Hariyanaના નૂહમાં ભડકેલી હિંસાના પડઘા Gurugramમાં પડ્યા, મોડી રાત્રે દુકાનો પર કરાયો હુમલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-02 10:50:49

દેશમાં જ્યાં જુઓ ત્યાંથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. મણિપુર હોય, રાજસ્થાન હોય, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યો એવા છે જ્યાં હિંસા ફાટી નીકળી છે. મણિપુરમાં ભડકેલી હિંસા હજી શાંત નથી થઈ ત્યારે તો બીજા રાજ્યોમાં હિંસા ફાટી નીકળે છે. હરિયાણામાં હિંસાને બે ત્રણ દિવસ વિતી ગયા પરંતુ તણાવ ત્યાં સતત વધતો જઈ રહ્યો છે. બુધવારે પણ ત્યાં હિંસાને પગલે તણાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ નૂહમાં સ્થિતિ સામાન્ય થઈ હોવાનું સામે આવ્યું છે પરંતુ આજુ બાજુના જિલ્લાઓમાં પરિસ્થિતિ શાંત નથી થઈ . ગુરૂગ્રામ, પલવલ, ઝજ્જર, ફરીદાબાદ, રેવાડી, સોનીપત, પાણીપત સહિત અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ છે. ઉપરાંત ચાર જિલ્લાઓમાં ઈન્ટનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ પર મૂકાયો પ્રતિબંધ 

મણિપુર છેલ્લા અનેક મહિનાઓથી સળગી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ હિંસાને પગલે ગુમાવ્યો છે. ત્યારે મણિપુરની સ્થિતિ હજી કાબુમાં આવી નથી. ત્યાં ભડકેલી હિંસા શાંત નથી થઈ ત્યારે તો અન્ય અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. હરિયાણાના નૂહ વિશ્વ હિન્દુ પરિષદની બ્રજ મંડળ યાત્રા દરમિયાન હંગામો થયો હતો અને હિંસા એ હદે ફાટી નિકળી હતી કે ત્યાંના અનેક જિલ્લાઓમાં કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. અનેક જગ્યાઓ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પોલીસ બળની સાથે અર્ધલશકરીબળને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા હતા. સોહનામાં સોમવારે થયેલી બબાલ પર ધ્યાન વધારે કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ પર કાબુ લાવવા પોલીસ જવાન તથા અર્ધલશકરી બળ ગોઠવી દેવાયો છે.

ગુરૂગ્રામની અનેક દુકાનો કરાઈ આગને હવાલે  

મહત્વનું છે કે હિંસાને પગલે સુરક્ષાબળોએ અનેક વખત ફ્લેગમાર્ચ કાઢી હતી. પરિસ્થિતિ વણસી ન જાય તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું  છે. સુરક્ષાબળોની અનેક કંપનીઓને ત્યાં ઉતારી દેવામાં આવી છે. હિંસાને પગલે ન માત્ર ઈન્ટરનેટ સેવાઓ પરંતુ અનેક જિલ્લાઓમાં શાળાઓ, કોલેજો પણ બંધ હતા. નૂંહમાં થયેલી હિંસાના વિરોધમાં મંગળવારે અનેક સંગઠનો દ્વારા ગુરૂગ્રામમાં હિંસા ફાટી નીકળી હતી. ગુરૂગ્રામના બાદશાહપુરમાં આવેલા બજારમાં અનેક દુકાનોને આગને હવાલે કરી દેવામાં આવી હતી. અનેક દુકાન પર તોડફોડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુરૂગ્રામમાં ફાટી નિકળેલી હિંસા પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાબેતામુજબ જીવન ત્યાં રહેતા લોકોનું શરૂ થઈ ગયું છે. 

શું હતો સમગ્ર મામલો? 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો હરિયાણાના નૂહ જિલ્લામાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. બંને પક્ષો વચ્ચે થયેલા પથ્થરમારા દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હરિયાણા સરકારે જણાવ્યું હતું કે સાંપ્રદાયિક તણાવને રોકવા માટે બુધવાર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું કે સરકારે પડોશી જિલ્લાઓમાંથી વધારાના દળો મોકલ્યા છે. નૂહમાં થયેલી હિંસાની અસર ગુરુગ્રામ સુધી જોવા મળી રહી છે. બંને જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હિંસા દરમિયાન ગુરુગ્રામના એક હોમગાર્ડનું મોત થયું હતું, જ્યારે બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. ત્યાં ભડકેલી હિંસા અનેક જિલ્લાઓમાં ફેલાયેલી જોવા મળી રહી છે. 



ધર્મ તેમજ જાતિને નામ પર ક્યાં સુધી થતી રહેશે હિંસા?

છેલ્લા ઘણા સમયથી હિંસાને લઈ સામે આવતા સમાચારો ઘણા વિચલીત કરી દે તેવા હોય છે. એક તરફ મણિપુરને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, કેન્દ્ર સરકારની ઝાટકણી કોર્ટ કાઢી રહી છે. ત્યાં તો બીજા અનેક રાજ્યોમાં હિંસા બેકાબુ બની રહી છે. ક્યાં સુધી ધર્મને નામ પર, જાતિને નામ પર આવી હિંસા થતી રહેશે?  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.