ફરી એક વખત અમરેલીમાં થયો ભૂકંપનો અનુભવ, ઘણા સમયથી આવતા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય


  • Published By :
  • Published Date : 2023-02-27 13:57:42

ફરી એક વખત અમરેલીની ધરા ધ્રુજી છે. અમરેલી જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે મોડી રાત્રે ફરી એક વખત મીતિયાળા વિસ્તારમાં ભૂકંપનો અનુભવ થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં ધરતીકંપ આવવાની 14મી ઘટના છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. અનેક વખત ધરતી ધ્રુજતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મોડી રાત્રે 1.42 વાગ્યાની આસપાસ આ આંચકાનો અનુભવ થયો હતો. 


મીતિયાળા પંથકમાં સૌથી વધારે થઈ રહ્યો છે ભૂકંપનો અનુભવ  

તુર્કી અને સીરિયામાં ધરતીકંપને કારણે હજારો લોકોના માત થયા છે. અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 14 જેટલા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભલે ઓછી નોંધાતી હોય પરંતુ વારંવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મુખ્યત્વ સૌથી વધુ ભૂકંપના આંચકાનો અનુભવ મીતિયાળા પંથકમાં થઈ રહ્યો છે. 


એક મહિનામાં આટલી વખત ધ્રુજી અમરેલીની ધરા

જો છેલ્લા થોડા સમયમાં આવેલા ભૂકંપની વાત કરીએ તો 2 ફેબ્રુઆરીના રોજ 2.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ 4 ફેબ્રુઆરીએ 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 6 તારીખે પણ ભૂકંપ આવ્યો હતો, 19 ફેબ્રુઆરીના રોજ ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. તે ઉપરાંત 21 ફેબ્રુઆરીએ પાંચ વખત ધરતી ધ્રુજી હતી. 23 ફેબ્રુઆરી અને 24 ફેબ્રુઆરીએ પણ ધરા ધ્રુજી હતી. ત્યારે ફરી એક વખત ધરતી ધ્રુજી છે જેને લઈ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.