ઝારખંડના CM હેમંત સોરેન સાથે EDની પૂછપરછ, આજે થઈ શકે છે ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-31 14:29:40

કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચી છે. સીએમ આવાસ પર ધારાસભ્યો પણ હાજર છે. રાંચીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. EDના સમન્સ પર હેમંત સોરેને પોતે EDને જવાબ આપવા માટે આજે બપોરે સમય આપ્યો હતો. તાજેતરમાં, હેમંત સોરેન અચાનક ગાયબ થઈ ગયા હતા, ત્યારબાદ EDએ તેમની શોધ શરૂ કરી હતી. જોકે, હેમંત સોરેન સોમવારે મોડી રાત્રે ફરી રાંચી પહોંચ્યા હતા.


હેલમેટ પહેરીને પહોંચી EDની ટીમ


હેમંત સોરેનની પૂછપરછ માટે પહોંચેલી ઈડીની ટીમને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વણસે તેવી આશંકા છે. તેથી ઈડીએ ઝારખંડ સરકારને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેને સુરક્ષા માટે પુરતો બંદોબસ્ત કરવાનું  કહેવામાં આવ્યું છે. તે માટે સરકારે ત્રણ ટીમ બનાવી છે. ઈડીની ટીમ પણ હેલમેટ પહેરીને સીએમ નિવાસસ્થાન જઈ રહી છે. ઈડીની ટીમ એક ઈનોવામાં રાખીને સીએમ હાઉસ પહોંચી છે. 


કલ્પના સોરેનને CMની જવાબદારી


હેમંત સોરેને પાટનગર રાંચી પહોંચીને તેમના સત્તાવાર નિવાસસ્થાને ધારાસભ્યો અને JMMના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સોરેનની પત્ની કલ્પના સોરેન પણ ઉપસ્થિત રહ્યા હતા.JMMનું કહેવું છે કે બેઠકમાં આગળની રણનિતી પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકોમાં, ધારાસભ્યોએ હેમંત સોરેન સરકાર સાથે એકતા વ્યક્ત કરી અને કોઈના નામ વગર સમર્થનના પત્ર પર સહી પણ કરી હતી. એવી અટકળો છે કે હેમંતની ધરપકડની સ્થિતિમાં તેની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવશે.



ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..

ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..

સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...