અફઘાનિસ્તાનમાં ઘરા ધ્રુજી, 6.3ની તીવ્રતાના ભૂકંપથી ભયાનક તારાજી, 2000થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-08 12:45:52

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપના બે આફ્ટરશોકમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ આ જાણકારી આપી છે. યુનાઈટેડ નેશન્સે 2000 લોકો માર્યા ગયાનો પ્રારંભિક આંકડો આપ્યો હતો. ધ ગાર્ડિયનના રિપોર્ટ મુજબ મૃત્યુઆંક આના કરતા વધારે છે. આ બે દાયકામાં દેશમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપ પૈકીનો એક છે. દેશની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ જણાવ્યું કે શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અને ત્યારપછીના જોરદાર ઝટકાઓના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.


6.3ની તીવ્રતાનો ભૂકંપ

 

અમેરિકાના જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ કે દેશના વિવિધ ભાગોમાં 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સર્વેક્ષણની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલ નકશો પ્રદેશમાં સાત ભૂકંપનો સંકેત આપે છે.


અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા  


ટેલિફોન લાઇન ડાઉન હોવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ચોક્કસ વિગતો મેળવવી મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સેંકડો લોકો હેરાત શહેરમાં તેમના ઘરો અને ઓફિસોની બહાર રસ્તા પર જોવા મળ્યા હતા. હેરાત પ્રાંત ઈરાનની સરહદે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, નજીકના ફરાહ અને બદગીસ પ્રાંતમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. આર્થિક બાબતો માટે તાલિબાન દ્વારા નિયુક્ત નાયબ વડા પ્રધાન અબ્દુલ ગની બરાદરે હેરાત અને બદગીસમાં ભૂકંપમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.



જૂન 2022 માં, પૂર્વી અફઘાનિસ્તાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેમાં ઘણા મકાનો જમીન પર પડી ગયા. ભૂકંપ અફઘાનિસ્તાનનો બે દાયકામાં સૌથી ખરાબ હતો, જેમાં ઓછામાં ઓછા 1,000 લોકો માર્યા ગયા અને લગભગ 1,500 ઘાયલ થયા.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.