ફરી એક વખત અમરેલીમાં થયો ભૂકંપનો અનુભવ, ઘણા સમયથી આવતા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય


  • Published By :
  • Published Date : 2023-02-27 13:57:42

ફરી એક વખત અમરેલીની ધરા ધ્રુજી છે. અમરેલી જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે મોડી રાત્રે ફરી એક વખત મીતિયાળા વિસ્તારમાં ભૂકંપનો અનુભવ થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં ધરતીકંપ આવવાની 14મી ઘટના છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. અનેક વખત ધરતી ધ્રુજતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મોડી રાત્રે 1.42 વાગ્યાની આસપાસ આ આંચકાનો અનુભવ થયો હતો. 


મીતિયાળા પંથકમાં સૌથી વધારે થઈ રહ્યો છે ભૂકંપનો અનુભવ  

તુર્કી અને સીરિયામાં ધરતીકંપને કારણે હજારો લોકોના માત થયા છે. અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 14 જેટલા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભલે ઓછી નોંધાતી હોય પરંતુ વારંવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મુખ્યત્વ સૌથી વધુ ભૂકંપના આંચકાનો અનુભવ મીતિયાળા પંથકમાં થઈ રહ્યો છે. 


એક મહિનામાં આટલી વખત ધ્રુજી અમરેલીની ધરા

જો છેલ્લા થોડા સમયમાં આવેલા ભૂકંપની વાત કરીએ તો 2 ફેબ્રુઆરીના રોજ 2.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ 4 ફેબ્રુઆરીએ 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 6 તારીખે પણ ભૂકંપ આવ્યો હતો, 19 ફેબ્રુઆરીના રોજ ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. તે ઉપરાંત 21 ફેબ્રુઆરીએ પાંચ વખત ધરતી ધ્રુજી હતી. 23 ફેબ્રુઆરી અને 24 ફેબ્રુઆરીએ પણ ધરા ધ્રુજી હતી. ત્યારે ફરી એક વખત ધરતી ધ્રુજી છે જેને લઈ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.