તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં થયા હજારો લોકોના મોત, તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર


  • Published By :
  • Published Date : 2023-02-07 09:35:43

સોમવારના દિવસે તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા વાળા ભૂકંપને કારણે અનેક બિલ્ડીંગો પડી ગઈ હતી. ભૂંકપના ત્રણ આંચકાનો અનુભવ થયો હતો જેને કારણે પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. 24 કલાકથી બચાવની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મહેનત કરવામાં આવી છે. જેમ જેમ કલાકો વિતી રહ્યા છે તેમ તેમ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર બે જગ્યાઓ પર આવેલા ભૂકંપમાં અંદાજીત 4000થી વધારે લોકોના મોત થઈ ગયા છે. અને આવનાર કલાકોમાં આ આંકડો વધી પણ શકે છે.


અનેક લોકો ગંભીર રીતે થયા ઘાયલ  

તુર્કી તેમજ સીરિયામાં આવેલા ભૂકંપને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં અંદાજીત 4000 જેટલા લોકોના મોત થઈ ગયા છે. સોમવારે આવેલા વિનાશકારી ભૂકંપ બાદ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો રિક્ટર સ્કેલ પ્રમાણે 7.7, 7.6 અને 6ની તીવ્રતા નોંધાઈ હતી. અમુક સેકેન્ડની અંદર જ બિલ્ડીંગો ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડીંગ પડવાને કારણે અનેક લોકો તેની નીચે પણ દબાઈ ગયા છે. હજારોની સંખ્યામાં લોકો મોતને તો ભેટયા છે પરંતુ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. 


બચાવ કાર્ય માટે ભારતે મોકલી NDRFની ટીમ 

રાહતની કામગીરી જલ્દી થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન વાયુવેગે ચાલી રહ્યું છે. ત્યારે ભારત સહિત અનેક દેશોએ મદદનો હાથ વધાર્યો છે. ભારતે એનડીઆરએફની ટીમને રવાના કરી દીધી છે. જો ભૂકંપના આંચકાની વાત કરીએ તો પહેલો ભૂકંપનો આંચકો તુર્કીના ગજિયાનટેપ નજીક અનુભવાયો હતો. બીજો ભૂકંપ એકિનોઝાહુમાં આવ્યો જ્યારે ત્રીજી વખત ભૂકંપના આંચકાનો અનુભવ ગોકસન પ્રાંતમાં અનુભવાયો હતો. આ વિનાશકારી ભૂકંપને લઈ સાત દિવસ માટે રાષ્ટ્રીય શોક પાળવાની જાહેરાત કરી છે.

    




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .