બીજા ક્વાર્ટરમાં દેશનો GDP દર 8.4 ટકાથી ઘટીને 6.3 ટકા, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફટકો


  • Published By :
  • Published Date : 2022-12-01 09:54:28

ભારતનો આર્થિક વિકાસ દર જુલાઈ-સપ્ટેમ્બર Q2માં  ઘટીને 6.3 ટકા રહ્યો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં વિકાસ દર 8.4 ટકા હતો. જ્યારે, આ જ નાણાકીય વર્ષના Q1માં વૃદ્ધિ દર 13.5 ટકા હતો. બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ ખૂબ જ ઓછી રહી છે. મેન્યુફેક્ચરિંગ અને માઈનિંગ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અર્થશાસ્ત્રીઓએ બીજા ક્વાર્ટરમાં 7.2 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.


દેશનો વિકાસ દર ઘટ્યો


ભારતનો આર્થિક વિકાસ જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ધીમો પડીને 6.3 ટકા રહ્યો છે. 2022-23 ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્થિર (2011-12) કિંમતો પર વાસ્તવિક જીડીપી 38.17 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. જ્યારે 2021-22 ના બીજા ક્વાર્ટરમાં તે 35.89 લાખ કરોડ રૂપિયા હતો. 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રણ મહિના માટે જીડીપી રીડિંગ એપ્રિલ-જૂનમાં 13.5 ટકાની મજબૂત વૃદ્ધિથી ધીમી પડી હતી. બીજા ક્વાર્ટરનો વિકાસ દર 6.3 ટકા રહ્યો છે, જ્યારે એક વર્ષ પહેલા એટલે કે 2021ના સમાન સમયગાળામાં જીડીપી 8.4 ટકા હતો. તે સમયે, કોરોના લોકડાઉન પ્રતિબંધોથી અસરગ્રસ્ત પ્રવૃત્તિઓ પણ સમાન સમયગાળામાં જોવા મળી હતી.


મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ સેક્ટરમાં ઘટાડો


નાણાકીય વર્ષ 2022-23ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 5.6 ટકા હતો. જ્યારે, ખાણકામ ક્ષેત્રે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં 14.5 ટકાની સરખામણીએ 2.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.


કૃષિ અને પ્રવાસન ક્ષેત્રનો વિકાસ દર વધ્યો


જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રે 4.6 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. વેપાર, હોસ્પિટાલિટી અને પર્યટન સહિતના સંપર્ક-સઘન ક્ષેત્રે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 9.6 ટકાની સરખામણીએ 14.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. કન્સ્ટ્રક્શન સેગમેન્ટમાં ત્રિમાસિક ગાળામાં 6.6 ટકાનો વધારો નોંધાયો હતો.



વિશ્લેષકોએ ઉચ્ચ વૃદ્ધિની આગાહી કરી હતી


વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓએ બીજા ત્રિમાસિક ગાળા માટે 5.8 ટકાથી 7.2 ટકાની રેન્જમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. ત્યારે વિશ્લેષકોએ કહ્યું હતું કે અર્થતંત્ર 'સામાન્ય' વૃદ્ધિ તરફ પાછું આવશે. તે જ સમયે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જુલાઈથી સપ્ટેમ્બર માટે આર્થિક વૃદ્ધિ દર 6.1-6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.