘવારી વધવાની છે... ભરૂચ સીટ પર કાંટાની ટક્કર થઈ શકે છે તેવી વાત તેમણે કહ્યું. ભરૂચની સીટ જરાક જોખમ વાળી રાખે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત બેઠકો પર જે ઉમેદવારોને મૂકવામાં આવ્યા છે તે ટક્કર આપશે કે નહીં તે સવાલ તેમને પૂછવામાં આપ્યો હતો.. તેમણે કહ્યું ઉમેદવારો નવા છે..! તે સિવાય અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવી હતી તેમના દ્વારા... કોઈએ કહ્યું કે વડાપ્રધાન મોદી તેમના ભગવાન છે.. તેમને પીએમ મોદી અતિશય ગમે છે... ત્યારે જોવું રહ્યું કે જામનગર લોકસભા સીટ પર કોણ જીતે છે.? 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.