Ahmedabadના રસ્તાઓ પર પાનની પિચકારી મારનાર લોકોના ઘરે આવી રહ્યો છે ઈ-મેમો! જાણો કેટલા લોકોને ફટકારાયો દંડ?


  • Published By :
  • Published Date : 2024-02-05 16:23:07

અનેક લોકોને એવી આદત હોય છે કે કચરો ગમે ત્યાં નાખી દેવો, ટ્રાફિક સિગ્ન્લ તોડવા, જ્યાં ત્યાં રસ્તા પર થૂંકવું, ટ્રાફિક હોય ત્યાં હોર્ન વગાડવા વગેરે વગેરે... આવી બાબતો આપણે રસ્તા પર સામાન્ય રીતે જોતા હોઈએ છીએ. એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે તો બીજી તરફ શહેરને ગંદુ કરવાનો પ્રયાસ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે જાહેર રસ્તા પર થૂંકનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને તેમના ઘર પર દંડ આપવામાં આવશે તેવી જાહેરાત એએમસી દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ ઝુંબેશ અંતર્ગત વધુ 200થી 300 જેટલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. હજારો રૂપિયા દંડ સ્વરૂપે વસૂલવામાં આવ્યા છે. 


રસ્તા પર થૂંકનાર લોકોને આપવામાં આવશે ઈ-મેમો! 

પાન મસાલો ખાવાની આદત અનેક લોકોને હોય છે. મસાલો તેમના મોંઢામાં ચાલું જ હોય છે અને તે ઘરની બહાર નીકળી જતા હોય છે. પાનની પીચકારી રસ્તા પર અનેક લોકો માર મારતા હોય છે. ગમે ત્યાં થૂંકવું જાણે અનેક લોકોની આદત હોય છે તેવું લાગે છે. હજી સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને દંડ ફટકારવામાં આવતો હતો પરંતુ હવે જાહેર રસ્તા પર થૂંકનાર લોકોને પણ દંડ ફટકારવામાં આવશે. જે કેમેરાનો ઉપયોગ ટ્રાફિકના નિયમોના પાલન માટે કરવામાં આવતો હતો તે જ કેમેરાનો ઉપયોગ આ કાર્ય માટે કરવામાં આવી રહ્યો છે. 


500 રુપિયા સુધીનો ફટકારવામાં આવી શકે છે દંડ 

એએમસી દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જો તમે ટ્રાફિક નિયમનો ભંગ કરો છો તો ઈ-મેમો ફટકારવામાં તો આવશે પરંતુ જો તમે જાહેર રસ્તા પર થૂંકો છો તો પણ તમારે દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે! સીસીટીવી કેમેરાના આધારે જાહેરમાં થૂંકનાર લોકોને ઈ-મેમો આપવામાં આવશે. એવી માહિતી સામે આવી છે કે થોડા દિવસ પહેલા 130થી વધારે લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે વધુ 100 જેટલા બીજા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. 500 રુપિયા સુધીનો દંડ આપવામાં આવી રહ્યો છે. અનેક હજારોનો દંડ લોકોને આપવામાં આવ્યો છે. 


સીસીટીવીના માધ્યમથી લોકો પર રખાશે નજર!

મહત્વનું છે કે અમદાવાદમાં શહેરમાં 6 હજાર જેટલા કેમેરાઓ લગાવવામાં આવ્યા છે જે ટ્રાફિકના નિયમોના પાલન માટે ઉપયોગી છે. AMC સોલિડ વેસ્ટ વિભાગે અભિયાન શરૂ કર્યું છે. જાહેર રસ્તા પર થુંકનારા સામે દંડાત્મક કાર્યવાહી થશે. જો રસ્તા પર પિચકારી મારતા કોઈ નજરે પડશે તો તેને ઈમેમો મોકલવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 130 જેટલા ટ્રાફિક સિગ્નલો અને જાહેર રસ્તા પર 6000 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. 



સારા નાગરિક બનીએ તેવી આશા! 

મહત્વનું છે કે અનેક લોકોને આદત હોય છે રસ્તા પર થૂંકવાની. રસ્તા પર તો થૂંકે છે પરંતુ ચાલુ ગાડીએ, ચાલુ વાહને પાનની પિચકારી મારે છે જેને કારણે પાછળ આવતા વાહનચાલકને તકલીફ ભોગવવાનો વારો આવે છે. રસ્તાને પોતાના બાપનો બગીચો માનીને લોકો ફરતા હોય છે. નિયમો તોડતા પહેલા એક વાર માટે વિચાર નથી કરતા!  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.