Earthquake : Chinaમાં આવ્યો 6.2 તીવ્રતાનો ધરતીકંપ, વિનાશકારી ભૂકંપમાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-19 08:56:26

વિશ્વના અનેક દેશોમાં ભૂકંપને કારણે તારાજી સર્જાઈ છે. અનેક એવા ભૂકંપો આવ્યા છે જે વિનાશકારી સાબિત થયા છે. થોડા સમય પહેલા નેપાળમાં અતિ તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા ત્યારે આ વખતે ચીનમાં અતિ તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. મોડી રાત્રે ઉત્તર પશ્ચિમના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે 100થી વધારે લોકોના મોત થયા હોવાનું અનુમાન છે. 

6.2 તીવ્રતાનો ચીનમાં આવ્યો ભૂકંપ! 

આપણે ત્યાં કહેવાય છે કે કુદરત આગળ માનવ લાચાર છે. કુદરતી આફતોને કારણે અનેક લોકોના જીવ ગયા છે. કોઈ વખત સુનામીને કારણે તો કોઈ ધરતીકંપને કારણે લોકોના મોત થતા હોય છે. ધરતીકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વખત આ જગ્યા પર આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો તેવા સમાચારો સામે આવતા હોય છે. થોડા સમય પહેલા નેપાળમાં તીવ્ર ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો ત્યારે આ વખતે ચીનની ધરતી ધ્રુજી છે. ચીનમાં 6.2ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 111 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે.    

111 જેટલા લોકોના ભૂકંપને કારણે થયા મોત!  

આ ભૂકંપની તીવ્રતા 6.2ની હતી અને તેની ઉંડાઈ 10 કિલોમીટરની હતી. ભૂકંપને કારણે અનેક જગ્યાઓ પર નુકસાન થયું હોય તેવી તસવીરો પણ સામે આવી છે. 111 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહત બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. મેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર આ ભૂકંપ ગાંસુના લિન્ઝિયા ચેંગગુઆનઝેનથી લગભગ 37 કિમી અને લાન્ઝોઉ ગાંસુથી લગભગ 100 કિમી દૂર આવ્યો હતો. ચીની રાષ્ટ્રપતિએ ભૂકંપને સંબંધિત મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે તેવી માહિતી સામે આવી છે.     



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .