EDએ કરી Delhi CM Arvind Kejriwalની ધરપકડ, Supreme Courtમાં થશે સુનાવણી... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-03-22 10:59:01

ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ગઈકાલે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડીએ કરી હતી. કથિત દારૂ કૌભાંડ મામલે તપાસ કરવા માટે ઈડી દ્વારા અનેક વખત તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. મુખ્યમંત્રી હાજર ના થયા તો ઈડીની ટીમ મુખ્યમંત્રીના ઘરે પૂછપરછ કરવા માટે પહોંચી હતી. 2 કલાક જેટલો સમય પૂછપરછ કરવામાં આવી અને તે બાદ તેમની ધરપકડ થઈ ગઈ.



અનેક વખત ઈડીએ પાઠવ્યા હતા અરવિંદ કેજરીવાલને સમન્સ 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગઈકાલ રાત્રે થઈ ગઈ છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. દિલ્હી સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે નવી લિકર પોલીસીમાં ભ્રષ્ટાચાર થયો છે. પૂછપરછ માટે અનેક વખત ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ અનેક વખત તે સમન્સને ગેરબંધારણીય આમ આદમી પાર્ટી દ્વારા ગણાવવામાં આવ્યું છે. ધરપકડને રોકવા માટે અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા. પરંતુ હાઈકોર્ટે તેમની ધરપકડ પર રોક ન લગાવી હતી. તેમના તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે જો તેઓ ED સમક્ષ હાજર થાય તો તેમની ધરપકડ કરવામાં ન આવે. કોર્ટે આવી કોઈ બાંયધરી આપી નથી કે તેની ધરપકડ પર સ્ટે મૂક્યો નથી.    


મોટી સંખ્યામાં ગોઠવાઈ ગયો હતો પોલીસનો કાફલો!

પૂછપરછ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રીને અનેક વખત ઈડીએ સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા હતા. ત્યારે ગઈકાલ સાંજે ઈડીની ટીમ મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી અને તેમની 2 કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારથી જ એવું લાગતું હતું કે ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી. ઈડીની ટીમની સાથે સાથે દિલ્હી પોલીસ પણ ત્યાં હાજર હતી. 



આમ આદમી પાર્ટીના તેમજ કોંગ્રેસના નેતા પહોંચ્યા હતા સમર્થન માટે 

સીએમના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી. ઈડી જ્યારે કેજરીવાલના ઘરે પહોંચી ત્યારે જ આમ આદમી પાર્ટી દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડવામાં આવ્યા. આ મામલે તરત સુનાવણી થાય તેવી માગ કરવામાં આવી. મુખ્યમંત્રીની ધરપકડ થઈ ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતા ત્યાં પહોંચી ગયા હતા ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના નેતાઓ પણ સમર્થન માટે ત્યાં પહોંચ્યા હતા.     



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.