CBI બાદ હવે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી, 100 કરોડની લાંચનો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-09 20:25:37

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની હવે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ ગુરુવારે (9 માર્ચ) દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં સિસોદિયાની બીજી વખત પૂછપરછ કરી હતી. EDની ટીમ આજે 11.30 વાગ્યે તિહાર જેલમાં પહોંચી હતી અને જેલમાં જ સિસોદિયાની પૂછપરછ બાદ ધરપકડ કરી છે.  

100 કરોડની લાંચનો આરોપ


દારૂ કૌભાંડનાં કેસમાં CBI બાદ હવે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. તેમના ઉપર 100 કરોડની લાંચ લીધાનો આરોપ છે. EDનો આરોપ છે કે મનિષ સિસોદિયાએ અનુકૂળ શરાબ નીતિ બનાવવાના બદલામાં સાઉથ દિલ્હીનાં વેપારીઓ પાસેથી 100 કરોડની લાંચ લીધી હતી. આ મામલામાં EDએ સોમવારે સાંજે હૈદ્રાબાદનાં બિઝનેસમેન અરૂણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી હતી.


EDએ અગાઉ હતી પૂછપરછ


EDએ અગાઉ 7 માર્ચનાં રોજ મનીષ સિસોદિયાની 100 કરોડની કથિત લાંચના સંબંધમાં પૂછપરછ કરી હતી, જે AAP પાર્ટી/નેતાઓએ હવાલા ચેનલ દ્વારા સાઉથ ગ્રુપ પાસેથી કથિત રીતે મેળવી હતી. તપાસ એજન્સી દ્વારા હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અરુણ પિલ્લઈ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા સાથેના સંબંધો વિશે પણ પૂછપરછ કરવામાં આવી હતી.





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.