Hariyanaના નૂહમાં ભડકેલી હિંસાના પડઘા Gurugramમાં પડ્યા, મોડી રાત્રે દુકાનો પર કરાયો હુમલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-02 10:50:49

દેશમાં જ્યાં જુઓ ત્યાંથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. મણિપુર હોય, રાજસ્થાન હોય, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યો એવા છે જ્યાં હિંસા ફાટી નીકળી છે. મણિપુરમાં ભડકેલી હિંસા હજી શાંત નથી થઈ ત્યારે તો બીજા રાજ્યોમાં હિંસા ફાટી નીકળે છે. હરિયાણામાં હિંસાને બે ત્રણ દિવસ વિતી ગયા પરંતુ તણાવ ત્યાં સતત વધતો જઈ રહ્યો છે. બુધવારે પણ ત્યાં હિંસાને પગલે તણાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ નૂહમાં સ્થિતિ સામાન્ય થઈ હોવાનું સામે આવ્યું છે પરંતુ આજુ બાજુના જિલ્લાઓમાં પરિસ્થિતિ શાંત નથી થઈ . ગુરૂગ્રામ, પલવલ, ઝજ્જર, ફરીદાબાદ, રેવાડી, સોનીપત, પાણીપત સહિત અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ છે. ઉપરાંત ચાર જિલ્લાઓમાં ઈન્ટનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ પર મૂકાયો પ્રતિબંધ 

મણિપુર છેલ્લા અનેક મહિનાઓથી સળગી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ હિંસાને પગલે ગુમાવ્યો છે. ત્યારે મણિપુરની સ્થિતિ હજી કાબુમાં આવી નથી. ત્યાં ભડકેલી હિંસા શાંત નથી થઈ ત્યારે તો અન્ય અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. હરિયાણાના નૂહ વિશ્વ હિન્દુ પરિષદની બ્રજ મંડળ યાત્રા દરમિયાન હંગામો થયો હતો અને હિંસા એ હદે ફાટી નિકળી હતી કે ત્યાંના અનેક જિલ્લાઓમાં કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. અનેક જગ્યાઓ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પોલીસ બળની સાથે અર્ધલશકરીબળને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા હતા. સોહનામાં સોમવારે થયેલી બબાલ પર ધ્યાન વધારે કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ પર કાબુ લાવવા પોલીસ જવાન તથા અર્ધલશકરી બળ ગોઠવી દેવાયો છે.

ગુરૂગ્રામની અનેક દુકાનો કરાઈ આગને હવાલે  

મહત્વનું છે કે હિંસાને પગલે સુરક્ષાબળોએ અનેક વખત ફ્લેગમાર્ચ કાઢી હતી. પરિસ્થિતિ વણસી ન જાય તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું  છે. સુરક્ષાબળોની અનેક કંપનીઓને ત્યાં ઉતારી દેવામાં આવી છે. હિંસાને પગલે ન માત્ર ઈન્ટરનેટ સેવાઓ પરંતુ અનેક જિલ્લાઓમાં શાળાઓ, કોલેજો પણ બંધ હતા. નૂંહમાં થયેલી હિંસાના વિરોધમાં મંગળવારે અનેક સંગઠનો દ્વારા ગુરૂગ્રામમાં હિંસા ફાટી નીકળી હતી. ગુરૂગ્રામના બાદશાહપુરમાં આવેલા બજારમાં અનેક દુકાનોને આગને હવાલે કરી દેવામાં આવી હતી. અનેક દુકાન પર તોડફોડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુરૂગ્રામમાં ફાટી નિકળેલી હિંસા પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાબેતામુજબ જીવન ત્યાં રહેતા લોકોનું શરૂ થઈ ગયું છે. 

શું હતો સમગ્ર મામલો? 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો હરિયાણાના નૂહ જિલ્લામાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. બંને પક્ષો વચ્ચે થયેલા પથ્થરમારા દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હરિયાણા સરકારે જણાવ્યું હતું કે સાંપ્રદાયિક તણાવને રોકવા માટે બુધવાર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું કે સરકારે પડોશી જિલ્લાઓમાંથી વધારાના દળો મોકલ્યા છે. નૂહમાં થયેલી હિંસાની અસર ગુરુગ્રામ સુધી જોવા મળી રહી છે. બંને જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હિંસા દરમિયાન ગુરુગ્રામના એક હોમગાર્ડનું મોત થયું હતું, જ્યારે બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. ત્યાં ભડકેલી હિંસા અનેક જિલ્લાઓમાં ફેલાયેલી જોવા મળી રહી છે. 



ધર્મ તેમજ જાતિને નામ પર ક્યાં સુધી થતી રહેશે હિંસા?

છેલ્લા ઘણા સમયથી હિંસાને લઈ સામે આવતા સમાચારો ઘણા વિચલીત કરી દે તેવા હોય છે. એક તરફ મણિપુરને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, કેન્દ્ર સરકારની ઝાટકણી કોર્ટ કાઢી રહી છે. ત્યાં તો બીજા અનેક રાજ્યોમાં હિંસા બેકાબુ બની રહી છે. ક્યાં સુધી ધર્મને નામ પર, જાતિને નામ પર આવી હિંસા થતી રહેશે?  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.