EDએ કરી Delhi CM Arvind Kejriwalની ધરપકડ, Supreme Courtમાં થશે સુનાવણી... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-03-22 10:59:01

ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ગઈકાલે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડીએ કરી હતી. કથિત દારૂ કૌભાંડ મામલે તપાસ કરવા માટે ઈડી દ્વારા અનેક વખત તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. મુખ્યમંત્રી હાજર ના થયા તો ઈડીની ટીમ મુખ્યમંત્રીના ઘરે પૂછપરછ કરવા માટે પહોંચી હતી. 2 કલાક જેટલો સમય પૂછપરછ કરવામાં આવી અને તે બાદ તેમની ધરપકડ થઈ ગઈ.



અનેક વખત ઈડીએ પાઠવ્યા હતા અરવિંદ કેજરીવાલને સમન્સ 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગઈકાલ રાત્રે થઈ ગઈ છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. દિલ્હી સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે નવી લિકર પોલીસીમાં ભ્રષ્ટાચાર થયો છે. પૂછપરછ માટે અનેક વખત ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ અનેક વખત તે સમન્સને ગેરબંધારણીય આમ આદમી પાર્ટી દ્વારા ગણાવવામાં આવ્યું છે. ધરપકડને રોકવા માટે અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા. પરંતુ હાઈકોર્ટે તેમની ધરપકડ પર રોક ન લગાવી હતી. તેમના તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે જો તેઓ ED સમક્ષ હાજર થાય તો તેમની ધરપકડ કરવામાં ન આવે. કોર્ટે આવી કોઈ બાંયધરી આપી નથી કે તેની ધરપકડ પર સ્ટે મૂક્યો નથી.    


મોટી સંખ્યામાં ગોઠવાઈ ગયો હતો પોલીસનો કાફલો!

પૂછપરછ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રીને અનેક વખત ઈડીએ સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા હતા. ત્યારે ગઈકાલ સાંજે ઈડીની ટીમ મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી અને તેમની 2 કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારથી જ એવું લાગતું હતું કે ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી. ઈડીની ટીમની સાથે સાથે દિલ્હી પોલીસ પણ ત્યાં હાજર હતી. 



આમ આદમી પાર્ટીના તેમજ કોંગ્રેસના નેતા પહોંચ્યા હતા સમર્થન માટે 

સીએમના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી. ઈડી જ્યારે કેજરીવાલના ઘરે પહોંચી ત્યારે જ આમ આદમી પાર્ટી દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડવામાં આવ્યા. આ મામલે તરત સુનાવણી થાય તેવી માગ કરવામાં આવી. મુખ્યમંત્રીની ધરપકડ થઈ ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતા ત્યાં પહોંચી ગયા હતા ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના નેતાઓ પણ સમર્થન માટે ત્યાં પહોંચ્યા હતા.     



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.