EDએ કરી Delhi CM Arvind Kejriwalની ધરપકડ, Supreme Courtમાં થશે સુનાવણી... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-03-22 10:59:01

ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ગઈકાલે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડીએ કરી હતી. કથિત દારૂ કૌભાંડ મામલે તપાસ કરવા માટે ઈડી દ્વારા અનેક વખત તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. મુખ્યમંત્રી હાજર ના થયા તો ઈડીની ટીમ મુખ્યમંત્રીના ઘરે પૂછપરછ કરવા માટે પહોંચી હતી. 2 કલાક જેટલો સમય પૂછપરછ કરવામાં આવી અને તે બાદ તેમની ધરપકડ થઈ ગઈ.



અનેક વખત ઈડીએ પાઠવ્યા હતા અરવિંદ કેજરીવાલને સમન્સ 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગઈકાલ રાત્રે થઈ ગઈ છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. દિલ્હી સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે નવી લિકર પોલીસીમાં ભ્રષ્ટાચાર થયો છે. પૂછપરછ માટે અનેક વખત ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ અનેક વખત તે સમન્સને ગેરબંધારણીય આમ આદમી પાર્ટી દ્વારા ગણાવવામાં આવ્યું છે. ધરપકડને રોકવા માટે અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા. પરંતુ હાઈકોર્ટે તેમની ધરપકડ પર રોક ન લગાવી હતી. તેમના તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે જો તેઓ ED સમક્ષ હાજર થાય તો તેમની ધરપકડ કરવામાં ન આવે. કોર્ટે આવી કોઈ બાંયધરી આપી નથી કે તેની ધરપકડ પર સ્ટે મૂક્યો નથી.    


મોટી સંખ્યામાં ગોઠવાઈ ગયો હતો પોલીસનો કાફલો!

પૂછપરછ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રીને અનેક વખત ઈડીએ સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા હતા. ત્યારે ગઈકાલ સાંજે ઈડીની ટીમ મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી અને તેમની 2 કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારથી જ એવું લાગતું હતું કે ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી. ઈડીની ટીમની સાથે સાથે દિલ્હી પોલીસ પણ ત્યાં હાજર હતી. 



આમ આદમી પાર્ટીના તેમજ કોંગ્રેસના નેતા પહોંચ્યા હતા સમર્થન માટે 

સીએમના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી. ઈડી જ્યારે કેજરીવાલના ઘરે પહોંચી ત્યારે જ આમ આદમી પાર્ટી દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડવામાં આવ્યા. આ મામલે તરત સુનાવણી થાય તેવી માગ કરવામાં આવી. મુખ્યમંત્રીની ધરપકડ થઈ ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતા ત્યાં પહોંચી ગયા હતા ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના નેતાઓ પણ સમર્થન માટે ત્યાં પહોંચ્યા હતા.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.