Afghanistanમાં આવેલા ભૂકંપે સર્જા તારાજી, હજારો લોકોએ ગુમાવ્યો જીવ, અનેકો થયા બેઘર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 16:37:53

ધરતીકંપના આંચકાઓને કારણે અનેક વખત તબાહીના દ્રશ્યો સામે આવતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં હજી સુધી 4 હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આ ભૂકંપમાં લગભગ 13 હજારથી વધારે ઘરે તૂટી પડ્યા છે. 9 હજારથી વધારે લોકો આ ભૂકંપને કારણે ઈજાગ્રસ્ત થયા છે. આ કુદરતી આફતને પહોંચી વળવા અનેક બચાવની ટીમ પણ કામ પર લાગી હતી. રાહત બચાવ કામગીરી ચાલી હતી. 

Earthquake of magnitude 6.1 jolts Afghanistan, Pakistan - અફઘાનિસ્તાનમાં  6.1ની તીવ્રતાનો ભૂકંપ – News18 Gujarati

ભૂકંપને કારણે થયા 4 હજાર લોકોના મોત 

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપના બે આફ્ટરશોકમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ 2000 લોકોના મોત થયા છે તેવી જાણકારી આપી હતી. એવી આશંકા પણ હતી કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. ત્યારે હાલ આ મૃત્યુઆંક 4 હજારને  પાર પહોંચી ગયો છે. આ ધરતીકંપને કારણે અનેક લોકો બેઘર બન્યા છે જ્યારે હજારો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ: 2400થી વધુ મોત, તાલિબાને મદદ માટે કરી અપીલ |  Afghanistan ma bhayanak bhukamp: 2400thi vdhu mot, talibane madad mate kari  apil

કુદરતી આફત સહન કરવા લોકો મજબૂર!

કુદરતી આફત આગળ માણસ લાચાર છે તેવું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. કુદરત જ્યારે આપણાથી નારાજ થાય, કુદરત રૂઠે ત્યારે વિનાશ સર્જાય છે તેવું આપણે ઘણી વાર સાંભળ્યું હશે. ત્યારે કુદરતી આફતનો સામનો અફઘાનિસ્તાન કરી રહ્યું છે. શનિવારે આવેલા ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો કુદરતી માર સહન કરવા મજબૂર બન્યા છે. 

દરિયાદિલી: વર્લ્ડ કપમાં રમવા આવેલા આ ખેલાડીએ પોતાની તમામ મેચ ફી અફઘાનિસ્તાનના  ભૂકંપ પીડિતોને દાનમાં આપી દીધી - afghanistan earthquake rashid khan donated  his ...


ક્યાં અનુભવાયા હતા ભૂકંપના આંચકા? 

અમેરિકાના જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ કે દેશના વિવિધ ભાગોમાં 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સર્વેક્ષણની વેબસાઈટ પર આ અંગે પોસ્ટ કરવામાં આવી હતી.  



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.