Afghanistanમાં આવેલા ભૂકંપે સર્જા તારાજી, હજારો લોકોએ ગુમાવ્યો જીવ, અનેકો થયા બેઘર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 16:37:53

ધરતીકંપના આંચકાઓને કારણે અનેક વખત તબાહીના દ્રશ્યો સામે આવતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં હજી સુધી 4 હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આ ભૂકંપમાં લગભગ 13 હજારથી વધારે ઘરે તૂટી પડ્યા છે. 9 હજારથી વધારે લોકો આ ભૂકંપને કારણે ઈજાગ્રસ્ત થયા છે. આ કુદરતી આફતને પહોંચી વળવા અનેક બચાવની ટીમ પણ કામ પર લાગી હતી. રાહત બચાવ કામગીરી ચાલી હતી. 

Earthquake of magnitude 6.1 jolts Afghanistan, Pakistan - અફઘાનિસ્તાનમાં  6.1ની તીવ્રતાનો ભૂકંપ – News18 Gujarati

ભૂકંપને કારણે થયા 4 હજાર લોકોના મોત 

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપના બે આફ્ટરશોકમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ 2000 લોકોના મોત થયા છે તેવી જાણકારી આપી હતી. એવી આશંકા પણ હતી કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. ત્યારે હાલ આ મૃત્યુઆંક 4 હજારને  પાર પહોંચી ગયો છે. આ ધરતીકંપને કારણે અનેક લોકો બેઘર બન્યા છે જ્યારે હજારો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ: 2400થી વધુ મોત, તાલિબાને મદદ માટે કરી અપીલ |  Afghanistan ma bhayanak bhukamp: 2400thi vdhu mot, talibane madad mate kari  apil

કુદરતી આફત સહન કરવા લોકો મજબૂર!

કુદરતી આફત આગળ માણસ લાચાર છે તેવું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. કુદરત જ્યારે આપણાથી નારાજ થાય, કુદરત રૂઠે ત્યારે વિનાશ સર્જાય છે તેવું આપણે ઘણી વાર સાંભળ્યું હશે. ત્યારે કુદરતી આફતનો સામનો અફઘાનિસ્તાન કરી રહ્યું છે. શનિવારે આવેલા ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો કુદરતી માર સહન કરવા મજબૂર બન્યા છે. 

દરિયાદિલી: વર્લ્ડ કપમાં રમવા આવેલા આ ખેલાડીએ પોતાની તમામ મેચ ફી અફઘાનિસ્તાનના  ભૂકંપ પીડિતોને દાનમાં આપી દીધી - afghanistan earthquake rashid khan donated  his ...


ક્યાં અનુભવાયા હતા ભૂકંપના આંચકા? 

અમેરિકાના જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ કે દેશના વિવિધ ભાગોમાં 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સર્વેક્ષણની વેબસાઈટ પર આ અંગે પોસ્ટ કરવામાં આવી હતી.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.