Afghanistanમાં આવેલા ભૂકંપે સર્જા તારાજી, હજારો લોકોએ ગુમાવ્યો જીવ, અનેકો થયા બેઘર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 16:37:53

ધરતીકંપના આંચકાઓને કારણે અનેક વખત તબાહીના દ્રશ્યો સામે આવતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં હજી સુધી 4 હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આ ભૂકંપમાં લગભગ 13 હજારથી વધારે ઘરે તૂટી પડ્યા છે. 9 હજારથી વધારે લોકો આ ભૂકંપને કારણે ઈજાગ્રસ્ત થયા છે. આ કુદરતી આફતને પહોંચી વળવા અનેક બચાવની ટીમ પણ કામ પર લાગી હતી. રાહત બચાવ કામગીરી ચાલી હતી. 

Earthquake of magnitude 6.1 jolts Afghanistan, Pakistan - અફઘાનિસ્તાનમાં  6.1ની તીવ્રતાનો ભૂકંપ – News18 Gujarati

ભૂકંપને કારણે થયા 4 હજાર લોકોના મોત 

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપના બે આફ્ટરશોકમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ 2000 લોકોના મોત થયા છે તેવી જાણકારી આપી હતી. એવી આશંકા પણ હતી કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. ત્યારે હાલ આ મૃત્યુઆંક 4 હજારને  પાર પહોંચી ગયો છે. આ ધરતીકંપને કારણે અનેક લોકો બેઘર બન્યા છે જ્યારે હજારો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ: 2400થી વધુ મોત, તાલિબાને મદદ માટે કરી અપીલ |  Afghanistan ma bhayanak bhukamp: 2400thi vdhu mot, talibane madad mate kari  apil

કુદરતી આફત સહન કરવા લોકો મજબૂર!

કુદરતી આફત આગળ માણસ લાચાર છે તેવું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. કુદરત જ્યારે આપણાથી નારાજ થાય, કુદરત રૂઠે ત્યારે વિનાશ સર્જાય છે તેવું આપણે ઘણી વાર સાંભળ્યું હશે. ત્યારે કુદરતી આફતનો સામનો અફઘાનિસ્તાન કરી રહ્યું છે. શનિવારે આવેલા ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો કુદરતી માર સહન કરવા મજબૂર બન્યા છે. 

દરિયાદિલી: વર્લ્ડ કપમાં રમવા આવેલા આ ખેલાડીએ પોતાની તમામ મેચ ફી અફઘાનિસ્તાનના  ભૂકંપ પીડિતોને દાનમાં આપી દીધી - afghanistan earthquake rashid khan donated  his ...


ક્યાં અનુભવાયા હતા ભૂકંપના આંચકા? 

અમેરિકાના જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ કે દેશના વિવિધ ભાગોમાં 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સર્વેક્ષણની વેબસાઈટ પર આ અંગે પોસ્ટ કરવામાં આવી હતી.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.