તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં થયા હજારો લોકોના મોત, તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-07 09:35:43

સોમવારના દિવસે તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા વાળા ભૂકંપને કારણે અનેક બિલ્ડીંગો પડી ગઈ હતી. ભૂંકપના ત્રણ આંચકાનો અનુભવ થયો હતો જેને કારણે પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. 24 કલાકથી બચાવની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મહેનત કરવામાં આવી છે. જેમ જેમ કલાકો વિતી રહ્યા છે તેમ તેમ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર બે જગ્યાઓ પર આવેલા ભૂકંપમાં અંદાજીત 4000થી વધારે લોકોના મોત થઈ ગયા છે. અને આવનાર કલાકોમાં આ આંકડો વધી પણ શકે છે.


અનેક લોકો ગંભીર રીતે થયા ઘાયલ  

તુર્કી તેમજ સીરિયામાં આવેલા ભૂકંપને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં અંદાજીત 4000 જેટલા લોકોના મોત થઈ ગયા છે. સોમવારે આવેલા વિનાશકારી ભૂકંપ બાદ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો રિક્ટર સ્કેલ પ્રમાણે 7.7, 7.6 અને 6ની તીવ્રતા નોંધાઈ હતી. અમુક સેકેન્ડની અંદર જ બિલ્ડીંગો ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડીંગ પડવાને કારણે અનેક લોકો તેની નીચે પણ દબાઈ ગયા છે. હજારોની સંખ્યામાં લોકો મોતને તો ભેટયા છે પરંતુ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. 


બચાવ કાર્ય માટે ભારતે મોકલી NDRFની ટીમ 

રાહતની કામગીરી જલ્દી થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન વાયુવેગે ચાલી રહ્યું છે. ત્યારે ભારત સહિત અનેક દેશોએ મદદનો હાથ વધાર્યો છે. ભારતે એનડીઆરએફની ટીમને રવાના કરી દીધી છે. જો ભૂકંપના આંચકાની વાત કરીએ તો પહેલો ભૂકંપનો આંચકો તુર્કીના ગજિયાનટેપ નજીક અનુભવાયો હતો. બીજો ભૂકંપ એકિનોઝાહુમાં આવ્યો જ્યારે ત્રીજી વખત ભૂકંપના આંચકાનો અનુભવ ગોકસન પ્રાંતમાં અનુભવાયો હતો. આ વિનાશકારી ભૂકંપને લઈ સાત દિવસ માટે રાષ્ટ્રીય શોક પાળવાની જાહેરાત કરી છે.

    




શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.