EarthQuake : દેશના અનેક રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા, દિલ્હી સહિત આ રાજ્યોમાં આવ્યો ભૂકંપ


  • Published By :
  • Published Date : 2023-10-03 16:32:43

દેશની રાજધાની દિલ્હીમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન એટલે કે એનસીઆર આસપાસ ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. 4.6 તીવ્રતા વાળા આંચકાનો અનુભવ થતા લોકો પોતાના ઘરની તેમજ ઓફિસની બહાર દોડી આવ્યા હતા. ન માત્ર દિલ્હીમાં પરંતુ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થયા છે. ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકો સુરક્ષિત સ્થળો પર દોડી આવ્યા હતા. નેપાળમાં બે વખત ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. 

દેશના આ રાજ્યોમાં અનુભવાયો ધરતીકંપ 

ધરતીકંપના આંચકાનો અનુભવ અનેક વખત થતો હોય છે. એટલી તીવ્રતાનો ભૂકંપ આવતો હોય છે કે લોકોને ઘરની બહાર નીકળવાની ફરજ પડતી હોય છે. મંગળવારે બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. તેનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધાયું છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. 


ભૂકંપનું કેન્દ્ર સોનિપત હોવાનું સામે આવ્યું છે!

ન માત્ર ઉત્તરપ્રદેશના લખનૌ, નોઈડા, મુરાદાબાદ, કાનપુર, મેરઠ, અલીગઢ, ગાઝિયાબાદ સહિતના ભાગોમાં ભૂકંપ નોંધાયો હતો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણામાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. એક જ દિવસમાં બે વખત ધરતીકંપનો અનુભવ થયો છે. લોકો ઘરની બહાર પોતાની રક્ષા કરવા નીકળી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર સોનીપત હોવાનું માનવામાં આવે છે.  


    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .