અફઘાનિસ્તાનમાં ઘરા ધ્રુજી, 6.3ની તીવ્રતાના ભૂકંપથી ભયાનક તારાજી, 2000થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-08 12:45:52

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપના બે આફ્ટરશોકમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ આ જાણકારી આપી છે. યુનાઈટેડ નેશન્સે 2000 લોકો માર્યા ગયાનો પ્રારંભિક આંકડો આપ્યો હતો. ધ ગાર્ડિયનના રિપોર્ટ મુજબ મૃત્યુઆંક આના કરતા વધારે છે. આ બે દાયકામાં દેશમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપ પૈકીનો એક છે. દેશની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ જણાવ્યું કે શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અને ત્યારપછીના જોરદાર ઝટકાઓના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.


6.3ની તીવ્રતાનો ભૂકંપ

 

અમેરિકાના જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ કે દેશના વિવિધ ભાગોમાં 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સર્વેક્ષણની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલ નકશો પ્રદેશમાં સાત ભૂકંપનો સંકેત આપે છે.


અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા  


ટેલિફોન લાઇન ડાઉન હોવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ચોક્કસ વિગતો મેળવવી મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સેંકડો લોકો હેરાત શહેરમાં તેમના ઘરો અને ઓફિસોની બહાર રસ્તા પર જોવા મળ્યા હતા. હેરાત પ્રાંત ઈરાનની સરહદે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, નજીકના ફરાહ અને બદગીસ પ્રાંતમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. આર્થિક બાબતો માટે તાલિબાન દ્વારા નિયુક્ત નાયબ વડા પ્રધાન અબ્દુલ ગની બરાદરે હેરાત અને બદગીસમાં ભૂકંપમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.



જૂન 2022 માં, પૂર્વી અફઘાનિસ્તાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેમાં ઘણા મકાનો જમીન પર પડી ગયા. ભૂકંપ અફઘાનિસ્તાનનો બે દાયકામાં સૌથી ખરાબ હતો, જેમાં ઓછામાં ઓછા 1,000 લોકો માર્યા ગયા અને લગભગ 1,500 ઘાયલ થયા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.