EarthQuake : દેશના અનેક રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા, દિલ્હી સહિત આ રાજ્યોમાં આવ્યો ભૂકંપ


  • Published By :
  • Published Date : 2023-10-03 16:32:43

દેશની રાજધાની દિલ્હીમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન એટલે કે એનસીઆર આસપાસ ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. 4.6 તીવ્રતા વાળા આંચકાનો અનુભવ થતા લોકો પોતાના ઘરની તેમજ ઓફિસની બહાર દોડી આવ્યા હતા. ન માત્ર દિલ્હીમાં પરંતુ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થયા છે. ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકો સુરક્ષિત સ્થળો પર દોડી આવ્યા હતા. નેપાળમાં બે વખત ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. 

દેશના આ રાજ્યોમાં અનુભવાયો ધરતીકંપ 

ધરતીકંપના આંચકાનો અનુભવ અનેક વખત થતો હોય છે. એટલી તીવ્રતાનો ભૂકંપ આવતો હોય છે કે લોકોને ઘરની બહાર નીકળવાની ફરજ પડતી હોય છે. મંગળવારે બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. તેનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધાયું છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. 


ભૂકંપનું કેન્દ્ર સોનિપત હોવાનું સામે આવ્યું છે!

ન માત્ર ઉત્તરપ્રદેશના લખનૌ, નોઈડા, મુરાદાબાદ, કાનપુર, મેરઠ, અલીગઢ, ગાઝિયાબાદ સહિતના ભાગોમાં ભૂકંપ નોંધાયો હતો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણામાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. એક જ દિવસમાં બે વખત ધરતીકંપનો અનુભવ થયો છે. લોકો ઘરની બહાર પોતાની રક્ષા કરવા નીકળી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર સોનીપત હોવાનું માનવામાં આવે છે.  


    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.