શેરબજારમાં આવ્યો ભૂકંપ, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા, આ શેરોમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો


  • Published By :
  • Published Date : 2023-12-20 18:26:14

શેરબજારમાં સવારે બમ્પર ઉછાળા બાદ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી મોટા ઘટાડા સાથે બંધ થયો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 930.88 પોઈન્ટ ઘટીને 70,506.31 પોઈન્ટ અને નિફ્ટી 302.95 પોઈન્ટના ઘટાડા સાથે 21,150.15 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે ટ્રેડિંગમાં મિડકેપ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. જ્યારે મેટલ, પાવર અને ઓટો ઈન્ડેક્સ સૌથી વધુ તૂટ્યા છે. પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.


આ શેરો ઘટ્યા 


નિફ્ટીના ટોપ લૂઝર્સમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, યુપીએલ, ટાટા સ્ટીલ અને કોલ ઈન્ડિયાના શેરનો સમાવેશ થાય છે. જ્યારે ONGC, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને HDFC બેન્ક નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં સામેલ છે. BSE પર 30 માંથી 29 શેર લાલ નિશાનમાં આવ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી BSE ના 30 માંથી 29 શેર લાલ નિશાન પર પહોંચી ગયા હતા, જ્યારે એકમાત્ર શેર(HDFC બેન્ક શેર) માં થોડો વધારો જોવા મળી રહ્યો હતો. શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા વચ્ચે NTPCનો શેર 2.92 ટકા ઘટીને રૂ. 300.75, HCLTECHનો શેર 2.97 ટકા ઘટીને રૂ. 1443.90, M&Mનો શેર 3.20 ટકા ઘટીને રૂ. 1645.50, TAMOTORSનો સ્ટોક ઘટીને રૂ. 3.20 ટકા ઘટીને રૂ. 1645.50 થયો હતો. શેર 3.26 ટકા ઘટીને રૂ. 705.45 થયો હતો, જ્યારે ટાટા સ્ટીલનો શેર 3.40 ટકા ઘટીને રૂ. 130.80 આવી ગયો હતો.


બજાર ઘટવાના આ છે મોટા કારણો!


બજારમાં અચાનક ઘટાડાનાં કારણો પર નજર કરીએ તો વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચવાલીનાં કારણે શેરબજારમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ રૂ. 600 કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારોએ લગભગ રૂ. 294 કરોડના શેર ખરીદ્યા હતા. આ સિવાય ઘટાડાનું બીજું મોટું કારણ કોરોનાના વધતા કેસ હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, દેશભરમાં કોરોનાના નવા પ્રકારોના કેસ સતત વધી રહ્યા છે અને એક દિવસમાં 614 નવા કેસ નોંધાયા છે. બુધવારે સૌથી વધુ ઘટાડો બેંક, મેટલ અને ઓટો શેરોમાં જોવા મળ્યો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે