CBI બાદ હવે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી, 100 કરોડની લાંચનો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-09 20:25:37

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની હવે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ ગુરુવારે (9 માર્ચ) દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં સિસોદિયાની બીજી વખત પૂછપરછ કરી હતી. EDની ટીમ આજે 11.30 વાગ્યે તિહાર જેલમાં પહોંચી હતી અને જેલમાં જ સિસોદિયાની પૂછપરછ બાદ ધરપકડ કરી છે.  

100 કરોડની લાંચનો આરોપ


દારૂ કૌભાંડનાં કેસમાં CBI બાદ હવે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. તેમના ઉપર 100 કરોડની લાંચ લીધાનો આરોપ છે. EDનો આરોપ છે કે મનિષ સિસોદિયાએ અનુકૂળ શરાબ નીતિ બનાવવાના બદલામાં સાઉથ દિલ્હીનાં વેપારીઓ પાસેથી 100 કરોડની લાંચ લીધી હતી. આ મામલામાં EDએ સોમવારે સાંજે હૈદ્રાબાદનાં બિઝનેસમેન અરૂણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી હતી.


EDએ અગાઉ હતી પૂછપરછ


EDએ અગાઉ 7 માર્ચનાં રોજ મનીષ સિસોદિયાની 100 કરોડની કથિત લાંચના સંબંધમાં પૂછપરછ કરી હતી, જે AAP પાર્ટી/નેતાઓએ હવાલા ચેનલ દ્વારા સાઉથ ગ્રુપ પાસેથી કથિત રીતે મેળવી હતી. તપાસ એજન્સી દ્વારા હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અરુણ પિલ્લઈ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા સાથેના સંબંધો વિશે પણ પૂછપરછ કરવામાં આવી હતી.





પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.