CBI બાદ હવે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી, 100 કરોડની લાંચનો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-09 20:25:37

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની હવે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ ગુરુવારે (9 માર્ચ) દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં સિસોદિયાની બીજી વખત પૂછપરછ કરી હતી. EDની ટીમ આજે 11.30 વાગ્યે તિહાર જેલમાં પહોંચી હતી અને જેલમાં જ સિસોદિયાની પૂછપરછ બાદ ધરપકડ કરી છે.  

100 કરોડની લાંચનો આરોપ


દારૂ કૌભાંડનાં કેસમાં CBI બાદ હવે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. તેમના ઉપર 100 કરોડની લાંચ લીધાનો આરોપ છે. EDનો આરોપ છે કે મનિષ સિસોદિયાએ અનુકૂળ શરાબ નીતિ બનાવવાના બદલામાં સાઉથ દિલ્હીનાં વેપારીઓ પાસેથી 100 કરોડની લાંચ લીધી હતી. આ મામલામાં EDએ સોમવારે સાંજે હૈદ્રાબાદનાં બિઝનેસમેન અરૂણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી હતી.


EDએ અગાઉ હતી પૂછપરછ


EDએ અગાઉ 7 માર્ચનાં રોજ મનીષ સિસોદિયાની 100 કરોડની કથિત લાંચના સંબંધમાં પૂછપરછ કરી હતી, જે AAP પાર્ટી/નેતાઓએ હવાલા ચેનલ દ્વારા સાઉથ ગ્રુપ પાસેથી કથિત રીતે મેળવી હતી. તપાસ એજન્સી દ્વારા હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અરુણ પિલ્લઈ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા સાથેના સંબંધો વિશે પણ પૂછપરછ કરવામાં આવી હતી.





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.