Hariyanaના નૂહમાં ભડકેલી હિંસાના પડઘા Gurugramમાં પડ્યા, મોડી રાત્રે દુકાનો પર કરાયો હુમલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-02 10:50:49

દેશમાં જ્યાં જુઓ ત્યાંથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. મણિપુર હોય, રાજસ્થાન હોય, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યો એવા છે જ્યાં હિંસા ફાટી નીકળી છે. મણિપુરમાં ભડકેલી હિંસા હજી શાંત નથી થઈ ત્યારે તો બીજા રાજ્યોમાં હિંસા ફાટી નીકળે છે. હરિયાણામાં હિંસાને બે ત્રણ દિવસ વિતી ગયા પરંતુ તણાવ ત્યાં સતત વધતો જઈ રહ્યો છે. બુધવારે પણ ત્યાં હિંસાને પગલે તણાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ નૂહમાં સ્થિતિ સામાન્ય થઈ હોવાનું સામે આવ્યું છે પરંતુ આજુ બાજુના જિલ્લાઓમાં પરિસ્થિતિ શાંત નથી થઈ . ગુરૂગ્રામ, પલવલ, ઝજ્જર, ફરીદાબાદ, રેવાડી, સોનીપત, પાણીપત સહિત અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ છે. ઉપરાંત ચાર જિલ્લાઓમાં ઈન્ટનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ પર મૂકાયો પ્રતિબંધ 

મણિપુર છેલ્લા અનેક મહિનાઓથી સળગી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ હિંસાને પગલે ગુમાવ્યો છે. ત્યારે મણિપુરની સ્થિતિ હજી કાબુમાં આવી નથી. ત્યાં ભડકેલી હિંસા શાંત નથી થઈ ત્યારે તો અન્ય અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. હરિયાણાના નૂહ વિશ્વ હિન્દુ પરિષદની બ્રજ મંડળ યાત્રા દરમિયાન હંગામો થયો હતો અને હિંસા એ હદે ફાટી નિકળી હતી કે ત્યાંના અનેક જિલ્લાઓમાં કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. અનેક જગ્યાઓ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પોલીસ બળની સાથે અર્ધલશકરીબળને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા હતા. સોહનામાં સોમવારે થયેલી બબાલ પર ધ્યાન વધારે કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ પર કાબુ લાવવા પોલીસ જવાન તથા અર્ધલશકરી બળ ગોઠવી દેવાયો છે.

ગુરૂગ્રામની અનેક દુકાનો કરાઈ આગને હવાલે  

મહત્વનું છે કે હિંસાને પગલે સુરક્ષાબળોએ અનેક વખત ફ્લેગમાર્ચ કાઢી હતી. પરિસ્થિતિ વણસી ન જાય તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું  છે. સુરક્ષાબળોની અનેક કંપનીઓને ત્યાં ઉતારી દેવામાં આવી છે. હિંસાને પગલે ન માત્ર ઈન્ટરનેટ સેવાઓ પરંતુ અનેક જિલ્લાઓમાં શાળાઓ, કોલેજો પણ બંધ હતા. નૂંહમાં થયેલી હિંસાના વિરોધમાં મંગળવારે અનેક સંગઠનો દ્વારા ગુરૂગ્રામમાં હિંસા ફાટી નીકળી હતી. ગુરૂગ્રામના બાદશાહપુરમાં આવેલા બજારમાં અનેક દુકાનોને આગને હવાલે કરી દેવામાં આવી હતી. અનેક દુકાન પર તોડફોડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુરૂગ્રામમાં ફાટી નિકળેલી હિંસા પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાબેતામુજબ જીવન ત્યાં રહેતા લોકોનું શરૂ થઈ ગયું છે. 

શું હતો સમગ્ર મામલો? 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો હરિયાણાના નૂહ જિલ્લામાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. બંને પક્ષો વચ્ચે થયેલા પથ્થરમારા દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હરિયાણા સરકારે જણાવ્યું હતું કે સાંપ્રદાયિક તણાવને રોકવા માટે બુધવાર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું કે સરકારે પડોશી જિલ્લાઓમાંથી વધારાના દળો મોકલ્યા છે. નૂહમાં થયેલી હિંસાની અસર ગુરુગ્રામ સુધી જોવા મળી રહી છે. બંને જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હિંસા દરમિયાન ગુરુગ્રામના એક હોમગાર્ડનું મોત થયું હતું, જ્યારે બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. ત્યાં ભડકેલી હિંસા અનેક જિલ્લાઓમાં ફેલાયેલી જોવા મળી રહી છે. 



ધર્મ તેમજ જાતિને નામ પર ક્યાં સુધી થતી રહેશે હિંસા?

છેલ્લા ઘણા સમયથી હિંસાને લઈ સામે આવતા સમાચારો ઘણા વિચલીત કરી દે તેવા હોય છે. એક તરફ મણિપુરને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, કેન્દ્ર સરકારની ઝાટકણી કોર્ટ કાઢી રહી છે. ત્યાં તો બીજા અનેક રાજ્યોમાં હિંસા બેકાબુ બની રહી છે. ક્યાં સુધી ધર્મને નામ પર, જાતિને નામ પર આવી હિંસા થતી રહેશે?  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.