તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં થયા હજારો લોકોના મોત, તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર


  • Published By :
  • Published Date : 2023-02-07 09:35:43

સોમવારના દિવસે તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા વાળા ભૂકંપને કારણે અનેક બિલ્ડીંગો પડી ગઈ હતી. ભૂંકપના ત્રણ આંચકાનો અનુભવ થયો હતો જેને કારણે પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. 24 કલાકથી બચાવની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મહેનત કરવામાં આવી છે. જેમ જેમ કલાકો વિતી રહ્યા છે તેમ તેમ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર બે જગ્યાઓ પર આવેલા ભૂકંપમાં અંદાજીત 4000થી વધારે લોકોના મોત થઈ ગયા છે. અને આવનાર કલાકોમાં આ આંકડો વધી પણ શકે છે.


અનેક લોકો ગંભીર રીતે થયા ઘાયલ  

તુર્કી તેમજ સીરિયામાં આવેલા ભૂકંપને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં અંદાજીત 4000 જેટલા લોકોના મોત થઈ ગયા છે. સોમવારે આવેલા વિનાશકારી ભૂકંપ બાદ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો રિક્ટર સ્કેલ પ્રમાણે 7.7, 7.6 અને 6ની તીવ્રતા નોંધાઈ હતી. અમુક સેકેન્ડની અંદર જ બિલ્ડીંગો ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડીંગ પડવાને કારણે અનેક લોકો તેની નીચે પણ દબાઈ ગયા છે. હજારોની સંખ્યામાં લોકો મોતને તો ભેટયા છે પરંતુ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. 


બચાવ કાર્ય માટે ભારતે મોકલી NDRFની ટીમ 

રાહતની કામગીરી જલ્દી થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન વાયુવેગે ચાલી રહ્યું છે. ત્યારે ભારત સહિત અનેક દેશોએ મદદનો હાથ વધાર્યો છે. ભારતે એનડીઆરએફની ટીમને રવાના કરી દીધી છે. જો ભૂકંપના આંચકાની વાત કરીએ તો પહેલો ભૂકંપનો આંચકો તુર્કીના ગજિયાનટેપ નજીક અનુભવાયો હતો. બીજો ભૂકંપ એકિનોઝાહુમાં આવ્યો જ્યારે ત્રીજી વખત ભૂકંપના આંચકાનો અનુભવ ગોકસન પ્રાંતમાં અનુભવાયો હતો. આ વિનાશકારી ભૂકંપને લઈ સાત દિવસ માટે રાષ્ટ્રીય શોક પાળવાની જાહેરાત કરી છે.

    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.