બીજા ક્વાર્ટરમાં દેશનો GDP દર 8.4 ટકાથી ઘટીને 6.3 ટકા, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફટકો


  • Published By :
  • Published Date : 2022-12-01 09:54:28

ભારતનો આર્થિક વિકાસ દર જુલાઈ-સપ્ટેમ્બર Q2માં  ઘટીને 6.3 ટકા રહ્યો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં વિકાસ દર 8.4 ટકા હતો. જ્યારે, આ જ નાણાકીય વર્ષના Q1માં વૃદ્ધિ દર 13.5 ટકા હતો. બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ ખૂબ જ ઓછી રહી છે. મેન્યુફેક્ચરિંગ અને માઈનિંગ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અર્થશાસ્ત્રીઓએ બીજા ક્વાર્ટરમાં 7.2 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.


દેશનો વિકાસ દર ઘટ્યો


ભારતનો આર્થિક વિકાસ જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ધીમો પડીને 6.3 ટકા રહ્યો છે. 2022-23 ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્થિર (2011-12) કિંમતો પર વાસ્તવિક જીડીપી 38.17 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. જ્યારે 2021-22 ના બીજા ક્વાર્ટરમાં તે 35.89 લાખ કરોડ રૂપિયા હતો. 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રણ મહિના માટે જીડીપી રીડિંગ એપ્રિલ-જૂનમાં 13.5 ટકાની મજબૂત વૃદ્ધિથી ધીમી પડી હતી. બીજા ક્વાર્ટરનો વિકાસ દર 6.3 ટકા રહ્યો છે, જ્યારે એક વર્ષ પહેલા એટલે કે 2021ના સમાન સમયગાળામાં જીડીપી 8.4 ટકા હતો. તે સમયે, કોરોના લોકડાઉન પ્રતિબંધોથી અસરગ્રસ્ત પ્રવૃત્તિઓ પણ સમાન સમયગાળામાં જોવા મળી હતી.


મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ સેક્ટરમાં ઘટાડો


નાણાકીય વર્ષ 2022-23ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 5.6 ટકા હતો. જ્યારે, ખાણકામ ક્ષેત્રે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં 14.5 ટકાની સરખામણીએ 2.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.


કૃષિ અને પ્રવાસન ક્ષેત્રનો વિકાસ દર વધ્યો


જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રે 4.6 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. વેપાર, હોસ્પિટાલિટી અને પર્યટન સહિતના સંપર્ક-સઘન ક્ષેત્રે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 9.6 ટકાની સરખામણીએ 14.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. કન્સ્ટ્રક્શન સેગમેન્ટમાં ત્રિમાસિક ગાળામાં 6.6 ટકાનો વધારો નોંધાયો હતો.



વિશ્લેષકોએ ઉચ્ચ વૃદ્ધિની આગાહી કરી હતી


વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓએ બીજા ત્રિમાસિક ગાળા માટે 5.8 ટકાથી 7.2 ટકાની રેન્જમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. ત્યારે વિશ્લેષકોએ કહ્યું હતું કે અર્થતંત્ર 'સામાન્ય' વૃદ્ધિ તરફ પાછું આવશે. તે જ સમયે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જુલાઈથી સપ્ટેમ્બર માટે આર્થિક વૃદ્ધિ દર 6.1-6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.