ઝારખંડના CM હેમંત સોરેન સાથે EDની પૂછપરછ, આજે થઈ શકે છે ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-31 14:29:40

કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચી છે. સીએમ આવાસ પર ધારાસભ્યો પણ હાજર છે. રાંચીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. EDના સમન્સ પર હેમંત સોરેને પોતે EDને જવાબ આપવા માટે આજે બપોરે સમય આપ્યો હતો. તાજેતરમાં, હેમંત સોરેન અચાનક ગાયબ થઈ ગયા હતા, ત્યારબાદ EDએ તેમની શોધ શરૂ કરી હતી. જોકે, હેમંત સોરેન સોમવારે મોડી રાત્રે ફરી રાંચી પહોંચ્યા હતા.


હેલમેટ પહેરીને પહોંચી EDની ટીમ


હેમંત સોરેનની પૂછપરછ માટે પહોંચેલી ઈડીની ટીમને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વણસે તેવી આશંકા છે. તેથી ઈડીએ ઝારખંડ સરકારને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેને સુરક્ષા માટે પુરતો બંદોબસ્ત કરવાનું  કહેવામાં આવ્યું છે. તે માટે સરકારે ત્રણ ટીમ બનાવી છે. ઈડીની ટીમ પણ હેલમેટ પહેરીને સીએમ નિવાસસ્થાન જઈ રહી છે. ઈડીની ટીમ એક ઈનોવામાં રાખીને સીએમ હાઉસ પહોંચી છે. 


કલ્પના સોરેનને CMની જવાબદારી


હેમંત સોરેને પાટનગર રાંચી પહોંચીને તેમના સત્તાવાર નિવાસસ્થાને ધારાસભ્યો અને JMMના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સોરેનની પત્ની કલ્પના સોરેન પણ ઉપસ્થિત રહ્યા હતા.JMMનું કહેવું છે કે બેઠકમાં આગળની રણનિતી પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકોમાં, ધારાસભ્યોએ હેમંત સોરેન સરકાર સાથે એકતા વ્યક્ત કરી અને કોઈના નામ વગર સમર્થનના પત્ર પર સહી પણ કરી હતી. એવી અટકળો છે કે હેમંતની ધરપકડની સ્થિતિમાં તેની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.