Afghanistanમાં આવેલા ભૂકંપે સર્જા તારાજી, હજારો લોકોએ ગુમાવ્યો જીવ, અનેકો થયા બેઘર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 16:37:53

ધરતીકંપના આંચકાઓને કારણે અનેક વખત તબાહીના દ્રશ્યો સામે આવતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં હજી સુધી 4 હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આ ભૂકંપમાં લગભગ 13 હજારથી વધારે ઘરે તૂટી પડ્યા છે. 9 હજારથી વધારે લોકો આ ભૂકંપને કારણે ઈજાગ્રસ્ત થયા છે. આ કુદરતી આફતને પહોંચી વળવા અનેક બચાવની ટીમ પણ કામ પર લાગી હતી. રાહત બચાવ કામગીરી ચાલી હતી. 

Earthquake of magnitude 6.1 jolts Afghanistan, Pakistan - અફઘાનિસ્તાનમાં  6.1ની તીવ્રતાનો ભૂકંપ – News18 Gujarati

ભૂકંપને કારણે થયા 4 હજાર લોકોના મોત 

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપના બે આફ્ટરશોકમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ 2000 લોકોના મોત થયા છે તેવી જાણકારી આપી હતી. એવી આશંકા પણ હતી કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. ત્યારે હાલ આ મૃત્યુઆંક 4 હજારને  પાર પહોંચી ગયો છે. આ ધરતીકંપને કારણે અનેક લોકો બેઘર બન્યા છે જ્યારે હજારો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ: 2400થી વધુ મોત, તાલિબાને મદદ માટે કરી અપીલ |  Afghanistan ma bhayanak bhukamp: 2400thi vdhu mot, talibane madad mate kari  apil

કુદરતી આફત સહન કરવા લોકો મજબૂર!

કુદરતી આફત આગળ માણસ લાચાર છે તેવું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. કુદરત જ્યારે આપણાથી નારાજ થાય, કુદરત રૂઠે ત્યારે વિનાશ સર્જાય છે તેવું આપણે ઘણી વાર સાંભળ્યું હશે. ત્યારે કુદરતી આફતનો સામનો અફઘાનિસ્તાન કરી રહ્યું છે. શનિવારે આવેલા ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો કુદરતી માર સહન કરવા મજબૂર બન્યા છે. 

દરિયાદિલી: વર્લ્ડ કપમાં રમવા આવેલા આ ખેલાડીએ પોતાની તમામ મેચ ફી અફઘાનિસ્તાનના  ભૂકંપ પીડિતોને દાનમાં આપી દીધી - afghanistan earthquake rashid khan donated  his ...


ક્યાં અનુભવાયા હતા ભૂકંપના આંચકા? 

અમેરિકાના જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ કે દેશના વિવિધ ભાગોમાં 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સર્વેક્ષણની વેબસાઈટ પર આ અંગે પોસ્ટ કરવામાં આવી હતી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.