બીજા ક્વાર્ટરમાં દેશનો GDP દર 8.4 ટકાથી ઘટીને 6.3 ટકા, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફટકો


  • Published By :
  • Published Date : 2022-12-01 09:54:28

ભારતનો આર્થિક વિકાસ દર જુલાઈ-સપ્ટેમ્બર Q2માં  ઘટીને 6.3 ટકા રહ્યો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં વિકાસ દર 8.4 ટકા હતો. જ્યારે, આ જ નાણાકીય વર્ષના Q1માં વૃદ્ધિ દર 13.5 ટકા હતો. બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ ખૂબ જ ઓછી રહી છે. મેન્યુફેક્ચરિંગ અને માઈનિંગ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અર્થશાસ્ત્રીઓએ બીજા ક્વાર્ટરમાં 7.2 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.


દેશનો વિકાસ દર ઘટ્યો


ભારતનો આર્થિક વિકાસ જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ધીમો પડીને 6.3 ટકા રહ્યો છે. 2022-23 ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્થિર (2011-12) કિંમતો પર વાસ્તવિક જીડીપી 38.17 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. જ્યારે 2021-22 ના બીજા ક્વાર્ટરમાં તે 35.89 લાખ કરોડ રૂપિયા હતો. 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રણ મહિના માટે જીડીપી રીડિંગ એપ્રિલ-જૂનમાં 13.5 ટકાની મજબૂત વૃદ્ધિથી ધીમી પડી હતી. બીજા ક્વાર્ટરનો વિકાસ દર 6.3 ટકા રહ્યો છે, જ્યારે એક વર્ષ પહેલા એટલે કે 2021ના સમાન સમયગાળામાં જીડીપી 8.4 ટકા હતો. તે સમયે, કોરોના લોકડાઉન પ્રતિબંધોથી અસરગ્રસ્ત પ્રવૃત્તિઓ પણ સમાન સમયગાળામાં જોવા મળી હતી.


મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ સેક્ટરમાં ઘટાડો


નાણાકીય વર્ષ 2022-23ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 5.6 ટકા હતો. જ્યારે, ખાણકામ ક્ષેત્રે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં 14.5 ટકાની સરખામણીએ 2.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.


કૃષિ અને પ્રવાસન ક્ષેત્રનો વિકાસ દર વધ્યો


જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રે 4.6 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. વેપાર, હોસ્પિટાલિટી અને પર્યટન સહિતના સંપર્ક-સઘન ક્ષેત્રે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 9.6 ટકાની સરખામણીએ 14.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. કન્સ્ટ્રક્શન સેગમેન્ટમાં ત્રિમાસિક ગાળામાં 6.6 ટકાનો વધારો નોંધાયો હતો.



વિશ્લેષકોએ ઉચ્ચ વૃદ્ધિની આગાહી કરી હતી


વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓએ બીજા ત્રિમાસિક ગાળા માટે 5.8 ટકાથી 7.2 ટકાની રેન્જમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. ત્યારે વિશ્લેષકોએ કહ્યું હતું કે અર્થતંત્ર 'સામાન્ય' વૃદ્ધિ તરફ પાછું આવશે. તે જ સમયે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જુલાઈથી સપ્ટેમ્બર માટે આર્થિક વૃદ્ધિ દર 6.1-6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.