મુન્દ્રા પોર્ટ પરથી 2 લાખ ઈ-સિગારેટનો જથ્થો જપ્ત, અમદાવાદ અને સુરત DRIની ટીમનું સંયુક્ત ઓપરેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 13:07:18

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ફરી એકવાર પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ અને સુરત DRIની સંયુક્ત ટીમે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને આશરે 48 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. DRIની ટીમને એક કન્ટેનરમાંથી 2,00,400 પ્રતિબંધિત આયાતી ઈ-સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. જ્યારે બીજા કન્ટેનરમાંથી મીસડિક્લેરેશનનો જથ્થો મળી આવ્યો હતો.


કેવી રીતે પડકાયો ઈ-સિગારેટનો મોટો જથ્થો?


સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ચીનથી મુંદ્રા પોર્ટ પર આવી પહોંચેલા બે શંકાસ્પદ કંટેનરને DRIની ટીમ દ્વારા તપાસ કરતા ઈ-સિગારેટનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. સિગારેટની 2,00,400 સ્ટિક્સના જથ્થાની બજાર કિંમત 48 કરોડ જેટલી થાય છે. ઈ-સિગારેટનો આ જથ્થો ચીનથી મંગાવાયો હતો અને મુંબઈ લઈ જવાઈ રહ્યો હતો. મહત્વપૂર્ણ બાબત છે કે ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પર જ ભારત સરકારે અગાઉથી પ્રતિબંધ જાહેર કરેલો છે.


પ્રતિબંધિત ઈ-સિગારેટનું સેવન કરનારને 1 લાખનો દંડ અને 1 વર્ષની સજા 


કેન્દ્ર સરકારે ઈ-સિગારેટના ઉપયોગ પર પ્રતિબંધની સાથે જ સજાની જોગવાઈ પણ કરી છે. નવા નિર્ણય મુજબ પ્રથમ વખત ઈ-સિગારેટ અને ઈ-હુક્કાનો ઉપયોગ કરતાં પકડાય તો રૂ.1 લાખનો દંડ થશે અને 1 વર્ષની સજાની જોગવાઈ છે. જો બીજી વખત ઈ-સિગારેટ કે ઈ-હુક્કામાં પકડાય તો રૂ.5 લાખનો દંડ અને 3 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હોય છે. હુક્કાબાર સામે પોલીસ વિભાગ દ્વારા તવાઈ વધતા હવે યુવકો ઇ-સિગારેટ તરફ વળ્યાં છે. જે યુવાનને સરળતાથી ઇલેક્ટ્રિક ઇ સિગારેટ બજારમાં મળી રહે છે. યુવાઓનો હવે હુક્કાની જગ્યાએ લિકવિડ નિકોટીનવાળી ઇ સિગારેટના વ્યસની બની ગયા છે. જોકે, વાસ્તવિક્તા એ છે કે ઈ-સિગારેટની આરોગ્ય પર અત્યંત ખરાબ અસર પહોંચે છે. સરકારી આંકડા અનુસાર દેશમાં ઈ-સિગારેટની 400થી વધુ બ્રાન્ડ બજારમાં છે, જેમાં 150 કરતાં પણ વધુ ફ્લેવરની ઈ-સિગારેટનું વેચાણ થાય છે. ENDS (ઈલેક્ટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ) અંતર્ગત ઈ-સિગારેટ, હીટ-નોટ બર્ન ડિવાઈસ, ઈ-શીશા, ઈ-નિકોટીન, ફ્લેવર્ડ હુક્કા અને એવી અસંખ્ય પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ છે.


સુરતમાંથી પણ પકડાયો હતો ઈ-સિગારેટનો જથ્થો


અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં સુરતમાંથી પણ 20 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. શહેરના સચિન હાઈવે પરથી ઈ-સિગારેટના કન્ટેનર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ઈ-સિગારેટનો તે જથ્થો ચીનથી મંગાવાયો હતો અને મુંબઈ લઈ જવાઈ રહ્યો હતો તેવું સામે આવ્યું હતું. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"