ઝારખંડના CM હેમંત સોરેન સાથે EDની પૂછપરછ, આજે થઈ શકે છે ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-31 14:29:40

કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચી છે. સીએમ આવાસ પર ધારાસભ્યો પણ હાજર છે. રાંચીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. EDના સમન્સ પર હેમંત સોરેને પોતે EDને જવાબ આપવા માટે આજે બપોરે સમય આપ્યો હતો. તાજેતરમાં, હેમંત સોરેન અચાનક ગાયબ થઈ ગયા હતા, ત્યારબાદ EDએ તેમની શોધ શરૂ કરી હતી. જોકે, હેમંત સોરેન સોમવારે મોડી રાત્રે ફરી રાંચી પહોંચ્યા હતા.


હેલમેટ પહેરીને પહોંચી EDની ટીમ


હેમંત સોરેનની પૂછપરછ માટે પહોંચેલી ઈડીની ટીમને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વણસે તેવી આશંકા છે. તેથી ઈડીએ ઝારખંડ સરકારને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેને સુરક્ષા માટે પુરતો બંદોબસ્ત કરવાનું  કહેવામાં આવ્યું છે. તે માટે સરકારે ત્રણ ટીમ બનાવી છે. ઈડીની ટીમ પણ હેલમેટ પહેરીને સીએમ નિવાસસ્થાન જઈ રહી છે. ઈડીની ટીમ એક ઈનોવામાં રાખીને સીએમ હાઉસ પહોંચી છે. 


કલ્પના સોરેનને CMની જવાબદારી


હેમંત સોરેને પાટનગર રાંચી પહોંચીને તેમના સત્તાવાર નિવાસસ્થાને ધારાસભ્યો અને JMMના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સોરેનની પત્ની કલ્પના સોરેન પણ ઉપસ્થિત રહ્યા હતા.JMMનું કહેવું છે કે બેઠકમાં આગળની રણનિતી પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકોમાં, ધારાસભ્યોએ હેમંત સોરેન સરકાર સાથે એકતા વ્યક્ત કરી અને કોઈના નામ વગર સમર્થનના પત્ર પર સહી પણ કરી હતી. એવી અટકળો છે કે હેમંતની ધરપકડની સ્થિતિમાં તેની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે