Earthquake : Chinaમાં આવ્યો 6.2 તીવ્રતાનો ધરતીકંપ, વિનાશકારી ભૂકંપમાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-19 08:56:26

વિશ્વના અનેક દેશોમાં ભૂકંપને કારણે તારાજી સર્જાઈ છે. અનેક એવા ભૂકંપો આવ્યા છે જે વિનાશકારી સાબિત થયા છે. થોડા સમય પહેલા નેપાળમાં અતિ તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા ત્યારે આ વખતે ચીનમાં અતિ તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. મોડી રાત્રે ઉત્તર પશ્ચિમના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે 100થી વધારે લોકોના મોત થયા હોવાનું અનુમાન છે. 

6.2 તીવ્રતાનો ચીનમાં આવ્યો ભૂકંપ! 

આપણે ત્યાં કહેવાય છે કે કુદરત આગળ માનવ લાચાર છે. કુદરતી આફતોને કારણે અનેક લોકોના જીવ ગયા છે. કોઈ વખત સુનામીને કારણે તો કોઈ ધરતીકંપને કારણે લોકોના મોત થતા હોય છે. ધરતીકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વખત આ જગ્યા પર આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો તેવા સમાચારો સામે આવતા હોય છે. થોડા સમય પહેલા નેપાળમાં તીવ્ર ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો ત્યારે આ વખતે ચીનની ધરતી ધ્રુજી છે. ચીનમાં 6.2ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 111 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે.    

111 જેટલા લોકોના ભૂકંપને કારણે થયા મોત!  

આ ભૂકંપની તીવ્રતા 6.2ની હતી અને તેની ઉંડાઈ 10 કિલોમીટરની હતી. ભૂકંપને કારણે અનેક જગ્યાઓ પર નુકસાન થયું હોય તેવી તસવીરો પણ સામે આવી છે. 111 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહત બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. મેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર આ ભૂકંપ ગાંસુના લિન્ઝિયા ચેંગગુઆનઝેનથી લગભગ 37 કિમી અને લાન્ઝોઉ ગાંસુથી લગભગ 100 કિમી દૂર આવ્યો હતો. ચીની રાષ્ટ્રપતિએ ભૂકંપને સંબંધિત મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે તેવી માહિતી સામે આવી છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.