ફરી એક વખત અમરેલીમાં થયો ભૂકંપનો અનુભવ, ઘણા સમયથી આવતા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય


  • Published By :
  • Published Date : 2023-02-27 13:57:42

ફરી એક વખત અમરેલીની ધરા ધ્રુજી છે. અમરેલી જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે મોડી રાત્રે ફરી એક વખત મીતિયાળા વિસ્તારમાં ભૂકંપનો અનુભવ થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં ધરતીકંપ આવવાની 14મી ઘટના છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. અનેક વખત ધરતી ધ્રુજતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મોડી રાત્રે 1.42 વાગ્યાની આસપાસ આ આંચકાનો અનુભવ થયો હતો. 


મીતિયાળા પંથકમાં સૌથી વધારે થઈ રહ્યો છે ભૂકંપનો અનુભવ  

તુર્કી અને સીરિયામાં ધરતીકંપને કારણે હજારો લોકોના માત થયા છે. અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 14 જેટલા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભલે ઓછી નોંધાતી હોય પરંતુ વારંવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મુખ્યત્વ સૌથી વધુ ભૂકંપના આંચકાનો અનુભવ મીતિયાળા પંથકમાં થઈ રહ્યો છે. 


એક મહિનામાં આટલી વખત ધ્રુજી અમરેલીની ધરા

જો છેલ્લા થોડા સમયમાં આવેલા ભૂકંપની વાત કરીએ તો 2 ફેબ્રુઆરીના રોજ 2.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ 4 ફેબ્રુઆરીએ 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 6 તારીખે પણ ભૂકંપ આવ્યો હતો, 19 ફેબ્રુઆરીના રોજ ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. તે ઉપરાંત 21 ફેબ્રુઆરીએ પાંચ વખત ધરતી ધ્રુજી હતી. 23 ફેબ્રુઆરી અને 24 ફેબ્રુઆરીએ પણ ધરા ધ્રુજી હતી. ત્યારે ફરી એક વખત ધરતી ધ્રુજી છે જેને લઈ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.