અફઘાનિસ્તાનમાં ઘરા ધ્રુજી, 6.3ની તીવ્રતાના ભૂકંપથી ભયાનક તારાજી, 2000થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-08 12:45:52

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપના બે આફ્ટરશોકમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ આ જાણકારી આપી છે. યુનાઈટેડ નેશન્સે 2000 લોકો માર્યા ગયાનો પ્રારંભિક આંકડો આપ્યો હતો. ધ ગાર્ડિયનના રિપોર્ટ મુજબ મૃત્યુઆંક આના કરતા વધારે છે. આ બે દાયકામાં દેશમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપ પૈકીનો એક છે. દેશની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ જણાવ્યું કે શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અને ત્યારપછીના જોરદાર ઝટકાઓના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.


6.3ની તીવ્રતાનો ભૂકંપ

 

અમેરિકાના જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ કે દેશના વિવિધ ભાગોમાં 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સર્વેક્ષણની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલ નકશો પ્રદેશમાં સાત ભૂકંપનો સંકેત આપે છે.


અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા  


ટેલિફોન લાઇન ડાઉન હોવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ચોક્કસ વિગતો મેળવવી મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સેંકડો લોકો હેરાત શહેરમાં તેમના ઘરો અને ઓફિસોની બહાર રસ્તા પર જોવા મળ્યા હતા. હેરાત પ્રાંત ઈરાનની સરહદે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, નજીકના ફરાહ અને બદગીસ પ્રાંતમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. આર્થિક બાબતો માટે તાલિબાન દ્વારા નિયુક્ત નાયબ વડા પ્રધાન અબ્દુલ ગની બરાદરે હેરાત અને બદગીસમાં ભૂકંપમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.



જૂન 2022 માં, પૂર્વી અફઘાનિસ્તાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેમાં ઘણા મકાનો જમીન પર પડી ગયા. ભૂકંપ અફઘાનિસ્તાનનો બે દાયકામાં સૌથી ખરાબ હતો, જેમાં ઓછામાં ઓછા 1,000 લોકો માર્યા ગયા અને લગભગ 1,500 ઘાયલ થયા.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.